Tuesday, December 26, 2017

પ્રેરક પ્રસંગ

આમ તો આ લેખ/ટૂચકો ગયા વર્ષે મૂકવો જોઈતો હતો પણ મોડો તો મોડો, જાણવા જેવો ખરો.

સને ૧૯૬૬માં લખનૌમાં કે. કે. કોલેજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS - Rashtriya Swayamsevak Sangh)ની ગ્રીષ્મ-પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્તરપ્રદેશમાંથી હજ્જારો સ્વયંસેવકો તેમાં ભાગ લેવા આવ્યા હતા.

સામૂહિક સ્નાનાગારમાં કેટલાક સ્વયંસેવકો પોતાના કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે સંઘના ટોચના નેતા પણ કપડાં ધોવા આવી પહોચ્યાં. જેવા પોતાના ધોતિયાને પાણીમાં પલાળી સાબુ ઘસવા લાગ્યા એટલે એક સ્વયંસેવક એમની પાસે પહોંચી ગયો. નેતાને વિનંતી કરતાં એ બોલ્યો : અમે હાજર હોઈએ ત્યારે આપના વસ્ત્રો આપ સ્વયં ધુઓ તો અમને બહુ જ દુઃખ થાય. લાવો આપના વસ્ત્રો હું ધોઈ આપું. આપની સેવા કરવાની મને તક આપો.

ધોતિયા પર સાબુ લગાવવાની ક્રિયા ચાલુ રાખી સ્મિત કરતાં નેતા બોલ્યા : " ભાઈ, વસ્ત્ર પર લાગેલો મેલ તો હરકોઈ માણસ માત્ર પાંચ જ મિનિટમાં ધોઈ નાખશે. પરંતુ રાષ્ટ્રનો મેલ ધોવાની હિંમત બધામાં નથી હોતી, કારણકે રાષ્ટ્ર પર લાગેલો મેલ ધોવા માટે તો જીવનભર ખૂંપી જવું પડે છે. મને આશા છે કે એ હિંમત અને ધૈર્ય તમારામાં છે."

આ વાત યુવાન હૈયે સોંસરવી ઊતરી ગઈ. એ સ્વયંસેવકે તેમજ એની સાથે વસ્ત્રો ધોઈ રહેલા એના મિત્રોએ એ પળે જ સામાજિક અને સાંસારિક બધી પ્રવૃતિઓ છોડી દઈ સંઘના આજીવન સક્રિય સભ્ય બની જઈ પોતાની જાતને સેવાકાર્યમાં ખર્ચી નાખવાનો દ્રઢ નિર્ધાર કર્યો.

 રાષ્ટ્ર પરનો મેલ ધોવાનો આદેશ આપનાર એ નેતા હતા પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાય.

સંઘને ચરણે જીવન ન્યોછાવર કરી દેનાર કાર્યકર્તા હતા જ્ઞાનેન્દ્ર, 'અજ્ઞાન'.


Saturday, November 18, 2017

પરમવીર ચક્રધારી મેજર સોમનાથ શર્મા

આ લેખ ઈન્ટરનેટ પર મૂકવાની પ્રેરણા મિત્ર શ્રી શૈલેશભાઈ પાંડેના પ્રોત્સાહનને આભારી છે. તેમની હરહમેંશની ઉક્તિ "बस इतना याद रहे, एक साथी और भी था" મન-મસ્તિષ્કમાં એવી તે આલેખાઈ ગઈ છે કે હવે તો કૈંક રાષ્ટ્રભક્તિને લાગતું એવું જે આપણી ગુજરાતી ભાષામાં ઈન્ટરનેટ પર ના ઉપલબ્ધ હોય એવું લખે જ છૂટકો...

શ્રી રવીન્દ્ર અંધારિયા લિખિત જનકલ્યાણ વર્ષ ૬૬, અંક ૧(એપ્રિલ ૨૦૧૬) માંથી સાભાર....


સૂરજે ડૂબતાં પહેલાં આકાશમાં કેસરનો છંટકાવ કરી દીધો હતો. મંદ મંદ પવન વહેતો હતો. મેજર શર્માએ આજની સાંજ મેજર તિવારીના નામ કરી દીધી હતી. મેજર કે. કે. તિવારી તેમના જીગરી દોસ્ત હતા. બંનેની પ્રથમ મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બર્મામાં રણમોરચે થયેલી. મેજર સોમનાથ હજુ તાજા તાજા જ લશ્કરમાં જોડાયા હતા. ૨૨ જાન્યુઆરી ૧૯૪૨માં તેઓ ૪ કુમાઉ રેજીમેન્ટમાં કમિશન્ડ ઓફિસર તરીકે જોડાયા હતા.તેમના સૈનિક જીવનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધથી થયેલી. માત્ર ૧૯ વર્ષની ઉંમરે (જન્મ કાંગડા, પંજાબ - ૩૧ જાન્યુઆરી ૧૯૨૩) તેઓ લશ્કરમાં જોડાયા. તેમના પિતા મેજર અમરનાથ શર્મા લશ્કરમાં ડોકટર હતા અને આર્મી મેડીકલ સર્વિસના ડાયરેક્ટર જનરલના પદેથી નિવૃત થયા હતા. બાળક સોમનાથ શાળા કક્ષાએ રમત-ગમત તથા સ્પર્ધાત્મક ખેલોમાં આગળ પડતાં વિદ્યાર્થી હતા. એટલું જ નહિ, મિલનસાર સ્વભાવને કારણે મિત્રવર્તુળમાં પણ લોકપ્રિય હતા. આજે તેઓ દિલ્હી સ્થિત મિત્ર મેજર તિવારીને ત્યાં હતા. પ્રારંભિક પરિચય તરત જ મિત્રતામાં પરિણમ્યો હતો. બંને વતનપરસ્ત હતા, નેક અને બહાદુર સૈનિક હતા, યુદ્ધ કુશળ સેનાપતિ હતા. મેજર તિવારી સાથેની આ દોસ્તી પારિવારિક સબંધમાં તબ્દીલ થઇ હતી. મેજર સોમનાથની નાની બહેન ડો. કમલાના લગ્ન મેજર તિવારી સાથે થયેલા. આજ બંને મિત્રો વાતે વળગ્યા હતા. સમય સર... સર.... સરી રહ્યો હતો. ઘડિયાળ ટક....ટક....કરી રહી હતી ત્યાં જ મેજર શર્માના નામે ઓર્ડર આવ્યો - તાત્કાલિક બડગામ (કસ્શ્મીરની ઉત્તર -પશ્ચિમી સરહદ પરનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યનું ગામ) મોરચે હાજર થાવ. ઓર્ડર મળતાં જ મેજર સોમનાથ શર્મા સટાક દઈને ઉભા થઇ ગયા..... વાતાવરણમાંથી જાણે પડઘો પડ્યો.

રજા ત્યારે દિલબર..... અમારી વાત થઇ પૂરી, અમારી વાત થઇ પૂરી.... ને જાણે રાત થઇ પૂરી....

મેજર તિવારી ઉભા થઈને મેજર શર્માનો જમણો હાથ પકડી બોલ્યા, 'આ સંજોગોમાં તારે.....ડાબા હાથમાં પ્લાસ્ટર છે (હોકી રમતાં રમતાં તેમનો ડાબો હાથ ભાંગી ગાયો હતો ને તે પ્લાસ્ટરમાં હતો.) એ કેમ ભૂલે છે. આ સ્થિતિમાં તું મોરચો કેવી રીતે સંભાળીશ?

મેજર શર્માને એજ ક્ષણે તેના મામા લેફ્ટનંટ કિશોરદત્ત વાસુદેવ ૪/૧૯ હૈદ્રાબાદી બટાલિયનનો પત્ર યાદ આવી ગાયો. - પૂજ્ય પિતાજી.... માતાજી, હું મારી જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યો છું. અહીં મૃત્યુનો અલબત્ત ડર લાગે છે, પરંતુ ભગવાન કૃષ્ણના વચન, 'આત્મા અમર છે' યાદ આવતા જ ડર જતો રહે છે. આ શરીર નાશ પામે તેનાથી શું ફરક પડવાનો છે? આવું લખીને હું આપને ભયભીત કરવા માંગતો નથી, બલકે આપને  વિશ્વાસ દેવા માંગું છું કે હું આ મોરચે મરીશ તો એક બહાદુર સિપાહીની જેમ મરીશ. મરતી વખતે મેં જાણ ગુમાવ્યો તેનું મને લગીરે દુઃખ નહિ હોય. પ્રભુ આપ સૌ પર તેમની અસીમ કૃપા વરસાવ્યા કરે...'
આ મામા તેમની બટાલિયનમાં મિકેનીકલ ટ્રાન્સપોર્ટ ઓફિસર હતા. અને તેમના વિષે એવી નોંધ છે કે તેઓ મલાયામાં જાપાનીઓ વિરુદ્ધ લડતા હતા. અને ગુમ થયા છે અથવા સંભવતઃ શહીદ થઇ ગયા છે. તેમની પ્રેરણાથી જ તેમણે ફૌજી જિંદગી સ્વીકારી હતી. તેથી જ તે જુસ્સાથી બોલ્યા, " દોસ્ત તિવારીજી ! આ હાથની ફિકર નથી કે નથી ફિકર આ શરીરની..... ફિકર છે તો માદરેવતનની.... તેની આણ, બાન અને શાનની.... બુલાવા આયા હૈ બસ.... ભગવાનની મરજી હશે તો ફરી મળીશું....અલવિદા દોસ્ત.. આટલું બોલી તે ઘર તરફ જવા પાછા ફર્યા ત્યાં મેજર તિવારીએ તેમને અટકાવતાં કહ્યું, "દોસ્ત ! હું પણ એક ફૌજી છું, તારી દેશદાઝને નમન કરું છું. પણ જતાં જતાં મારી એક ઈચ્છાને માન આપીશ?"

'કેમ નહિ? જરૂર....... જરૂર......'  મેજર શર્મા એ હા ભણી.

