Saturday, December 30, 2023

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલાદેવીના ત્યાં જન્મ્યા. કહેવાય છે કે ગુહીલોત એ પ્રભુ શ્રી રામના પુત્ર લવથી શરુ થયેલી વંશાવલિ છે. આજ ગુહીલોત વંશ આગળ જતાં સિસોદિયા વંશ તરીકે પ્રખ્યાત થયો અને આજની તારીખેય ઉદયપુરના રાજ પરિવારમાં તેમની 1400 વર્ષોથી ચાલી આવતી અખંડ વંશાવલિની માહિતી મળે છે. એકલિંગ મહાત્મ્ય અથવા એકલિંગ પુરાણમાંથી મળતી માહિતી પ્રમાણે નાગાદિત્યના ઈડરના ભીલો સાથેના યુદ્ધમાં મૃત્યુ બાદ કમલાદેવી માત્ર 3 વર્ષના કાલભોજને લઈને પોતાના વડનગરા(નાગર) જાતિના વંશજો પાસે જતી રહી. તેમના વંશજો ગુહીલોત કુળના રાજ પુરોહિત હતા. ભીલોના આતંકના લીધે તેમના કુળના બ્રાહ્મણ કાલભોજને લઈને મેવાડના જંગલોમાં ભીંડેર નામના સ્થાને સ્થળાંતર કર્યું. અહીં યદુ કુળના ભીલોએ તેમને સંરક્ષણ આપ્યું અને ભીલોના રાજા માંડલિકે તેમને રક્ષણ આપવા સાથે સાથે તેમને યુદ્ધ કળાઓ અને યુદ્ધ કૌશલ શીખવ્યું. બપ્પાના સમયમાં વિકસેલા આ ભીલો અને સિસોદિયા વંશના સબંધો આજે પણ અકબંધ છે.

સમય જતાં બપ્પાનો ઉછેર રાજ પુરોહિત કુળની એક બ્રાહ્મણ સ્ત્રીએ ઉદયપુરથી થોડે દૂર નાગદામાં કર્યો હતો જેણે તેમને ગાયો ચરાવવાનું અને તેમની કાળજી લેવાનું કામ સોંપ્યું હતું. બાપા રાવળ ગાયોને ચરાવતા હતા. તેમાંથી એક ગાય વધુ દૂધ આપતી હતી પરંતુ સાંજે ગાય જંગલમાંથી પાછી ફરતી હતી તો તેનાં આંચળમાં દૂધ રહેતું નહોતું. બપ્પા રાવળ આ રહસ્ય જાણવા ગાયની પાછળ જંગલમાં ગયા. તેમણે જોયું તો ગાય હારિત ઋષિના શિવલિંગ પર દુગ્ધાભિષેક કરતી હતી. તે પછી બપ્પા રાવળ હારિત ઋષિની સેવામાં લાગી ગયા. એમ કહેવાય છે કે હારિત ઋષિના આશીર્વાદથી તેઓ મેવાડના રાજા બન્યા. સંભવત: આ હારિત ઋષિની પ્રેરણાથી જ બપ્પા રાવળે અહીં એકલિંગજી મંદિર પણ બંધાવ્યું હતું. તેઓ ગુહિલૌત (કદાચ અત્યારે ગહલોત અટક આવે છે તે હોઈ શકે) વંશના આઠમા શાસક હતા. ગુહિલૌત પહેલાં ગુહિલ કહેવાતા હતા એવો ઉલ્લેખ પણ ક્યાંક ક્યાંક મળે છે. અને ગુહિલોત પોતાને પ્રારંભમાં બ્રાહ્મણ કહેવડાવતા હતા. (ડૉ. ભાંડારકરે લખ્યું છે કે ગુહિલૌત આનંદપુર(ગુજરાતનું હાલનું વડનગર)ના નાગર બ્રાહ્મણ હતા.- આર. સી. મજુમદાર, શિવસિંહ ચૌહાણ લિખિત શ્રેણ્ય યુગ ભારતીય જનતા કા ઇતિહાસ ઔર સંસ્કૃતિ પુસ્તકમાં આ નોંધ આપેલી છે.)
ઉદયપુર પર રાજ કરનારા ગુહિલૌત વંશના લોકો આસપાસનાં ક્ષેત્રો પર પણ રાજ કરી રહ્યા હતા. જયપુરથી ૨૬ માઈલ દૂર દક્ષિણમાં ચત્સુ નામના એક નગરમાં મળેલા એક અભિલેખથી આ વંશના આવા જ એક વ્યક્તિની જાણ થાય છે. ગુહિલૌતની આ શાખાની સ્થાપના સાતમી સદી કે છઠ્ઠી સદીના અંતમાં કોઈ ભતૃ પટ્ટ (કે ભટ્ટ?)એ કરી હતી. ઉક્ત પુસ્તક શ્રેણ્ય યુગ અનુસાર, આ અભિલેખ મુજબ, ભતૃ પટ્ટ પરશુરામ સમાન હતા, જેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેના ગુણો હતા. તે સમયે બલિ પ્રથા હતી. બાપા રાવળની શક્તિ વિશે એમ કથા છે કે તેઓ એક જ ઝાટકામાં બે ભેંસની બલિ આપી શકતા હતા. તેમનું વ્યક્તિત્વ વિશાળકાય હતું.

