Sunday, March 26, 2017

રામ જન્મભૂમિ વિષે આટલું જાણો.....ભાગ ૧

તમને ક્યારેય એવું થયું છે કે રાતના હળવું(ઓછું) ભોજન કર્યું હોય એટલે સવાર વહેલી પડે? મારી શરીર રચનામાં એવું કૈક છે. એટલે તો આજે વહેલો ઉઠીને આ પોસ્ટ લખવા બેઠો.
નિત્ય ઘરમાં પૂજા-પાઠ કરાતાં એવા અત્યંત ધાર્મિક કુટુંબ,મા-બાપના સાનિધ્યમાં ઉછર્યા એટલે પ્રભુ રામ અને રામ-મંદિરમાં આસ્થા તો બાળપણથી જ હતી. પણ તેની સાથે તેની સાથે જોડાયેલી વાતો અને ઈતિહાસ અંગે જાણવાની કૂતુહલતા કોલેજકાળમાં જાગી હતી. તે દરમ્યાન અહીં-તહીં વાંચીને માહિતી ભેગી કરી હતી. આજે હવે તેય ભૂલાઈ ગયું છે અને મારે દીકરાને (એમ કહો કે આવતી પેઢીને ) તે અંગે જણાવવું છે (Pass-down the knowledge orally). એટલે આપણા બધાના latest God એવા Google પર ગુજરાતીમાં "કોઈક" લેખ/બ્લોગ પોસ્ટ શોધવા બેઠો... તમેય પ્રયત્ન કરી જોજો, સાલું સમ ખાવા પૂરતું ય એક લેખ નહિ (સમાચાર પત્રોની links હતી એમાં કોઈજ ઐતિહાસિક માહિતી નઈ). દુઃખ થયું. આમ આપણું ગુજરાત એક રીતે ખૂબ જ ધાર્મિક લોકોનું રાજ્ય ગણાય છે. અહીં ધર્મને જે આસ્થાથી અને વિશ્વાસથી પાળવામાં આવે છે એનો આપણને બધાય ને ગર્વ છે. તો પછી આવું કેમ? તમને ખબર છે ૧૯૯૨માં રામ-જન્મભૂમિ ચળવળમાં રાજ્યના ૧૮,૦૦૦ ગામડાં પૈકી ૧૨,૦૦૦ ગામોથી રામ નામની ઇંટો અયોધ્યા મોકલવામાં આવી હતી. આટલી બધી આસ્થા પણ ઇતિહાસની સરખી માહિતી ના મળે online? એટલે આ પોસ્ટનો જન્મ થયો કે જેથી મારા જેવા બીજા વાલીઓ રામ-મંદિરના ઈતિહાસ વિષે બાળકોને જણાવી/શીખવી શકે.

માહિતી પૂરી પાડવા બદલ Hindupost.in ના લેખક ગરિમાબેનનો ખૂબ ખૂબ આભાર.

તો હવે આપણે આજના વિષય રામ-જન્મભૂમિ પર આવીએ.
ઈતિહાસ :
ઇસ ૧૮૬૨થી લઈને આજ સુધીમાં અયોધ્યામાં ૫ વાર ભૌગોલિક સંશોધનો અને સર્વેક્ષણો થયા છે.
( છેલ્લા ૩ જે સ્વતંત્ર ભારતમાં થયા તેમાં  દરેક વખતે ખોદકામ કરીને જૂના અવશેષોને કાઢીને તેનો વૈજ્ઞાનિક પધ્ધતિસર અભ્યાસ કરવામાં આવ્યો છે)

૧) Alexander E. Cunningham દ્વારા ૧૮૬૨-૬૩માં
૨) A. Fuhrer દ્વારા ૧૮૮૯-૯૧માં
૩) A.K. Narain (એ.કે. નારાયણ) ૧૯૬૯-૭૦માં
૪) પ્રોફેસર B.B. Lal (બી. બી. લાલ) કે જેમનો અહેવાલ/રિપોર્ટ સૌથી વધુ જાણીતો છે.
૫) ભારતીય પુરાતત્વ નિગમનો (Archeological Survey of India) ૨૦૦૩નો અહેવાલ.

આ બધાં અહેવાલોમાં અઢળક માહિતી છે અને તે બધાનો અહીં સમાવેશ કરવો શક્ય નથી પણ આટલું જાણો. આ પૈકી પ્રોફેસર લાલના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૧૯૯૨માં તોડવામાં આવેલા બાબરી મસ્જિદની નીચે રામ મંદિરના અવશેષો છે જેનું કાર્બન ડેટિંગ( Carbon Dating) પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે પથ્થરો અને મંદિરના સ્તંભો ૧૧મી સદીમાં હયાત એવા મંદિરના છે એમ સાબિત થઇ ચૂક્યું છે.