 'તો દોસ્ત! આપણી દોસ્તીની એક યાદ રૂપે તને જે ગમે તે લઇ શકે છે.'  મેજર તિવારીએ લાગણીસભર આવાજમાં કહ્યું. આમેય ફૌજી જ સમજી શકે કે યુદ્ધનો મોરચો એટલે મોતનો પર્યાય. ત્યાં ગયેલા પરત આવે કે નાં પણ આવે....એ અંગે કશું કહી શકાય નહિ. એટલે આજ નો લ્હાવો લીજીએ રે....કાલ કોણે દીઠી. મેજર શર્માએ ઓરડામાં પડેલી ચીજ-વસ્તુઓ પર નજર ફેરવી.તેમણે જર્મન બનાવટની ઓટોમેટીક પિસ્તોલ ઉઠાવી. તિવારીજી ને ક્ષણ માટે તો ધ્રાસ્કો પડ્યો. તે તેમની બહુ ગમતી પિસ્તોલ હતી.તેમ છતાં તેમણે દોસ્તીની નિશાનીરૂપે પ્રેમપૂર્વક આપી દીધી. મેજર શર્માએ પણ જીવનપર્યંત જીગરી દોસ્તની આ નિશાનીને ગળે વળગાડી રાખેલ. આ વાતની સાક્ષી હતી બડગામના મોરચે શહાદતને વરેલા મેજર સોમનાથ શર્માનું શબ. મૃત્યુ પછી જયારે તેમનું શબ મળ્યું ત્યારે પણ એ પિસ્તોલનું ચામડાનું કવર તેમની છાતીએ વળગેલું હતું, પરંતુ તેમાંથી પિસ્તોલ ગાયબ થઇ ગઈ હતી. [સંભવતઃ પાકિસ્તાની પિશાચો લઇ ગયા હશે]

વાત એમ હતી કે અંગ્રેજોએ દેશ છોડતી વખતે ૩જી જૂને ૧૯૪૭ના દિવસે ભારત-પાકીસ્તાનના વિભાજનનો નિર્ણય જાહેર કર્યો. ત્યારે દેશમાં પાંચસોથી વધુ દેશી રજવાડા હતા. તે પૈકીના મોટા ભાગના એ ભારત સંઘમાં વિલીન થવાનું અને અમુકે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કર્યું. એ સમયે કાશ્મીરે નેપાળ અને ભૂતાનની જેમ સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો. પરંતુ પાકિસ્તાનનો ડોળો તો કાશ્મીર પર હતો જ. તે તેને હડપ કરવાની મુરાદ ધરાવતું હતું. તેથી પ્રથમ તેણે અનાજ, તેલ, ઇંધણ તથા મીઠાનો પુરવઠો બંધ કર્યો. પરિણામે કાશ્મીર રાજ્યની પરેશાની વધી ગઈ. તેથી પાકિસ્તાન સાથેના તેના સબંધો વણસ્યા. એ દરમ્યાન પાકિસ્તાને ઉત્તર પશ્ચિમી સરહદો પરથી ક્બીલીઓને સૈન્યની તાલીમ આપી, ભૂતપૂર્વ સૈનિકોની ભરતી કરી અને વર્તમાન સેનાના માર્ગદર્શન તેમ જ નેતૃત્વમાં ૨૦ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ કાશ્મીર ઉપર ચારે તરફથી હુમલા શરૂ કર્યા. કબીલીઓ 'લૂંટો અને બળાત્કાર કરો' ની અસુર વૃતિથી પ્રેરાઈને શ્રીનગર પર હુમલો કરવા સડક માર્ગે આગળ વધ્યા. તેઓ પૂરતી તૈયારી સાથે અને યુદ્ધ સામગ્રી [દારૂગોળો, હથિયારો વગેરે ] લઈને  સજ્જ થઈને આવેલા. કાશ્મીરી સૈન્ય મુકાબલો ના કરી શક્યું. ડોમલ અને મુજ્જ્ફરબાદનું પતન થતાં રાજા હરિસિંહ ધ્રુજી ગયા. તેમણે ભારત પાસે મદદની માંગણી કરી તો સરદાર પટેલના શબ્દોમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, " તમે જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ અંગે સ્પષ્ટ નિર્ણય જણાવો એ પછી જ મદદ વિશે વિચારાય." આવા સંજોગોમાં મહારાજ હરીસિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારતમાં જોડાવા અંગે દિલ્હી જાણ કરી અને દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને હવાઈ માર્ગે તરત જ  કાશ્મીર સરહદે ભારતીય લશ્કર મોકલવાનો નિર્ણય થયો.૨૭મી ઓક્ટોબરે સવારે ૯:૩૦ કલાકે શ્રીનગર વિમાનમથકે ભારતીય લશ્કરની પહેલી ટુકડી ઉતરી ને લડાઈ શરૂ થઇ.


૩જી નવેમ્બરે કુમાઉ રેજીમેન્ટની ચોથી બટાલિયનના લગભગ સો સૈનિકોને લઈને મેજર શર્મા બડગામ પહોચ્યા. બડગામની દક્ષિણે એક ઊંચા ટેકરા પર તેમણે પાક્કી ચોકી બનાવી દીધી. આ મોરચો વ્યૂહાત્મક દ્રષ્ટિએ અગત્યનો હતો. ત્યાંથી શ્રીનગર માત્ર ૮ કિલોમીટર દૂર હતું. તેની નજીક જ વાયુસેનાનું મથક હતું. એટલે જો બડગામ પર દુશ્મનનો કબજો થઇ જાય તો વિમાનમથક અને શ્રીનગર ગુમાવવાનું જોખમ વધી જાય એ સ્વાભાવિક હતું. તેથી બડ્ગામનો મોરચો જાળવી રાખી દુશ્મનને અટકાવવો અતિ-આવશ્યક હતું. તેથી જ મેજર સોમનાથને આ મોરચો સોંપવામાં આવ્યો હતો. મેજર શર્મા એક બહાદુર અને અનુભવી સેનાપતિ તરીકે ખ્યાત થઇ ગયેલા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેમને ૧૯ વર્ષની વયે જાપાનીઓ સામે લડવા માટે અરાકાન અને બર્માના મોરચે મોકલવામાં આવેલા. ત્યાં તેમણે ભીષણ લડાઈ લડેલી અને તે દરમ્યાન એક ઘાયલ સૈનિકને પોતાના ખભે નાખીને ગોળીઓની રમઝટ વચ્ચેથી હેમખેમ બહાર નીકળીને સૈનિકને બચાવી લીધો હતો. આ સાહસ અને બહાદુરી માટે તેમનું નામ 'મેન્શન એન્ડ ડીસ્પેચીઝ'માં નોંધવામાં આવેલું. મેજર સોમનાથ શર્માને બડગામનો મોરચો સંભાળ્યો ત્યારે તે ક્ષેત્રમાં દુશ્મનોની કોઈ હરકત-હાજરીના સંકેતો જોવા ના મળ્યા. હાં... કેટલાક સ્થાનિક કબાઈલીઓ ખાઈમાં લપાતા-છુપાતા હોય એવું તેમને લાગ્યું. પણ સ્થાનિક રહેવાસીઓ જાણે પોતાની સલામતી માટે ખાઈમાં ભરાતા હશે તેવું તેમણે માન્યું. તેમેણે પોતાના ઉપરી અધિકારી બ્રિગેડીયર એલ. પી. સેનને સબસલામતનો રીપોર્ટ કર્યો.

બરાબર એજ સમયે નાગરિક વેશમાં છુપાયેલા કબાઈલીઓ તથા પાકિસ્તાની સૈનિકોએ બડગામ છાવણી પર જોરદાર હુમલો કર્યો. કબાઈલીઓ, ભૂતપૂર્વ સૈનિકો તેમજ સેવારત સૈનિકોના લીધે પાકિસ્તાન પાસે સંખ્યા-બળ ઘણું વધારે હતું. આવા અચાનક જોરદાર હુમલાથી સૈનિકો ક્ષણભર માટે તો ડઘાઈ ગયા. શરૂઆતમાં આપણા ઘણાં સૈનિકો ટપા-ટપ મરવા લાગ્યા. સો સૈનિકોએ સાતસો સામે બાથ ભીડી હતી. મેજર શર્માએ ખુલ્લા મેદાનમાં મૃત્યુની ચિંતા-ફિકર છોડી આમ-તેમ દોડી-દોડીને બંકરોમાં ગોઠવાયેલા પોતાના સૈનિકોને હિંમત આપી અને ઈંટનો જવાબ પથ્થરથી દેવા આદેશ આપ્યો. ગોળીઓની રમઝટ બોલાઈ ગઈ, મોતની હોળી ખેલાણી, પરંતુ દુશ્મનની સંખ્યા વધુ હોવાથી આપણી ખુવારી વધતી જતી હતી. મેજર શર્માએ હેડક્વાટરને છેલ્લો સંદેશો મોકલ્યો. 'દુશ્મન અમારાથી માત્ર ૨૫ મીટર દૂર છે અને અમારી ઉપર બોમ-ગોળા અને ગોળીઓનો વરસાદ વરસી રહ્યો છે.' એટલે બ્રિગેડીયર સેનનો તરત જ સંદેશ મળ્યો કે પીછેહઠ કરો. પરતું મેજર શર્મા સુપેરે જાણતા હતા કે પીછેહઠનો અર્થ છે શ્રીનગર અને વિમાનમથક જતું કરવું. આવી હાર તેમને કે તેમના સાથીઓને મંજૂર ન હતી. તેથી તેમણે અંતિમ શ્વાસ સુધી લડી લેવાનો નિર્ણય કર્યો. અને સૌ કેસરિયા થઈને લડવા લાગ્યાં. ધમાસાણ યુદ્ધ ચાલ્યું. મેજર એક તૂટેલા હાથે પણ દોડાદોડી કરીને પોતાના સૈનિકોને માર્ગદર્શન આપતાં રહ્યા. કોઈ સૈનિક શહીદ થાય તો ક્યારેક પોતે લાઈટ મશીનગન સંભાળે તો ક્યારેક સૈનિકની બંદૂક માટે નવા મેગેઝીન લઈ આપે. એક હાથ તો પ્લાસ્ટરના લીધે નકામા જેવો હતો, તો પણ પ્લાસ્ટરની પરવાહ અને પીડાને ગણકાર્યા વગર તે દારૂગોળો ભરતા રહ્યા.... ભરતા રહ્યા.... એવામાં એક મોર્ટાર બોમ્બ બિલકુલ તેમની નજીક આવીને પડ્યો....ફૂટ્યો અને મેજરના શરીરના ફૂરચેફૂરચા ઊડી ગયા. છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના સૈનિકોનો જુસ્સો અને મનોબળ વધારવાનું ચાલું રાખેલું તેથી તેમના સૈનિકો બમણાં જોશથી લડવા લાગ્યા. ગેઝેટમાં નોંધ છે કે યુધ્ધને અંતે બડગામ છાવણી પર પહોંચેલા અધિઅરિઓએ દુશ્મનની લાશોના ઢગલે-ઢગલા જોયેલા.


માત્ર પચીસ વર્ષની યુવાવયે અવિવાહિત મેજર શર્માએ શહાદત વહોરી લીધી. મરીને પણતેમણે કાશ્મીર અને ભારત માટે અત્યંત મહત્વનું શ્રીનગર અને વાયુસેના મથક બચાવી લીધા. બીજી પલટન ના આવી ત્યાં સુધી દુશ્મનોને રોકી રાખ્યા. તેમના દાંત ખાટા કરી નાખ્યા, માં ભારતીના લાલની અપ્રતિમ શક્તિનો જે પરચો વીર શિવાજી મહારાજે મુઘલોને આપ્યો હતો તેજ તેમણે પણ પાકિસ્તાનીઓને આપ્યો. મેજર શર્માનું સાહસ અને બહાદુરી ભારતીય સૈન્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેમની આ શહાદતને બિરદાવવા તેમને 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત કરવામાં આવ્યો હતો. એ સમયે સૈન્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અંગ્રેજ સરકાર આ ક્રોસ આપતી હતી. કારણકે દેશ હજી તો સ્વતંત્ર થયો જ હતો, સન્માનચક્રની પરંપરા હજી શરૂ થઇ નહોતી. ઈ.સ. ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીથી વીર-મહાવીર સૈનિકોને તેમની સેવા બદલ ભારતીય સન્માન ચક્રોની પરંપરા શરૂ થઇ. પરમવીર ચક્ર સાર્વભૌમ ભારત દેશનું સર્વોચ્ચ પદક છે અને તે સૌપ્રથમ મેજર સોમનાથ શર્માને એનાયત કરવામાં આવેલો.

ગેઝેટ ઓફ ઇન્ડિયા નોટીફીકેશન # ૨ પ્રેસ -૫૦માં છપાયેલ તેમને અપાયેલ અંજલિ અત્રે પ્રસ્તુત છે.

सोमनाथ शर्मा की बहादुरी ओर रक्षा योजनाने उनके सिपाहियों को इतना होंसला दिया की अपने नायक के शहीद हो जाने के बावजूद वे सब छः घंटो तक डटें रहे और दुश्मनों का सामना करते रहे | सोमनाथने युध्ध्भूमिमें हिम्मत और बहादुरी की वह मिसाल कायम की है जो प्रायः भारतीय सेना के इतिहास में दुर्लभ है | सोमनाथने प्राण त्यजने के बस कुछ पल पहले ही ये ललकार की थी :

दुश्मन हम से केवल पचास गज की दूरी पर है, हमारी गिनती बहुत कम रह गई है | पर हम एक इंच भी पीछे नहीं हटेंगे और आखिरी गोली और आखिरी सैनिक तक डटें रहेंगे |

૧૯૯૦ના દૂર-દર્શનના કાર્યક્રમોના જમાનામાં પિતાજીએ આખા કુટુંબને સાથે બેસાડીને ચેતન આનંદ નિર્મિત પરમવીર ચક્ર શ્રેણીમાં શહીદ મેજર સોમનાથ શર્માનો પહેલો એપિસોડ દેખાડ્યો હતો તે આજે પણ યાદ છે. આ શ્રેણી હવે ફરી જોઈએ તો આંખના ખૂણાં ભીના થાય છે. સદનસીબે ઈન્ટરનેટના યુગમાં આ એપિસોડ યુ-ટ્યુબ પર ઉપલબ્ધ છે જે આવતી પેઢીને દેખાડી  શકાય.


Tuesday, September 19, 2017

The Foster Mother of the Human Race

It's been sometime since there has been a post in English on this blog. So here it is.....

Thanks to Stephen, founder of www.dairymoos.com for permissions to reproduce. His blog is very insightful source filled with informative articles on US Dairy industry. Below short post on his blog drew my attention because of one word : "Hindoo".

It is heartening to see that pioneers of the dairy industry in the USA, seven oceans apart, were well aware about the Hindu/Indian ways of life 125+ years ago. For the readers in India, W.D. Hoard referred below was an American politician, a newspaper editor, and the 16th Governor of the U.S. state of Wisconsin from 1889 to 1891. Not only Mr. Hoard was an informed human about world that was nearly not as connected as it is today. He was likely among the first few Americans who thought of cows as mothers before they become synonymous with primary meat source in the West.



**Taken from Hoards Dairyman**


125 years ago, W.D. Hoard, founder of one of the oldest and well known dairy magazines, penned a tribute to the dairy cow and recognized the dairy cow as being the foster mother of the human race when he wrote:


“The cow is the foster mother of the human race. From the time of the ancient Hindoo to this time have the thoughts of men turned to this kindly and beneficent creature as one of the chief sustaining forces of the human race”W.D. Hoard


As a dairyman, I think it would be appropriate to also recognize the contributions that these foster mothers have made to human society in this time when we are celebrating Mothers Day.

Saturday, September 2, 2017

અમદાવાદનું ગૌરવ, ડો. એચ.એલ.ત્રિવેદી.....

 કોઈ મને પૂછે કે ગુજરાતની કોઈ એવી વ્યક્તિનું નામ આપો જેમણે નોબેલ પારિતોષિક પામી શકાય તેવું કામ કર્યું હોય. તો હું તરત જ તેમને ડો. એચ.એલ.ત્રિવેદીનું નામ આપું. મેડિકલ સાયન્સ અને માનવ-સેવા એમ બન્ને ક્ષેત્રમાં તેમણે એવી અદભૂત કામગીરી કરી છે આ બે-બે ક્ષેત્રમાં તેમને નોબેલ મળી શકે.
આધુનિક ઋષિ કેવા હોય તે જોવું હોય તો ડો. એચ.એલ. ત્રિવેદીને મળવું પડે.


સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એ પછી તેમણે કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. નેફ્રેલોજિસ્ટ તરીકે તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું. તેમની પ્રેક્ટિસ એટલી ધીખતી ચાલતી હતી કે કેનેડાના સૌથી વધુ ટેક્ષ ભરનારી વ્યક્તિઓમાં ડો. એચ એલ ત્રિવેદીનું નામ આવતું હતું. તેમની આવક જાણીને રોલ્સ રોયસ કંપનીના માણસો તેમના ઘરે ગયા અને કહ્યું કે તમે આટલું સરસ કમાઓ છો તો અમારી ગાડી ખરીદો. જો કે ત્રિવેદી સાહેબે ના પાડી.
માનવતા અને વતન પ્રેમથી દોરવાઈને ત્રિવેદી સાહેબે પ્રતિષ્ઠા, પૈસો, વિશાળ ઘર, ધીખતી પ્રેક્ટિસ છોડી અને આવ્યા અમદાવાદ. તેઓ પોતાના વતનના ગરીબ અને જરૃરિયાતમંદ દરદીઓ માટે પોતાની સજ્જતા વાપરવા માગતા હતા.
તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાત સરકારમાં સંપર્ક કર્યો. કોઈ નવું અને મહાન કામ કરવું હોય તો મોટો ભોગ આપવો પડે છે. શરુઆતમાં તેમને ખાસ પ્રતિસાદ ન મળ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈ એક ખૂણામાં ઓછો વપરાતો રુમ અને વિભાગ તેમને ઓફિસ તરીકે આપવામાં આવ્યો. વિચાર તો કરો, વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ કે જે કેનેડા જેવા શહેરમાં મહેલ જેવું ઘર ધરાવતાે હતો, વર્ષે અબજો રુપિયા કમાતો હતો. તેને એક ખૂણો પકડાવી દેવામાં આવ્યો. જો કે ત્રિવેદી સાહેબ સમાજ સેવાનું વ્રત લઈને આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યમાં પક્ષીની વાત આવે છે. એ પક્ષી કહે છે કે હું તો ગાઈશ જ. ત્રિવેદી સાહેબનો સંકલ્પ મજબૂત હતો.
ગુજરાત સરકારે કહ્યું કે અમે આપને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. ત્રિવેદી સાહેબે એ કરી બતાવ્યું. સમગ્ર ભારતમાં ન હોય તેવી 400 બેડની કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે. 125 ડોક્ટરો સાથે 600નો સ્ટાફ છે. આખા ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ન થતી હોય તેવી કિડનીની સારવાર અહીં થાય છે. દર વર્ષે કિડનીના 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ત્રિવેદી સાહેબના આ ઈન્સ્ટિટ્યૂટનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર છે. 25-30 વર્ષમાં ડો. ત્રિવેદીના નેતૃત્વમાં 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) થયાં છે જે પોતે એક વિશ્વ વિક્રમ છે. હવે તો અહીં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 45-50 લાખ રુપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. જરુર પડે તો તેમાંય રાહત અપાય છે.
એચ એલ ત્રિવેદી સાહેબે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ દરદીઓના જીવનને સમર્પિત કરી છે. હજારો દરદીઓને તેમણે નવજીવન આપ્યું છે. જેમનું ગજવું ખાલી હોય અને હૃદય શ્રધ્ધાથી ભરેલું હોય તેવા ગરીબો અહીં આવે છે અને સાજા થઈને જાય છે. કેનેડા છોડીને અમદાવાદમાં આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબ 56 વર્ષના હતા. આજે 86 પૂરાં કરી રહ્યા છે. ત્રણ દાયકાની એક એક મિનિટ તેમણે દરદી નારાયણને સમર્પિત કરી છે.
***
કિડનીના રોગમાં ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ એ બે મહત્વની બાબતો છે. કોઈ બીજી વ્યક્તિની કિડની એક વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય એ પછી નવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કિડનીને સાચવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીને સાચવવા શરીરને ઢીલું અને નબળું પાડવું પડે. ડો. એચ એલ ત્રિવેદીએ આ સંદર્ભમાં જે ક્રાંતિકારી શોધ કરી છે તે તેમને મેડિસીન વિષયના નોબેલ પારિતોષિકના દાવેદાર બનાવે છે. તેમણે સ્ટેમ સેલ થિયરીની શોધ કરી છે. આ શોધ પ્રમાણે દાતાની કિડનીને લેબોરેટરીમાં મૂકવામાં આવે છે અને દરદીના શરીરને અનુરુપ તૈયાર કરીને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ શોધને કારણે લાખો લોકોના જીવન બચ્યાં છે અને દવાઓનો અબજો રુપિયાનો બચાવ થઈ રહ્યો છે. (એવું કહેવાય છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી દવાઓની કંપનીઓને કારણે તેમને આ પારિતોષિક અપાતું નથી. બીજાં પણ કારણો હશે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ ગણાય છે.)
નોબેલ મળે કે ના મળે તેનાથી ત્રિવેદી સાહેબની કામગીરીનું મૂલ્ય ઓછું થતું નથી. ત્રિવેદી સાહેબે માનવ પ્રત્યારોપણને લગતી એક યુનિવર્સિટી પણ ગુજરાત સરકાર પાસે શરુ કરાવી છે. આ એક વૈશ્વિક મહત્વની ઘટના છે. માનવ પ્રત્યારોપણને લગતી મેડિકલ સારવારના તજજ્ઞો તૈયાર થાય તે અત્યંત જરુરી છે. 2 વર્ષથી આ યુનિવર્સિટી કામ કરી રહી છે. નેફ્રો વિષયમાં નર્સીંગ સ્ટાફ મળતો નથી. અહીં એ કોર્સ પણ ચાલે છે. અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં કિડની ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે ત્યાં હવે યુનિવર્સિટી ચાલશે. ગુજરાત સરકારે કિડની હોસ્પિટલ માટે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 11 માળની ઈમારત તૈયાર કરી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ થોડા સમય પછી ત્યાં શિફ્ટ થશે.
***
ડો. એચ એલ ત્રિવેદી એટલે કરુણા. સંવેદના. માનવતા. પ્રેમ. તેમણે જે સેવા કાર્ય કર્યું છે તે અપૂર્વ અને ઐતિહાસિક છે. તેમના ધર્મપત્ની સુનિતાબહેન ખભેખભો મિલાવીને સતત તેમની સાથે રહ્યાં છે. એચ એલ ત્રિવેદીનાં માતાનું નામ શારદાબહેન હતું. સુનિતાબહેને પોતાના નામનું દાન કર્યુ અને શારદાને બદલે સુનિતા નામ રાખ્યું. ત્રિવેદી દંપતિને કોઈ સંતાન નથી અેમ તો કેમ કહેવાય ? દરદીરુપી કેટલાં બધાં સંતાનોને તેમણે સાચવ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, નવું જીવન આપ્યું.
***
જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજ નિવૃત્ત થઈને ત્રિવેદી સાહેબ સાથે જોડાયા. જે સંવેદના કૃતિઓમાં હતી તે સંવેદના અમલમાં લઈ આવ્યા. તેમના વિશે એક અલાયદો લેખ કરવો પડે. માધવ રામાનુજ પણ કિડની ઈન્સ્ટિટ્યૂટનું એક મહત્વનું અંગ કહી શકાય. તેમણે ડો. ત્રિવેદીના જીવન ઉપર રાગ-વૈરાગ્ય નામનું નાટક લખ્યું. આ નાટક કિડનીઓના દરદીઓ દ્વારા પણ ભજવાયું છે.
***
ડો. ત્રિવેદીનો જન્મદિવસ કિડની દરદી કલ્યાણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના ખ્યાતનામ કળાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, દયમંતિ બરડાઈ, ભીખુદાન ગઢવી, અભયસિંહ રાઠોડ, વિષ્ણુ પનારા, પ્રફુલ્લ દવે જેવા કળાકારો નિયમિત આ દિવસે ડાયરો યોજે છે. દરદીઓના કલ્યાણ માટે થતા આ ડાયરા માટે એક પણ કલાકાર એક પણ પૈસો લેતો નથી. ઓટો રીક્ષાના 20-25 રુપિયા પણ આ કળાકારો લેતા નથી. કળાકારોની આ સૌજન્યશીલતા અને સંવેદનાને પણ વંદન કરવા જોઈએ. મોરારી બાપુએ પણ કિડની હોસ્પિટલ માટે અમદાવાદમાં એક કથા કરી હતી. સારું કામ થતું હોય એટલે સૌને થાય કે અમે પણ યથાશક્તિ જોડે રહીએ. કશુંક કરીએ.
***
પોતાની 56 વર્ષની ઉંમરે કેનેડા છોડીને ભારત આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબની છાતી 56ની હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ હૃદય કરુણા અને માનવતાથી જરુર છલકાતું હશે. તેમની આંખમાં જે સ્વપ્ન હતું, હૃદયમાં જે સંકલ્પ હતો તે તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે. ત્રિવેદી સાહેબે ગુજરાત કે ભારતનું ગૌરવ નથી, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આપણને આખો ઈશ્વર જોવા મળતો નથી, પરંતુ તેના અંશો ત્રિવેદી સાહેબ જેવા ઋષિ પુરુષોમાં જોવા મળે છે.
જેમને બે-બે ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મળી શકે તેમ છે તેવા ડો. એચ.એલ.ત્રિવેદીનું જીવન-કાર્ય માનવતાને ઉજાળે તેવું અદ્દભૂત અને પ્રેરક છે.... જન્મદિવસે ડો. ત્રિવેદીને ખૂબ ખૂબ વંદન. ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયુ આપે.