ASIના ડીરેક્ટર જનરલ રહી ચૂકેલા પ્રોફેસર લાલે નોંધ્યું છે કે અયોધ્યમાં કુલ ૧૪ જગ્યાઓ જેવી કે હનુમાન ગઢ, કૌશલ્યા ઘાટ, સુગ્રીવ ટીલો, રામ જન્મભૂમિ વગેરે જગ્યાએથી પુરાતન ખાતાએ અવશેષો એકઠા કર્યા હતા. હકીકતમાં અયોધ્યા એક માત્ર શહેર ન હતું. ASIના એક મોટા પ્રોજેક્ટ કે જેનું નામ "Archaeology of the Ramayana Sites" હતું તેના અંતર્ગત અયોધ્યામાં પણ સંશોધન થયું હતું. આ મોટા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશ-ભરમાં જેટલી પ્રચલિત રામાયણ આધારિત જગ્યાઓ છે તેના અંગે માહિતી ભેગી કરવાનો અને રામાયણને પ્રમાણિત કરવાનો હતો. [ જે સફળતાપૂર્વક પાર પડ્યો છે.]

આ બધી વાતો તો થઇ ૧૮-૧૯મી સદીની વાતો. ઇતિહાસમાં હજી થોડા પાછળ જઈએ.

હાલના પ્રખર ઇતિહાસકાર કોનરાડ એલ્સ્ત સહીત અન્ય ઇતિહાસકારોના મત મુજબ રામ-મંદિર સૌ પ્રથમ ૧૧૯૪-૧૨૦૦ની આજુ-બાજુ દીલ્હી સલ્તનતના શરૂઆતના દિવસો દરમ્યાન જમીન-દોસ્ત કરવામાં આવ્યું હતું. ૧૨૦૦થી લઈને ૧૫૦૦ સુધીના ઈતિહાસ વિષે ઓછી માહિતી મળે છે. [સંશોધનનો વિષય છે.]

 ઇસ ૧૫૨૬ માં જયારે બાબર પાણીપતના યુધ્ધમાં ઈબ્રાહીમ લોધીને હરાવીને તત્કાલીન લોધી સામ્રાજ્યનો અંત આણીને દિલ્હીની ગાદીએ બેઠો ત્યારે પવિત્ર એવી રામ-જન્મભૂમિ સિદ્ધ મહાત્મા શ્યામાનંદજી મહારાજ હસ્તક હતી. મહારાજની સિદ્ધિઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફલાયેલી હતી. એક ખ્વાજા ફઝલ અબ્બાસ મૂસા તેમનાથી પ્રેરાઈને તેમની પાસે આવીને રહ્યા અને તેમના શિષ્ય બન્યા અને હિંદુ દર્શન તેમજ તત્વજ્ઞાન શીખ્યા. ધીમે ધીમે અબ્બાસ મૂસા પણ મહારાજના જાણીતા શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા. તેમનાથી પ્રેરાઈને જલાલશાહ નામના એક ફકીર પણ આવીને શ્યામાનંદજીના શિષ્ય થયા. જોકે તેનો અયોધ્યા આવવાનો હેતુ કૈક અલગ હતો. તે કટ્ટર મુસલમાન હતો અને ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર તેનું એકમાત્ર ધ્યેય હતું. તે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરાવીને અયોધ્યાને પૂર્વના મક્કા(Mecca of the East) તરીકે સ્થાપિત કરવાનું સ્વપન સેવતો હતો. તેણે ફઝલ મૂસાને ઇસ્લામના નામે ઉશ્કેર્યા અને પોતાના મનસૂબા જણાવ્યા અને સાથ આપવા હાકલ કરી. તેઓએ બાબરને મળીને પોતાના વિચાર રજૂ કર્યા અને તેની મંજૂરીથી હિન્દુઓને અપમાનિત કરવાના હેતુથી મુસલમાનો માટે રામ-જન્મભૂમિની નજીકમાં દફનાવવા માટે કબ્રસ્તાન ઉભું કર્યું.