Saturday, April 15, 2017

હનુમાન જયંતી

હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બધાં એ ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવી. આમ તો આ પોસ્ટ અગાઉથી લખવાની ઇચ્છા હતી પણ હશે, મોડું તો મોડું, લખીને વહેંચાય એટલે ઘણું.



આમ તો વૈષ્ણવ વાણિયા હોવાથી ઘરમાં પહેલેથી જ પુષ્ટિમાર્ગની રીત પ્રમાણે કૃષ્ણભક્તિ જોઈ અને જાણી છે. પણ નાનપણમાં અમુક પ્રસગો એવા બન્યા કે કુદરતી રીતે હનુમાનજી માટે આસ્થા થઇ. સૌથી પહેલું કારણ તે રામાનંદ સાગર રચિત રામાયણ કે જે અમારી પેઢીના દરેક બાળકે હોંશે હોંશે દર રવિવારની સવારે નાહી,ધોઈને પરવારીને ટીવી સામે સમૂહમાં ગોઠવાઈને દૂરદર્શન પર જોયું.એ તો જાણે આપણા સ્મરણપટ પર એવું જડાઈ ગયું છે કે જેમ શિલા પર કોતરેલો કોઈ લેખ. સાગરના મોજાં રૂપી કાળ કે નસીબની ગમે તેવી થપાટો તેને ભૂંસી ના શકે. એમાં સૌથી મજાની વાત એ છે કે Internet/Youtube ના આ જમાનામાં આ ટીવી શ્રેણીઓ ફરી ફરીને જોઈ શકાય છે. અને તે પણ નિશુલ્ક! ભગવાન રામાનંદ સાગર અને ઈન્ટરનેટની શોધમાં સહભાગી થયેલ દરેક જીવનું ભલું કરે.

બીજું કારણ તે સ્કૂલના ખાટા-મીઠાં અનુભવો. પિતાજીની મુંબઈ બદલી થઇ હોવાથી ત્યાં ભારત-ભરની મિશ્ર-પ્રજા જોડે રહેવા-ઉછરવાનો મોકો મળ્યો. ત્યારે ખ્યાલ આવી ગયેલો કે દાળ-ભાતીયાં અને ભીરુ ગુજરાતી વૈષ્ણવ બાળકો રમત-ગમતના મેદાનમાં ઠાકોર, દરબાર, રાજપૂત કે શીખ કે બિહાર/ઉત્તર પ્રદેશના ભૈય્યાઓના બાળકોનો મુકાબલો ના કરી શકે. અમુક "Bully kids" સામે અમે બિલ્લી kids  હતા એવું મને લાગતું. બધાં જ વૈષ્ણવ સરખાં હોય છે એવું કહેવાનો આશય નથી પણ મને તો એવું જણાયું હતું કે હું ને મારા પિતરાઈ ભાઈ-બહેનો આમાં 'ફીટ' નથી થતા. શારીરિક ક્ષમતાની ઊણપ બહુ કઠતી એટલે પછીદરેક હિન્દુના પહેલા (& All time favorite) એવા Superman Character હનુમાનજી જ યાદ આવે ને!

ત્રીજું તે દર-વર્ષે કાળી-ચૌદશના દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ શાહીબાગ નજીક કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા 'કેમ્પ'ના હનુમાનના દર્શન.ચોથું, દર શનિવારે મળતો પ્રિય નાળીયેરનો પ્રસાદ. બીજાંય કારણ હશે જેમ કે હિન્દી ચલચિત્રોમાં જોયેલું કે શક્તિ મેળવવા હનુમાનજીની ઉપાસના વગેરે. એટલે આમ ધીમે ધીમે કૃષ્ણભક્તિ સાથે સાથે હનુમાનભક્તિ શરૂ થઇ.

સ્વાભાવિક રીતે હનુમાન-ચાલીસાથી શરૂઆત થઇ. શરૂઆતમાં તો મમ્મી-પપ્પાએ ગોખાવેલું આખુંય પોપટની જેમ બોલી જતો. આજની તારીખેય રોકેટ-સ્પીડે પાઠ થઇ જાય! પણ મોટા થયાં પછી દરેક ચોપાઈનો અર્થ જાણવાની તાલાવેલી જાગી. હનુમાન-ચાલીસામાંથી જાણેલી ૨ રોચક વાતો મારે અહીં કરવી છે.
૧)
जुग सहस्त्र योजन पर भानु |
लील्यो ताहि मधुर फल जानू ||

આ ચોપાઈને ક્યારેય સમજવા પ્રયત્ન કર્યો છે? આજ ના whatsappના યુગમાં કદાચ તમે આના વિષે કોઈ forward દ્વારા જાણેલુંય હશે. પણ આ forwards માવઠાના મેઘ જેવા છે. ક્યારે આવીને જતાં રહે એની કોઈ ગેરંટી નહિં.એમનું કોઈ કાયમી સરનામું નહિ, એટલે જ મને બ્લોગ પસંદ છે કે આપણે માહિતી કાયમ માટે એક જગ્યાએ રાખી શકીએ.
लील्यो ताहि मधुर फल जानू

હનુમાનજી भानु -એટલે કે સૂર્યને મધુર ફળ માનીને તેને લેવા છલાંગ લગાવી એટલું તો બધાં જ સમજી જશે પણ તે ઉપરાંત આ ચોપાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આંકડામાં જણાવે છે તે ખબર છે?

આધુનિક ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને તેની ભ્રમણ-કક્ષા ગોળ નહિ પણ લંબગોળ છે. તેથી પૃથ્વીથી સૂર્યનું અંતર સમયની સાપેક્ષમાં સતત બદલાતું રહે છે. નીચેની આકૃતિથી સ્પષ્ટ ખ્યાલ આવશે.

દર વર્ષે જુલાઈ ૩ની આસપાસ આપણી પૃથ્વી સૂર્યથી સૌથી વધુ દૂર હોય છે. આશરે ૯૪,૫૫૫,૦૦૦ માઈલ એટલે કે ૧૫૨,૧૭૧,૫૨૨ કિલોમીટર!! તેવી જ રીતે જાન્યુઆરી ૩ની આસપાસ પૃથ્વી સૂર્યથી સૌથી વધુ નજીક હોય છે, ૯૧,૪૪૫,૦૦૦ માઈલ અથવા ૧૪૭,૧૬૬,૪૬૨ કિમી. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર ૯૨,૯૫૫,૮૦૭ માઈલ અથવા ૧૪૯,૫૯૭,૮૭૦ કિમી.

હવે આપણે તે ચોપાઈ જોઈએ. વેદિક ગણિત મુજબ,
 जुग - ૧ યુગ = ૧૨,૦૦૦
 सहस्त्र  - સહસ્ત્ર  = ૧,૦૦૦
योजन - યોજન  = ૮ માઈલ.

એટલે  ૧૨,૦૦૦ X ૧૦૦૦ X ૮ = ૯૬,૦૦૦,૦૦૦ માઈલ.  
૧ માઈલ = ૧.૬ કિમી. માટે કુલ થયા ૧૫૩,૬૦૦,૦૦૦ કિમી.

લો બોલો, ૪૦૦ વર્ષ પહેલાં૧૬મી સદીના શરૂઆતમાં તુલસીદાસ રચિત હનુમાન ચાલીસમાં વિજ્ઞાન/ગણિત ક્યાંથી આવ્યું? અને તે પણ એકદમ સટીક!? કારણકે હિંદુ/સનાતન ધર્મનો પાયો જ વિજ્ઞાન છે! જેણે ઊંડાણથી જાણવા મહેનત ના કરી એવાઓએ આપણા ધર્મને અંધ-શ્રદ્ધામાં ખપાવીને પોતાનાથી અળગો કરી દીધો.

૨)                                   अष्ट सिद्धि नौ निधि के दाता। 
                                      अस बर दीन्ह जानकी माता।। 

જે[હનુમાન જી] જાનકી માતા [સીતાજી]ના આશીર્વાદથી ભક્તોને अष्ट सिद्धि- આઠ સિધ્ધિઓ અને नौ निधि - નવ નિધિઓ પ્રદાન કરી શકે છે. ગુજરાતીમાં સમજ તો પડી ગઈ પણ આ આઠ સિધ્ધિઓ વળી કઈ? આ જાણવું હોય તો હિંદુ દર્શન શાસ્ત્ર વાંચવું પડે. અહી મને કૃષ્ણભક્તિ કામે લાગી અને ઘરમાં ISKCONમાંથી લીધેલા એક પુસ્તકમાંથી આનો ઉત્તર મળ્યો. આ આઠ સિદ્ધિઓ નીચે પ્રમાણે છે.

૧ - પરમાણુ (સૂક્ષ્મ અણુ)થી પણ નાના થઇ શકવાની વિદ્યા (અણીમા)
૨ - પર્વતથી પણ વધુ મોટા થઇ શકવાની વિદ્યા (ગુરૂમા)
૩ - હવાથી પણ વધુ હલકાં થઇ શકવાની વિદ્યા (લઘીમા)
૪ - સૌથી ભારે ધાતુ(ઓસ્મિયમ અને ઈરીડીયમ - Osmium and Iridium) કરતાં પણ વધુ ભારે થઇ જવાની વિદ્યા 
૫ - ઈચ્છા અનુસાર કોઈ પણ ભૌતિક સુખ પામી લેવું કે સર્જન કરવું. દા.ત. સૃષ્ટિનું સર્જન (ઈશત્વ)
૬ - પ્રભુની જેમ કોઈપણ જીવને પોતાના વશમાં કરવું.
૭ - સંપૂર્ણ બ્રહ્માંડમાં કોઈ પણ લોક (સ્વર્ગલોક, મૃત્યુલોક[આપણી પૃથ્વી] , પાતાળલોક વગેરે )માં મુક્તપણે વિચરવું/વિહરવું.
૮ - સ્વેચ્છાએ પસંદગીના સ્થળ/સમયે દેહત્યાગ કરવો અને પસંદગીની જગ્યાએ પુનર્જન્મ લેવો. 

મારો ઉદ્દેશ્ય તમને પણ રસ લેતાં કરવાનો છે. રસ પડ્યો હોય તો કદાચ હવે નવ નિધિઓ વિષે જાણવાની ઉત્સુકતા જાગી હશે. એટલે વધુ જાણવું હોય તો જાતે શોધ-ખોળ કરો! [અને બ્લોગ લખીને મને મોકલજો!]

જો તમને પણ હનુમાનજીમાં આસ્થા/પ્રેમ જાગે અને સરળ ઉપાસના શીખવી હોય તો નિમ્નલિખિત પદ્ધતિ સર શરૂઆત કરી શકો છો. આ માહિતી બદલ શાસ્ત્રીજી હિમાંશુભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર.લખેલું બધું જ શક્યના હોય તો વાંધો નહિ, થાય એટલું કરવું. હનુમાનજી હોય કે રાધાજી કે કોઈ પણ આરાધ્ય દેવ. પ્રભુ ભાવ જુએ છે, કેટલું કર્યું ને કેટલું ના કર્યું એનો કઈ હિસાબ નથી રાખતા.  

ઉપાસનાની સરળ રીતઃ
દરરોજ પ્રાતઃકર્મ પતાવી સ્નાન કરી હનુમાનજી ચાલીસાનો પાઠ કરવો. મંગળવાર તથા શનિવારે હનુમાનજીનું પૂજન કરી તેમના કપાળમાં સિંદૂર લગાવવું. તેમને જે ભક્ત સિંદૂર ચડાવે છે તે ભક્તના મનમાંથી ભયની લાગણી સદા માટે ચાલી જાય છે. શત્રુઓ ફાવતા નથી. તબિયત સારી રહે છે. દર શનિવાર તથા મંગળવારે આંકડાના મોટા ફૂલની માળા અવશ્ય ચડાવવી, તેમને પ્રસાદમાં બુંદી, સૂકો મેવો કોઇ ફળ કે મલિદો ચડાવી શકાય છે.
હનુમાનજીની તત્કાળ પ્રસન્નતા મેળવવા જે તે ભાવકે રાતના નવ પછી શનિવારે સો હનુમાન ચાલીસાના પાઠ કરવા. ૧૦૧ કે ૧૦૮ કરવા નહીં ફક્ત ૧૦૦ હનુમાન ચાલીસા કરવા કારણ કે હનુમાન ચાલીસામાં સ્વયં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે, જો શત બારપાઠ કરે કોઇ છૂટે હિ બંદિ મહાસુખ હોઇ. હનુમાન ચાલીસાને પોતાની જિંદગીભરનું પુણ્ય અર્પણ કરીને શ્રી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાને અપાર સિદ્ધિ અર્પણ કરી છે. પાઠ બને તો મોઢે કરવા. જેમને પાઠ મોઢે નથી તેવા ભક્તે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાના પાઠ કરવા. કારણ કે લાલ રંગમાં છપાયેલી હનુમાન ચાલીસાનું મહત્ત્વ વધારે છે. તે રંગ હનુમાનજીને ખૂબ પ્રિય છે. પાઠ બને તો લાલ પીતાંબર પહેરીને જ કરો. હા પાઠ કરવા બેસતી વખતે એક અખંડ દીપક સિંગતેલનો ચાલુ રાખવો. અગરબત્તી અખંડ રાખવી. કપાળે એક તિલક સિંદૂરનું કરવું. પાઠ પૂર્ણ થયેથી બને તો સુંદરકાંડનો એક પાઠ કરવો. પાઠ પૂર્ણ થયા પછી વડીલોને પગે લાગવું. તેમની આરતી કરવી. પ્રસાદ વહેંચવો. પાઠમાં બેસતાં પહેલાં ગણપતિ મહારાજને ૧૦૦ પાઠ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી. પાઠ દરમ્યાન ઇશારા કરવા નહીં, બોલવું નહીં.
હનુમાનજી વીર છે, વીર તથા ઉગ્ર દેવ દેવીની ઉપાસના રાત્રે નવ પછી કરવાનું શાસ્ત્રોકત વિધાન છે. રાતના નવ પછી વીર તથા ઉગ્ર દેવ દેવી પૃથ્વી પર વિચરણ કરતા હોય છે. જ્યાં તેમની સાધના ઉપાસના રાત્રે નવ પછી થતી હોય છે ત્યાં તેઓ તત્કાળ પહોંચી જઇ પ્રસન્નતા અનુભવે છે, તે ખુશ થતાં જ તેઓ જે તે ભક્તની મનની ઇચ્છા જાા તેને પૂર્ણ કરે છે.

                                           સાવધાની
મન, કર્મ, વચનથી પવિત્ર રહેવું, પારકી સ્ત્રીને હંમેશાં માતા કે બહેન કે દીકરીનાં સ્વરૂપે જોવાં, કોઇ સ્ત્રી માટે મનમાં કુભાવ લાવવો નહીં, બને તેટલું બ્રહ્મચર્ય પાળવું.

સમગ્ર ભારતમાં તમને ઠેર ઠેર શિવાલય અથવા હનુમાનજીનાં નાનાં-મોટાં મંદિરો જોવા મળશે. જેટલા શિવાલય હશે તેટલાં જ તેનાથી વત્તા કે ઓછા અંશે હનુમાનજીનાં પણ મંદિર જોવા મળે જ છે. હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. તેમની સાધના જો કોઇ મન, વચન, કર્મથી પવિત્ર રહીને કરે તો જે તે હનુમાનજી ઉપાસકનાં કઠિનમાં કઠિન કે ખૂબ ભયંકર કષ્ટ દૂર થાય છે. જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે તેવા શ્રીરામ ભક્ત હનુમાનજી છે. જેમ શંકરનું શિવાલય નંદિ વગરનું નથી હોતું તેમ શ્રીરામના રામજી મંદિરમાં હનુમાનજી મહારાજ અવશ્ય જોવા મળે છે.
હનુમાનજી, બળ, બુદ્ધિમાં સંપન્ન છે. તેઓ માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્યિક તત્વજ્ઞાન વગેરેનું ઊંડું જ્ઞાન ભગવાન સૂર્યદેવ પાસેથી શીખ્યા હતા. અર્થાત્ તેઓ શ્રી સૂર્યનારાયણના પ્રિય શિષ્ય છે.

જય શ્રી રામ. જય પવનપુત્ર હનુમાન.

આધાર-ભૂત માહિતી સ્ત્રોત :

http://www.sciencebehindindianculture.in/distance-between-sun-and-earth-is-mentioned-in-hanuman-chalisa/

http://sambhaavnews.com/aastha/hanumanji-3

http://scienceline.ucsb.edu/getkey.php?key=2687

Sunday, March 26, 2017

રામ જન્મભૂમિ વિષે આટલું જાણો.....ભાગ ૧

તમને ક્યારેય એવું થયું છે કે રાતના હળવું(ઓછું) ભોજન કર્યું હોય એટલે સવાર વહેલી પડે? મારી શરીર રચનામાં એવું કૈક છે. એટલે તો આજે વહેલો ઉઠીને આ પોસ્ટ લખવા બેઠો.
નિત્ય ઘરમાં પૂજા-પાઠ કરાતાં એવા અત્યંત ધાર્મિક કુટુંબ,મા-બાપના સાનિધ્યમાં ઉછર્યા એટલે પ્રભુ રામ અને રામ-મંદિરમાં આસ્થા તો બાળપણથી જ હતી. પણ તેની સાથે તેની સાથે જોડાયેલી વાતો અને ઈતિહાસ અંગે જાણવાની કૂતુહલતા કોલેજકાળમાં જાગી હતી. તે દરમ્યાન અહીં-તહીં વાંચીને માહિતી ભેગી કરી હતી. આજે હવે તેય ભૂલાઈ ગયું છે અને મારે દીકરાને (એમ કહો કે આવતી પેઢીને ) તે અંગે જણાવવું છે (Pass-down the knowledge orally). એટલે આપણા બધાના latest God એવા Google પર ગુજરાતીમાં "કોઈક" લેખ/બ્લોગ પોસ્ટ શોધવા બેઠો... તમેય પ્રયત્ન કરી જોજો, સાલું સમ ખાવા પૂરતું ય એક લેખ નહિ (સમાચાર પત્રોની links હતી એમાં કોઈજ ઐતિહાસિક માહિતી નઈ). દુઃખ થયું. આમ આપણું ગુજરાત એક રીતે ખૂબ જ ધાર્મિક લોકોનું રાજ્ય ગણાય છે. અહીં ધર્મને જે આસ્થાથી અને વિશ્વાસથી પાળવામાં આવે છે એનો આપણને બધાય ને ગર્વ છે. તો પછી આવું કેમ? તમને ખબર છે ૧૯૯૨માં રામ-જન્મભૂમિ ચળવળમાં રાજ્યના ૧૮,૦૦૦ ગામડાં પૈકી ૧૨,૦૦૦ ગામોથી રામ નામની ઇંટો અયોધ્યા મોકલવામાં આવી હતી. આટલી બધી આસ્થા પણ ઇતિહાસની સરખી માહિતી ના મળે online? એટલે આ પોસ્ટનો જન્મ થયો કે જેથી મારા જેવા બીજા વાલીઓ રામ-મંદિરના ઈતિહાસ વિષે બાળકોને જણાવી/શીખવી શકે.