તેના થોડા સમય બાદ બાબરે એક શાહી ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન બાબરના દરબારના અધિકૃત ઈતિહાસકારોએ લખેલા 'બાબરનામા'માં પ્રાપ્ય છે. [ લગભગ દરેક મુઘલ શાસકના સત્તાવાર 'નામા'ઓ (Official record) વાંચવા જેવા છે જેમાં તેઓએ પોતે જ હિંદુઓ પર કઈ હદ સુધી જુલમો અને અન્યાય કર્યા તેનું વિસ્તારથી અને વટથી વર્ણન કર્યું છે. ખાતરી સાથે કહું છું કે વાંચી નહિ શકો. ]

તારીખ ૬.૭.૧૯૨૪ના 'Modern Review' ના અંકમાં પ્રકાશિત એવા સ્વામી સત્યદેવ પરીવ્રાજ્કે લખેલા લેખમાં તેમણે બાબરના શાહી ફરમાનનું સૌ પ્રથમ વાર ભાષાંતરણ હિંદુઓ સમક્ષ મૂક્યું.

"જહાંપનાહ શહેનશાહે-હિંદ, બાદશાહ બાબર અને હઝરત જલાલ-શાહના આદેશથી, અયોધ્યા સ્થિત રામ-જન્મભૂમિનું મંદિર જમીનદોસ્ત કરવા તેમજ તેનાજ કાટમાળમાંથી મસ્જિદ ઉભી કરવામાં આવશે. હિન્દુસ્તાનના બીજા કોઈ પણ વિસ્તારમાંથી હિન્દુઓને અયોધ્યા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અયોધ્યા કે તેની આસપાસના વિસ્તારમાં કોઈ પણ હિંદુ જોવા મળશે તો તેના ઈરાદાઓ ઉપર વહેમ કરવામાં આવશે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવશે"

બાબર અને મુઘલોને જાણ હતી કે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરવું એ કઈ ખાવાના ખેલ નથી. તેમને ખ્યાલ હતો કે આમ કરવામાં આવશે તો હિન્દુસ્તાનની ગુલામ ને નબળી પ્રજા જીવ પર આવી જશે. એટલે જ પ્રજામાં ભય ફેલાવવા અને તેમની હિમ્મત ભાંગવા આવો આગોતરો ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો.

મહારાજ શ્યામાનંદજીને પોતાના શિષ્યોની કરતૂતોની જાણ થતાં ખૂબ દુઃખ થયું અને તેમણે રામ દરબારની મૂર્તિઓને સરયૂમાં પધરાવીને હિમાલય તરફ પ્રયાણ કર્યું.બાકીના પૂજારીઓ તેમ જ સેવકોએ ત્યાં જ રહીને મંદિરનું રક્ષણ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. જે સમયે આ બાબરનું ફરમાન બહાર પડયું  તેજ વખતે ભીટીના મહારાજા મેહતાબ સિંહ બદરી - નારાયણની યાત્રાએ નીકળેલા હતા. રસ્તે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમેને આ સમાચાર મળ્યા અને તેમણે પોતાની યાત્રા માંડી વાળીને અયોધ્યામાં જ રહીને પોતાની સેના સાથે અયોધ્યામાં રહેલા રામ-ભક્તો સાથે બાબરના સૈન્યનો સામનો કરવાનું નક્કી કર્યું. 

સર એલેકઝાંડર કનિંગહામે "લખનૌ ગેઝેટિયર"ના ૬૬માં અંકમાં ત્રીજા પાને નોંધ્યું છે કે ૧,૭૪,૦૦૦ રામ-ભક્તો અયોધ્યામાં પ્રતિકાર કરવા ભેગા થઇ ગયા હતા કે જેઓ છેલ્લી વારનું પોતાના મા-બાપ, પત્ની, બાળકો, બહેનો અને ભાઈ-ભાંડુંઓને મળીને કહીને આવ્યા કે આવતી પેઢીને કહેજો કે અમે મંદિરના રક્ષણ માટે હસતે મોંઢે મોતને વ્હાલું કર્યું હતું. તેઓએ કેસરિયા થઈને (મોત પાક્કું જ છે જાણીને) ૪,૫૦૦,૦૦૦ સૈનિકોની મીર બાંકીના નેતૃત્વ નીચેની વિશાળ મુઘલ સેનાનો પૂરા ૭૦ દિવસ સુધી ભયંકર સામનો કર્યો.  એક પણ હિંદુ સૈનિક વીરગાથાઓ કહેવા જીવતો ના રહ્યો. છેવટે મુઘલ તોપોએ આખાય મંદિર પરિસરનો વિનાશ કર્યો. મુખ્ય ચાર પૂજારીઓના માથાં ધડથી અલગ કરી દેવાયા. સાહેબ, હેમિલટને "બારાબંકી ગેઝેટિયર"માં નોંધ્યું છે કે જલાલશાહે હિન્દુઓના લોહીથી લાહોરથી મંગાવેલા પથ્થરોને રંગીને તેમાંથી નવી મસ્જિદ નિર્માણ કરી. હિન્દુઓની એ હદ સુધી ખાના-ખરાબી થઇકે અમુક વર્ષો સુધી તેઓ ઉભા થઇ શકવાની સ્થિતિમાં નહોતા. સામે પક્ષે પણ ખુવારી ઘણી હતી પણ તેઓ તોય દિલ્હીની ગાદી પર બેઠા હતા.