માહિતી પૂરી પાડવા બદલ Hindupost.in ના લેખક ગરિમાબેનનો ખૂબ ખૂબ આભાર.

તો હવે આપણે આજના વિષય રામ-જન્મભૂમિ પર આવીએ.
ઈતિહાસ :
ઇસ ૧૮૬૨થી લઈને આજ સુધીમાં અયોધ્યામાં ૫ વાર ભૌગોલિક સંશોધનો અને સર્વેક્ષણો થયા છે.
( છેલ્લા ૩ જે સ્વતંત્ર ભારતમાં થયા તેમાં  દરેક વખતે ખોદકામ કરીને જૂના અવશેષોને કાઢીને તેનો વૈજ્ઞાનિક પધ્ધતિસર અભ્યાસ કરવામાં આવ્યો છે)

૧) Alexander E. Cunningham દ્વારા ૧૮૬૨-૬૩માં
૨) A. Fuhrer દ્વારા ૧૮૮૯-૯૧માં
૩) A.K. Narain (એ.કે. નારાયણ) ૧૯૬૯-૭૦માં
૪) પ્રોફેસર B.B. Lal (બી. બી. લાલ) કે જેમનો અહેવાલ/રિપોર્ટ સૌથી વધુ જાણીતો છે.
૫) ભારતીય પુરાતત્વ નિગમનો (Archeological Survey of India) ૨૦૦૩નો અહેવાલ.

આ બધાં અહેવાલોમાં અઢળક માહિતી છે અને તે બધાનો અહીં સમાવેશ કરવો શક્ય નથી પણ આટલું જાણો. આ પૈકી પ્રોફેસર લાલના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૧૯૯૨માં તોડવામાં આવેલા બાબરી મસ્જિદની નીચે રામ મંદિરના અવશેષો છે જેનું કાર્બન ડેટિંગ( Carbon Dating) પદ્ધતિથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે પથ્થરો અને મંદિરના સ્તંભો ૧૧મી સદીમાં હયાત એવા મંદિરના છે એમ સાબિત થઇ ચૂક્યું છે.





ASIના ડીરેક્ટર જનરલ રહી ચૂકેલા પ્રોફેસર લાલે નોંધ્યું છે કે અયોધ્યમાં કુલ ૧૪ જગ્યાઓ જેવી કે હનુમાન ગઢ, કૌશલ્યા ઘાટ, સુગ્રીવ ટીલો, રામ જન્મભૂમિ વગેરે જગ્યાએથી પુરાતન ખાતાએ અવશેષો એકઠા કર્યા હતા. હકીકતમાં અયોધ્યા એક માત્ર શહેર ન હતું. ASIના એક મોટા પ્રોજેક્ટ કે જેનું નામ "Archaeology of the Ramayana Sites" હતું તેના અંતર્ગત અયોધ્યામાં પણ સંશોધન થયું હતું. આ મોટા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશ-ભરમાં જેટલી પ્રચલિત રામાયણ આધારિત જગ્યાઓ છે તેના અંગે માહિતી ભેગી કરવાનો અને રામાયણને પ્રમાણિત કરવાનો હતો. [ જે સફળતાપૂર્વક પાર પડ્યો છે.]

આ બધી વાતો તો થઇ ૧૮-૧૯મી સદીની વાતો. ઇતિહાસમાં હજી થોડા પાછળ જઈએ.

હાલના પ્રખર ઇતિહાસકાર કોનરાડ એલ્સ્ત સહીત અન્ય ઇતિહાસકારોના મત મુજબ રામ-મંદિર સૌ પ્રથમ ૧૧૯૪-૧૨૦૦ની આજુ-બાજુ દીલ્હી સલ્તનતના શરૂઆતના દિવસો દરમ્યાન જમીન-દોસ્ત કરવામાં આવ્યું હતું. ૧૨૦૦થી લઈને ૧૫૦૦ સુધીના ઈતિહાસ વિષે ઓછી માહિતી મળે છે. [સંશોધનનો વિષય છે.]

 ઇસ ૧૫૨૬ માં જયારે બાબર પાણીપતના યુધ્ધમાં ઈબ્રાહીમ લોધીને હરાવીને તત્કાલીન લોધી સામ્રાજ્યનો અંત આણીને દિલ્હીની ગાદીએ બેઠો ત્યારે પવિત્ર એવી રામ-જન્મભૂમિ સિદ્ધ મહાત્મા શ્યામાનંદજી મહારાજ હસ્તક હતી. મહારાજની સિદ્ધિઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફલાયેલી હતી. એક ખ્વાજા ફઝલ અબ્બાસ મૂસા તેમનાથી પ્રેરાઈને તેમની પાસે આવીને રહ્યા અને તેમના શિષ્ય બન્યા અને હિંદુ દર્શન તેમજ તત્વજ્ઞાન શીખ્યા. ધીમે ધીમે અબ્બાસ મૂસા પણ મહારાજના જાણીતા શિષ્ય તરીકે ઓળખવા લાગ્યા. તેમનાથી પ્રેરાઈને જલાલશાહ નામના એક ફકીર પણ આવીને શ્યામાનંદજીના શિષ્ય થયા. જોકે તેનો અયોધ્યા આવવાનો હેતુ કૈક અલગ હતો. તે કટ્ટર મુસલમાન હતો અને ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર તેનું એકમાત્ર ધ્યેય હતું. તે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરાવીને અયોધ્યાને પૂર્વના મક્કા(Mecca of the East) તરીકે સ્થાપિત કરવાનું સ્વપન સેવતો હતો. તેણે ફઝલ મૂસાને ઇસ્લામના નામે ઉશ્કેર્યા અને પોતાના મનસૂબા જણાવ્યા અને સાથ આપવા હાકલ કરી. તેઓએ બાબરને મળીને પોતાના વિચાર રજૂ કર્યા અને તેની મંજૂરીથી હિન્દુઓને અપમાનિત કરવાના હેતુથી મુસલમાનો માટે રામ-જન્મભૂમિની નજીકમાં દફનાવવા માટે કબ્રસ્તાન ઉભું કર્યું.

તેના થોડા સમય બાદ બાબરે એક શાહી ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન બાબરના દરબારના અધિકૃત ઈતિહાસકારોએ લખેલા 'બાબરનામા'માં પ્રાપ્ય છે. [ લગભગ દરેક મુઘલ શાસકના સત્તાવાર 'નામા'ઓ (Official record) વાંચવા જેવા છે જેમાં તેઓએ પોતે જ હિંદુઓ પર કઈ હદ સુધી જુલમો અને અન્યાય કર્યા તેનું વિસ્તારથી અને વટથી વર્ણન કર્યું છે. ખાતરી સાથે કહું છું કે વાંચી નહિ શકો. ]

તારીખ ૬.૭.૧૯૨૪ના 'Modern Review' ના અંકમાં પ્રકાશિત એવા સ્વામી સત્યદેવ પરીવ્રાજ્કે લખેલા લેખમાં તેમણે બાબરના શાહી ફરમાનનું સૌ પ્રથમ વાર ભાષાંતરણ હિંદુઓ સમક્ષ મૂક્યું.

"જહાંપનાહ શહેનશાહે-હિંદ, બાદશાહ બાબર અને હઝરત જલાલ-શાહના આદેશથી, અયોધ્યા સ્થિત રામ-જન્મભૂમિનું મંદિર જમીનદોસ્ત કરવા તેમજ તેનાજ કાટમાળમાંથી મસ્જિદ ઉભી કરવામાં આવશે. હિન્દુસ્તાનના બીજા કોઈ પણ વિસ્તારમાંથી હિન્દુઓને અયોધ્યા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અયોધ્યા કે તેની આસપાસના વિસ્તારમાં કોઈ પણ હિંદુ જોવા મળશે તો તેના ઈરાદાઓ ઉપર વહેમ કરવામાં આવશે અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવશે"

બાબર અને મુઘલોને જાણ હતી કે રામ-મંદિર સંકુલને ધ્વસ્ત કરવું એ કઈ ખાવાના ખેલ નથી. તેમને ખ્યાલ હતો કે આમ કરવામાં આવશે તો હિન્દુસ્તાનની ગુલામ ને નબળી પ્રજા જીવ પર આવી જશે. એટલે જ પ્રજામાં ભય ફેલાવવા અને તેમની હિમ્મત ભાંગવા આવો આગોતરો ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો.

મહારાજ શ્યામાનંદજીને પોતાના શિષ્યોની કરતૂતોની જાણ થતાં ખૂબ દુઃખ થયું અને તેમણે રામ દરબારની મૂર્તિઓને સરયૂમાં પધરાવીને હિમાલય તરફ પ્રયાણ કર્યું.બાકીના પૂજારીઓ તેમ જ સેવકોએ ત્યાં જ રહીને મંદિરનું રક્ષણ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. જે સમયે આ બાબરનું ફરમાન બહાર પડયું  તેજ વખતે ભીટીના મહારાજા મેહતાબ સિંહ બદરી - નારાયણની યાત્રાએ નીકળેલા હતા. રસ્તે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમેને આ સમાચાર મળ્યા અને તેમણે પોતાની યાત્રા માંડી વાળીને અયોધ્યામાં જ રહીને પોતાની સેના સાથે અયોધ્યામાં રહેલા રામ-ભક્તો સાથે બાબરના સૈન્યનો સામનો કરવાનું નક્કી કર્યું. 

સર એલેકઝાંડર કનિંગહામે "લખનૌ ગેઝેટિયર"ના ૬૬માં અંકમાં ત્રીજા પાને નોંધ્યું છે કે ૧,૭૪,૦૦૦ રામ-ભક્તો અયોધ્યામાં પ્રતિકાર કરવા ભેગા થઇ ગયા હતા કે જેઓ છેલ્લી વારનું પોતાના મા-બાપ, પત્ની, બાળકો, બહેનો અને ભાઈ-ભાંડુંઓને મળીને કહીને આવ્યા કે આવતી પેઢીને કહેજો કે અમે મંદિરના રક્ષણ માટે હસતે મોંઢે મોતને વ્હાલું કર્યું હતું. તેઓએ કેસરિયા થઈને (મોત પાક્કું જ છે જાણીને) ૪,૫૦૦,૦૦૦ સૈનિકોની મીર બાંકીના નેતૃત્વ નીચેની વિશાળ મુઘલ સેનાનો પૂરા ૭૦ દિવસ સુધી ભયંકર સામનો કર્યો.  એક પણ હિંદુ સૈનિક વીરગાથાઓ કહેવા જીવતો ના રહ્યો. છેવટે મુઘલ તોપોએ આખાય મંદિર પરિસરનો વિનાશ કર્યો. મુખ્ય ચાર પૂજારીઓના માથાં ધડથી અલગ કરી દેવાયા. સાહેબ, હેમિલટને "બારાબંકી ગેઝેટિયર"માં નોંધ્યું છે કે જલાલશાહે હિન્દુઓના લોહીથી લાહોરથી મંગાવેલા પથ્થરોને રંગીને તેમાંથી નવી મસ્જિદ નિર્માણ કરી. હિન્દુઓની એ હદ સુધી ખાના-ખરાબી થઇકે અમુક વર્ષો સુધી તેઓ ઉભા થઇ શકવાની સ્થિતિમાં નહોતા. સામે પક્ષે પણ ખુવારી ઘણી હતી પણ તેઓ તોય દિલ્હીની ગાદી પર બેઠા હતા.

બાબરના પુત્ર હુમાયુના સમય દરમ્યાન હિન્દુઓએ ફરી પ્રયત્ન કર્યો. અયોધ્યાથી આશરે ૬ માઈલ દૂર એવા સનેધુ ગામે સ્થિત પંડિત દેવીદીન પાંડેએ આજુબાજુના સરાય, સીસીંડા, રાજેપુર વગેરે ગામોમાંથી ૯૦,૦૦૦ સૂર્યવંશી ક્ષત્રિયોની સેના તૈયાર કરી. તેમેણે ક્ષત્રિયોને તેમના પૂર્વજ એવા શ્રી રામ અને પોતાના પૂર્વજ એવા શ્રી મહર્ષિ ભારદ્વાજની આણ ખાતર ફરી મંદિરનો કબજો લેવા પ્રેરણા આપી. તેમણે ઓચિંતો અને જબરજસ્ત હુમલો કર્યો. અને ૫ દિવસના ભીષણ યુધ્ધમાં અયોધ્યામાં હાજર શાહી સેનાનો ખુરદો બોલાવી દીધો. પણ દિલ્હીથી આવેલી નવી સેનાઓ સામે તેઓ ટકી શક્યા નહિ. લોકવાયકા એવી છે કે પંડિત દેવીદીન ૭૦૦ સૈનિકો સામે ૩ કલાક સુધી એકલા ઝઝૂમ્યા હતા અને છેવટે તેમના જ અંગ-રક્ષકે તેમને માથે જોરથી ઈંટ મારી હતી અને માથું ફાટી ગયું હોવા છતાં તેમણે તલવારથી પોતાના અંગ-રક્ષકનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારે મીર બાંકી એ છુપાઈને તેમને ગોળી મારી. આમ યુધ્ધના છઠા દિવસે પંડિત દેવીદીને મીર બાંકીનો સામનો કર્યો અને પોતાના જ અંગ-રક્ષક્ની ગદ્દારીના લીધે વીરગતિ પામ્યા. તેમના ૯૦,૦૦૦ હિન્દુઓનું લોહી રેડાયું. મુઘલ સેનાએ ખુન્નસમાં સનેધુ અને આસ-પાસના ગામડાં કે જ્યાંથી સૂર્યવંશી ક્ષત્રિયો આવ્યા હતા તે દરેક ગામે જઈને આખેઆખા ગામોમાં માનવ,પશુ સહિત બધી જ સાધન-સંપત્તિનો સંપૂર્ણ વિનાશ કર્યો. 

આ ઘટનાના માત્ર ૧૫ જ દિવસ બાદ કે જયારે મુઘલ સેના હજી પાછી બેઠી થઇ રહી હતી ત્યારે હંસવરના મહારાજ રણવિજય સિંહે માત્ર ૨૫,૦૦૦ સૈનિકો સાથે ફરી હુમલો કર્યો. ૧૦ દિવસ સુધી ચાલેલ આ છાપામાર યુદ્ધ અને આ ૨૫,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી ય સફળતા ના મળી. રાણી જયરાજ કુમારી કે જે સ્વર્ગસ્થ રાજા રણવિજય સિંહની પત્ની હતા તેમણે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો. રાણીના ગુરુજી સ્વામી મહેશ્વારાનન્દજીએ તેમને પૂરો ટેકો આપ્યો. તેમણે ૨૪,૦૦૦ સન્યાસીઓને લડવા માટે ઉભા કર્યા.  ૩૦૦૦ સ્ત્રી સૈનિકોની સાથે કુલ ૨૭,૦૦૦ હિન્દુઓએ ખૂબ લડત આપી અને ૧૦ છાપામાર યુધ્ધો પછી પહેલી સફળતા મળી. [બોલો જય શ્રી રામ.] 
૩,૦૦,૦૦૦ હિન્દુઓના બલિદાન પછી કે જેમાં વીરાંગનાઓ પણ લડી હતી અયોધ્યા ફરી એક વખત હિન્દુઓના કબજામાં આવ્યું.

જોકે આ બહુ જ અલ્પકાળ માટે રહ્યું કારણકે લગભગ મહિના પછી હુમાયુ એ ફરી દિલ્હીથી સેના મોકલી. સ્વામી મહેશ્વરાનંદજી બાદ સ્વામી બલરામચારીજી એ યુદ્ધનું નેતૃત્વ સંભાળ્યું. હવે પછીના યુદ્ધોથી થોડા થોડા સમયે અયોધ્યા પર અધિકારમાં ફેર-બદલ થવા માંડી. થોડો સમય હિંદુઓ પાસે અધિકાર આવતો, ફરી પાછા મુઘલ જીતે તો તેમનો અધિકાર સ્થાપિત થઇ જતો. 
હવે હુમાયુના દીકરા અને બાબરના પૌત્ર અકબરનો સમય આવ્યો. અકબર સમજુ હતો અને તે પિતા અને દાદા વખતના ઈતિહાસથી સમજી ગયો હતો કે અયોધ્યા પર કાયમી અધિકાર રાખવો શક્ય નથી. તેને એ પણ સમજાઈ ગયું હતું કે આ વર્ષોથી ચાલતા લોહિયાળ યુદ્ધોથી મુઘલ સામ્રાજય નબળું થઇ ગયું છે અને તેની તિજોરી ખાલી થઇ રહી છે. આથી રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ માનીને તેણે હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. 

અકબરના દરબારની અધિકૃત તવારીખ(ઈતિહાસ)  'આયને-અકબરી' માં સ્પષ્ટ લખેલું છે કે 

"હિન્દુઓના ૨૦ વાર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં લઈને અકબરે રાજા ટોડરમલ અને રાજા બીરબલની સલાહ મુજબ હિન્દુઓને રામ જન્મભૂમિ સ્થાને અસ્થાયી ઓટલો બાંધીને તેના ઉપર નાની દેરી ચણીને તેમાં "રામ-લલ્લા" (બાળક-રામ)ની મૂર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપી. અને હિન્દુઓને ત્યાં પૂજા કરવા દેવાનો અધિકાર આપ્યો છે." 


અકબરનું આ ફરમાન તેની પછીની ૨ પેઢીઓ એટલે કે દીકરો જહાંગીર અને પૌત્ર શાહજહાંએ પણ માન્ય રાખ્યું હતું. તેથી અકબર, જહાંગીર અને શાહજહાં આ ત્રણ પેઢીઓ એટલે કે અમુક દસકાના મુઘલ શાસન દરમ્યાન કૈંક અંશે શાંતિ ફરી આવી અને હિન્દુઓએ પોતાની આસ્થાના પ્રતિક અયોધ્યામાં દર્શનાર્થે આવવા-જવાનું ચાલુ રાખ્યું.

અકબરના પ્રપૌત્ર એટલે કે શાહજહાંના દીકરા ઔરંગઝેબના આવ્યા બાદ પરિસ્થતિ ફરી બગડી. તે તેના આગલા વંશજો જેવા કે બાબર જેવો કટ્ટર મુસલમાન હતો.

ખૂબ લાંબા લેખો એક બેઠકે લખવા અઘરાં છે ને કદાચ વાચકો માટે પણ "બૌ વધારે" પડતું થઇ જશે. બાકીનું ભાગ ૨મા..................

બાળપણમાં સમજ્યા વગર ત્યારનું પ્રચલિત સૂત્ર "મંદિર વહીં બનાયેંગે" ગણગણતા હતા, હવે મોટા થઈને ઈતિહાસ, વિજ્ઞાન અને ભૂગોળ બધું જ પૂરેપૂરું સમજયા પછી અને આ લખવા હેતુ વાંચી ના  શકાય એટલી હદે પીડા આપતો ઈતિહાસ વાંચ્યા પછી પૂરા વિશ્વાસ સાથે કહું છું  ભલે ને હાલના સંજોગો ગમે તેટલો સમયને બલિદાન માંગે, "મંદિર વહીં બનાયેંગે". કોઈના બાપની તાકાત હોય તો સનાતાનીઓને રોકી બતાવે.



આધાર-ભૂત માહિતી સ્ત્રોત : 
http://www.thehindu.com/news/national/other-states/The-ASI-Report-a-review/article16052925.ece

http://kavitakosh.org/kk/%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE_/_%E0%A4%87%E0%A4%95%E0%A4%BC%E0%A4%AC%E0%A4%BE%E0%A4%B2

http://sambhaavnews.com/gujarat/gmdc-ground-hindu-samelan-ram-mandir/

http://www.hvk.org/1998/0798/0017.html

http://sanatanprabhat.org/english/1304.html

http://indiafacts.org/ayodhya-time-build-rama-temple/

http://vhp.org/shriram-janmabhumi-mukti-andolan/mov1-shriram-janmabhumi-mukti-andolan/

https://www.myind.net/Home/viewArticle/institutionalized-slavery-muslim-regimes-and-indic-mercantile-complicity

http://online.wsj.com/public/resources/documents/AyodhyaFinalSeries.pdf

Monday, January 23, 2017

અમેરીકન બ્રાહ્મણ



વાતની શરૂઆત ૧૮૪૯થી થાય છે. ડો. જેમ્સ બોલ્ટન ડેવીસ(James Bolton Davis) જે સાઉથ કેરોલીનાના ફેરફિલ્ડ કાઉન્ટીમાં સ્થિત હતા તેમને સૌ-પ્રથમ વાર અમેરિકાની ધરતી પર ભારતીય "ગાય" લાવવાનું શ્રેય જાય છે. એમ મનાય છે કે તેઓ જયારે તુર્કીના સુલતાનના ખેતીવાડી ખાતાના સલાહકાર હતા તે દરમ્યાન તેમણે ભારતીય ગૌ-વંશ અંગે માહિતી અને જ્ઞાન મેળવ્યું. ત્યાર બાદ દક્ષિણ અમેરિકાનું રાજ્ય લુઈઝીઆના. જે એ વખતે ૨,૫૦૦,૦૦૦ એકરમાં ફેલાયેલું જંગલી ઘાસ અને ફૂલોથી આચ્છાદિત પ્રદેશ હતો. આ વિશાળ પ્રદેશમાં સેન્ટ ફ્રાન્સિસ-વિલ નામે ખેતી-નિર્ભર એક નાનું ગામ. મિસીસિપી નદીના ખોળે પોતાના કપાસ, શેરડી અને નેસ માટે પ્રખ્યાત.