બાબરના પુત્ર હુમાયુના સમય દરમ્યાન હિન્દુઓએ ફરી પ્રયત્ન કર્યો. અયોધ્યાથી આશરે ૬ માઈલ દૂર એવા સનેધુ ગામે સ્થિત પંડિત દેવીદીન પાંડેએ આજુબાજુના સરાય, સીસીંડા, રાજેપુર વગેરે ગામોમાંથી ૯૦,૦૦૦ સૂર્યવંશી ક્ષત્રિયોની સેના તૈયાર કરી. તેમેણે ક્ષત્રિયોને તેમના પૂર્વજ એવા શ્રી રામ અને પોતાના પૂર્વજ એવા શ્રી મહર્ષિ ભારદ્વાજની આણ ખાતર ફરી મંદિરનો કબજો લેવા પ્રેરણા આપી. તેમણે ઓચિંતો અને જબરજસ્ત હુમલો કર્યો. અને ૫ દિવસના ભીષણ યુધ્ધમાં અયોધ્યામાં હાજર શાહી સેનાનો ખુરદો બોલાવી દીધો. પણ દિલ્હીથી આવેલી નવી સેનાઓ સામે તેઓ ટકી શક્યા નહિ. લોકવાયકા એવી છે કે પંડિત દેવીદીન ૭૦૦ સૈનિકો સામે ૩ કલાક સુધી એકલા ઝઝૂમ્યા હતા અને છેવટે તેમના જ અંગ-રક્ષકે તેમને માથે જોરથી ઈંટ મારી હતી અને માથું ફાટી ગયું હોવા છતાં તેમણે તલવારથી પોતાના અંગ-રક્ષકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારે મીર બાંકી એ છુપાઈને તેમને ગોળી મારી. આમ યુધ્ધના છઠા દિવસે પંડિત દેવીદીને મીર બાંકીનો સામનો કર્યો અને પોતાના જ અંગ-રક્ષક્ની ગદ્દારીના લીધે વીરગતિ પામ્યા. તેમના ૯૦,૦૦૦ હિન્દુઓનું લોહી રેડાયું. મુઘલ સેનાએ ખુન્નસમાં સનેધુ અને આસ-પાસના ગામડાં કે જ્યાંથી સૂર્યવંશી ક્ષત્રિયો આવ્યા હતા તે દરેક ગામે જઈને આખેઆખા ગામોમાં માનવ,પશુ સહિત બધી જ સાધન-સંપત્તિનો સંપૂર્ણ વિનાશ કર્યો. 

આ ઘટનાના માત્ર ૧૫ જ દિવસ બાદ કે જયારે મુઘલ સેના હજી પાછી બેઠી થઇ રહી હતી ત્યારે હંસવરના મહારાજ રણવિજય સિંહે માત્ર ૨૫,૦૦૦ સૈનિકો સાથે ફરી હુમલો કર્યો. ૧૦ દિવસ સુધી ચાલેલ આ છાપામાર યુદ્ધ અને આ ૨૫,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી ય સફળતા ના મળી. રાણી જયરાજ કુમારી કે જે સ્વર્ગસ્થ રાજા રણવિજય સિંહની પત્ની હતા તેમણે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો. રાણીના ગુરુજી સ્વામી મહેશ્વારાનન્દજીએ તેમને પૂરો ટેકો આપ્યો. તેમણે ૨૪,૦૦૦ સન્યાસીઓને લડવા માટે ઉભા કર્યા.  ૩૦૦૦ સ્ત્રી સૈનિકોની સાથે કુલ ૨૭,૦૦૦ હિન્દુઓએ ખૂબ લડત આપી અને ૧૦ છાપામાર યુધ્ધો પછી પહેલી સફળતા મળી. [બોલો જય શ્રી રામ.] 
૩,૦૦,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી કે જેમાં વીરાંગનાઓ પણ લડી હતી અયોધ્યા ફરી એક વખત હિન્દુઓના કબજામાં આવ્યું.

જોકે આ બહુ જ અલ્પકાળ માટે રહ્યું કારણકે લગભગ મહિના પછી હુમાયુ એ ફરી દિલ્હીથી સેના મોકલી. સ્વામી મહેશ્વરાનંદજી બાદ સ્વામી બલરામચારીજી એ યુદ્ધનું નેતૃત્વ સંભાળ્યું. હવે પછીના યુદ્ધોથી થોડા થોડા સમયે અયોધ્યા પર અધિકારમાં ફેર-બદલ થવા માંડી. થોડો સમય હિંદુઓ પાસે અધિકાર આવતો, ફરી પાછા મુઘલ જીતે તો તેમનો અધિકાર સ્થાપિત થઇ જતો. 
હવે હુમાયુના દીકરા અને બાબરના પૌત્ર અકબરનો સમય આવ્યો. અકબર સમજુ હતો અને તે પિતા અને દાદા વખતના ઈતિહાસથી સમજી ગયો હતો કે અયોધ્યા પર કાયમી અધિકાર રાખવો શક્ય નથી. તેને એ પણ સમજાઈ ગયું હતું કે આ વર્ષોથી ચાલતા લોહિયાળ યુદ્ધોથી મુઘલ સામ્રાજય નબળું થઇ ગયું છે અને તેની તિજોરી ખાલી થઇ રહી છે. આથી રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ માનીને તેણે હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. 

અકબરના દરબારની અધિકૃત તવારીખ(ઈતિહાસ)  'આયને-અકબરી' માં સ્પષ્ટ લખેલું છે કે 

"હિન્દુઓના ૨૦ વાર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં લઈને અકબરે રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ મુજબ હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. અને હિન્દુઓને ત્યાં પૂજા કરવા દેવાનો અધિકાર આપ્યો છે." 


અકબરનું આ ફરમાન તેની પછીની ૨ પેઢીઓ એટલે કે દીકરો જહાંગીર અને પૌત્ર શાહજહાંએ પણ માન્ય રાખ્યું હતું. તેથી અકબર, જહાંગીર અને શાહજહાં આ ત્રણ પેઢીઓ એટલે કે અમુક દસકાના મુઘલ શાસન દરમ્યાન કૈંક અંશે શાંતિ ફરી આવી અને હિન્દુઓએ પોતાની આસ્થાના પ્રતિક અયોધ્યામાં દર્શનાર્થે આવવા-જવાનું ચાલુ રાખ્યું.

અકબરના પ્રપૌત્ર એટલે કે શાહજહાંના દીકરા ઔરંગઝેબના આવ્યા બાદ પરિસ્થતિ ફરી બગડી. તે તેના આગલા વંશજો જેવા કે બાબર જેવો કટ્ટર મુસલમાન હતો.

ખૂબ લાંબા લેખો એક બેઠકે લખવા અઘરાં છે ને કદાચ વાચકો માટે પણ "બૌ વધારે" પડતું થઇ જશે. બાકીનું ભાગ ૨મા..................

બાળપણમાં સમજ્યા વગર ત્યારનું પ્રચલિત સૂત્ર "મંદિર વહીં બનાયેંગે" ગણગણતા હતા, હવે મોટા થઈને ઈતિહાસ, વિજ્ઞાન અને ભૂગોળ બધું જ પૂરેપૂરું સમજયા પછી અને આ લખવા હેતુ વાંચી ના  શકાય એટલી હદે પીડા આપતો ઈતિહાસ વાંચ્યા પછી પૂરા વિશ્વાસ સાથે કહું છું  ભલે ને હાલના સંજોગો ગમે તેટલો સમયને બલિદાન માંગે, "મંદિર વહીં બનાયેંગે". કોઈના બાપની તાકાત હોય તો સનાતાનીઓને રોકી બતાવે.



આધાર-ભૂત માહિતી સ્ત્રોત : 
http://www.thehindu.com/news/national/other-states/The-ASI-Report-a-review/article16052925.ece

http://kavitakosh.org/kk/%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE_/_%E0%A4%87%E0%A4%95%E0%A4%BC%E0%A4%AC%E0%A4%BE%E0%A4%B2

http://sambhaavnews.com/gujarat/gmdc-ground-hindu-samelan-ram-mandir/

http://www.hvk.org/1998/0798/0017.html

http://sanatanprabhat.org/english/1304.html

http://indiafacts.org/ayodhya-time-build-rama-temple/

http://vhp.org/shriram-janmabhumi-mukti-andolan/mov1-shriram-janmabhumi-mukti-andolan/

https://www.myind.net/Home/viewArticle/institutionalized-slavery-muslim-regimes-and-indic-mercantile-complicity

http://online.wsj.com/public/resources/documents/AyodhyaFinalSeries.pdf

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...