ત્યાં, તે દિવસે રીચાર્ડ બેરોને એક ખાસ અને અજુગતું કહી શકાય એવું, છેક ભારતથી નિર્યાત થયેલું એવું કૈક મળ્યું કે જે પહેલા આ દેશમાં કોઈએ ક્યારેક નિહાળ્યું નહોતું. તે આશ્ચર્ય-ચકિત હતો, એમ કહો કે હત-પ્રભ હતો.  જયારે તેણે જોયું ત્યારે તેના આનંદનો કોઈ પાર નહોતો. એવું તે શું હતું એ? તેની સમક્ષ ભારતના બે મહાકાય આખલાઓ હતા. તેમને જોયા એજ ક્ષણે તે સમજી ગયો હતો કે આજથી તેનો સમય પલટાઈ જશે. એને માત્ર એ નહતી ખબર કે એનો નહિ આખાય અમેરિકન સમાજ સહીત દુનિયાનો સમય બદલાઈ જશે...

નાના એવા ગામમાં વાત વાયુ-વેગે પ્રસરી ગઈ. તે બે ભારતીય આખલાઓ વિશિષ્ટ હતા, કૈક અલગ હતા અહીના લોકો માટે. તેમને લાંબા કાન હતા અને જે પીઠ ઉપર ખૂંધ હતા તે તો કઈ નવું જ હતું. તે ઘડીએ, તે દિવસે "બોસ ઈન્ડીકસ"નું(BosIndicus) અમેરિકામાં આગમન થયું.

તે વખતની જાલિમ બ્રિટીશ હકૂમતે મિ. બેરોને ભારતીય આખલા ભેટ આપ્યા હતા. મિ. બેરોએ બ્રિટીશ અધિકારીઓને કપાસ અને શેરડી અંગે ખાસ શિક્ષણ આપ્યું હતું, તેના વળતર રૂપે તેમને આ ભેટ મોકલવામાં આવી હતી.

આ એ કાળ હતો જયારે યાંત્રિક યુગની, ઓદ્યોગીકરણની શરૂઆત માત્ર હતી. અમેરિકા પોતાના ગુલામ/વેઠિયા-મજૂરોની કાળી મજૂરીના ટેકે વર્ષોથી બ્રિટીશરોને કપાસ પૂરું પાડતો હતો. ભારત તે વખતે કપાસના કાચા માલ માટે પહેલાં જેવો આકર્ષક સ્ત્રોત રહ્યો નહોતો. જેના લીધે અમેરિકાના લાંબા-રેસા વાળા કપાસને ધ્યાનમાં રાખીને વણાટના યંત્રો/ઓજારો વિકસાવવામાં આવ્યા હતા. બ્રિટીશ અધિકારીઓ આ લાંબા-રેસા વાળું કપાસ ભારતમાં ઉગાડવા માટેની જરૂરી પધ્ધત શીખવા અમેરિકા આવેલ હતા. આ આખલાઓ આ જ ઉપકારના વળતર રૂપે ભેટ અપાયા હતા.

ઉત્તર અમેરિકા પાસે ક્યારેય પોતાની કહી શકાય એવા કોઈ ઢોર/ગાયની પ્રજાતિ હતી નહિ. અહી સૌથી પહેલા યુરોપથી સ્થળાંતર કરીને આવેલા સ્પેન અને ઇંગ્લેન્ડના વસાહતી લોકો પોતાની સાથે પશુઓ લઈને આવ્યા હતા. આ ગાયો હતી બોસ-ટોરસ (Bos Taurus), યુરોપિયન પ્રજાતિની.

બોસ ઇન્ડીકસ અથવા ઝેબુ(Zebu) તરીકે ઓળખાતી આપણી ગુજરાતી/ભારતીય ગાયો  ખડતલતા,પ્રજનનક્ષમતા/ફળદ્રુપતાના ગુણોવાળી અને ગમે એવી કઠોર આબોહવામાં ગુજારો કરવાનું સામર્થ્ય ધરાવતી હતી. તદ્દ-ઉપરાંત તેઓ ગરમી સહન કરવાની આવડત અને માખી/મચ્છર/જીવ-જંતુ વિરુદ્ધની ગજબનાક રોગપ્રતિકાર-ક્ષમતા માટે જાણીતી હતી.

અમેરિકાના દક્ષિણ ભાગમાં જ્યાં ઘણે અંશે ગુજરાત જેવું શુષ્ક અને ગરમ વાતાવરણ હોય છે ત્યાં આપણી ગાયોએ કાઠું કાઢ્યું અને જોત-જોતામાં તો આ ભાઈ મિ. બેરો પાસે હૃષ્ટ-પુષ્ટ અને એકદમ સ્વસ્થ પશુ ધન થઇ ગયું. એ આજુ-બાજુના અન્ય પશુ-પાલકોની આંખમાં કણાની જેમ ખૂંચવા માંડ્યો.

માત્ર ૬ જ વર્ષના ગાળા બાદ ન્યૂ ઓરલીન્સના પશુ બજારોમાં બોસ ઇન્ડીકસ લોકોમાં "લુઈઝીઆનાના લાંબા કાન વાળી ગાયો" તરીકે જાણીતા થઇ ગયા. 

અમેરિકાના પશુ બજારોમાંઆપણા દેશી આખલાના વંશમાંથી ઉદભવેલી ગાયોની માંગ વધતી ચાલી. મિ. બેરોની સફળતાને ધ્યાનમાં લઈને ૧૮૮૫માં જે. એમ. ફ્રોસ્ટ(J. M. Frost) અને આલ્બર્ટ મોન્ટગોમરી(Albert Montgomery)એ હ્યુસ્ટન ટેકસાસમાં બીજા બે ભારતીય આખલાઓ આયાત કર્યા. હવે તો સરકસના નામે ભારતીય ગૌ-ઘન, પશુ-ધનની આયાત ચાલુ થઇ ગઈ. એક જાણીતા સોદામાં "પ્રિન્સ" નામનો લાલ છાંટની રૂવાંટી વાળો ભારતીય આખલો વિક્ટોરિયા,ટેક્સાસના એ.એમ. મેક્ફદ્દીને (A.M. McFaddin) ૧૯૦૪માં "હેગનબાક પશુ-પ્રદશન"(Haggenbach Animal Show) વાળાઓ પાસેથી  વેચાતો લીધો. આજ પશુ-પ્રદર્શન વાળાઓએ બીજા ૧૨ ભારતીય પશુઓ ડો. વિલિયમ જેકોબ (Dr. William States Jacobs) ને હ્યુસ્ટનમાં વેચ્યા હતા. ૧૯૦૫ અને ૧૯૦૬માં પીઅર્સ, ટેક્સાસ ખાતે આવેલા પીઅર્સ નેસના કર્તા-હર્તા એવા  એબલ પી. બોર્ડને,(Able P Borden) વિક્ટોરિયા,ટેક્સાસના થોમસ. એમ. કોન્નોર(Thomas M. O'Connor) ની સહાયતાથી ૩૦ ભારતીય વંશના આખલા અને ૩૦ જુદી જુદી પ્રજાતિની ગાયો આયાત કરી.

1923-૨૪માં "ગુજરાત", "ગીર" અને "નેલોર" વંશના ૯૦ આખલા બ્રાઝીલથી આયાત કરવામાં આવ્યા. ૧૯૨૫માં બીજા ૧૨૦ આખલા અને ૧૮ ગાયો આ ધરતી પર આવ્યા. આ બંને જૂથ પહેલા બ્રાઝીલથી મેક્સિકો જહાજ મારફતે લવાયા અને મેક્સિકોથી જમીન-માર્ગે અમેરિકાના ટેક્સાસ રાજ્ય સુધી પહોંચ્યા. આ મુખ્ય ત્રણ પ્રજાતિ અને આંધ્ર-પ્રદેશથી લાવવામાં આવેલી "ઓન્ગોળ" (હાલના પ્રરકાસમ જીલ્લામાં સ્થિત) જાતિ એમ ૪ જાતિઓના સંવર્ધન અને પ્રજનન દ્વારા ઉત્પન્ન કરાયેલી પહેલી સંકર જાતિ અને અમેરિકન ગાય  તે "અમેરીકન બ્રાહ્મણ".... સાંભળીને "ના હોય!!" નો ભાવ પ્રગટ થયો હોય તો વાંધો નહિ, મનેય થયો. એટલે જ તો અડધી રાતે બે વાગે  આ પોસ્ટ લખવા બેઠો. (કાલે ઓફિસમાં મીટીંગમાં બગાસાં પાક્કા!)

આ અમેરિકન બ્રાહ્મણ ગાયોનો આજે એક પ્રકારનો દુનિયાભરમાં દબદબો છે, જે ખૂબજ અનિચ્છીત પ્રકારનો છે. વિગતો જાણશો તો મારી જેમ કાપો તોય લોહી ના નીકળે એવી દશા થશે. કઈ વાંધો નહિ,ચાર જણ જાણેને કદાચ કોઈ  મારા જેવા વિશ્વના ખૂણે-ખૂણે  રહેલા ગૌ-માતા પ્રેમીઓ સંગઠિત થઈને આજે નહિ તો વર્ષ/દસક/સદી પછીય કૈક કરીને ગાયોને કતલખાને જતી બચાવી શકે એ આશાએ જ લખું છું...કારણકે આશા અમર છે.

 આજે દુનિયા ભરમાં આ મૂળ ભારતીય ગાયોની કૂખે અવતરેલી આ ગાયોની "અમેરિકન બ્રાહ્મણ" પ્રજાતિ "Beef" એટલે કે ગૌ-માંસના ઉત્પાદન માટે અવ્વલ નંબરની પ્રજાતિ ગણાય છે. આ અમેરિકન બ્રાહ્મણ પ્રજાતિ અહીંથી નિર્યાત થઈને કેટ-કેટલાય દેશોમાં કેટ-કેટલાય મોટા મોટા ઉદ્યોગ એકમોમાં માત્ર અને માત્ર માંસ ઉત્પાદન માટે જ  ઉછેરવામાં આવે છે. વધુ માહિતી જાણવામાં રસ હોય તો હ્યુસ્ટન સ્થિત "અમેરિકન બ્રાહમણ પશુપાલક મંડળ" (American Brahman Breeders Association)નો સંપર્ક કરી શકો છો...

માહિતી :
૧) http://www.ansi.okstate.edu/breeds/cattle/brahman/
૨) https://www.facebook.com/HinduismDeMystified/photos/a.855326181167027.1073741828.855304897835822/1449693995063573/?type=3&permPage=1

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...