બપ્પાને માં ભવાનીએ સ્વપ્નમાં દર્શન દીધા અને તત્કાલીન સમયના શક્તિશાળી અને સાર્વભૌમ એવા ચિત્તોડના મોરી વંશના શાસકોને ત્યાં સેવા કરવા જોડાવાની પ્રેરણા આપી. બપ્પા ત્યારના શાસક મનમોરીને જઈને મળ્યા અને રાજાએ તેમને સ્વીકારીને અમુક વિસ્તાર આપીને સામંત તરીકે નીમ્યા. આ એજ સમય હતો જયારે ઇસ્લામી આક્રમણકારીઓએ પહેલીવાર સિંધુ નદી ઓળંગીને ભારતવર્ષમાં પગ મૂક્યો હતો. સન 712માં માત્ર 17 વર્ષની ઉંમરે ધર્મઝનૂની મહંમદ બિન કાસમે સિંધના બ્રાહ્મણ રાજા દાહિર ઉપર હુમલો કર્યો હતો. કાસમના શરૂઆતના આક્રમણો દાહિર અને એના પરાક્રમી ભાઈએ નિષ્ફળ કર્યા હતા. કમનસીબે સિંધ પ્રાંતના બુદ્ધને માનનારા લોકોએ દાહિર સાથે છેડો ફાડી કાસમનો સાથ આપ્યો. નેરૂનમાં બુદ્ધ સમાજના આગેવાન ભાંડારકર  સામાનીએ કાસમના લશ્કરને સિંધુ પર કરવામાં મદદ કરી, એટલું જ નહિ તેણે  તેના લશ્કરને જરૂરી ખોરાક-પાણી પુરવઠો પૂરો પાડ્યો. આ ગદ્દારી/દગાબાજીના લીધે દાહિર અરોરના યુદ્ધમાં હાર્યા અને કાસમે તેનો અને તેના ભાઈનો શિરચ્છેદ કર્યો. તેમનું કપાયેલું મસ્તક બસરા સ્થિત અરેબિયાના ગવર્નર હજ્જાજ બિન યુસુફ ને મોકલવામાં આવ્યું અને તેની રાજકુમારીઓ સૂર્યા દેવી અને પ્રેમલા દેવીને હજ્જાજ બિન યુસુફ મારફતે ત્યારના ઉમ્મયદ ખિલાફતના પાંચમા ખલિફા અબ્દ-અલ-મલિક પાસે વેશ્યાઓ તરીકે દમાસ્કસ(હાલમાં સીરિયા નામના દેશની રાજધાની) મોકલી આપી. [હિન્દૂ વીરાંગનાઓ સૂર્યા દેવી અને પ્રેમલા દેવીએ કેવી રીતે પોતાના પિતા, કાકા અને રાજ્યના વિનાશનો બદલો લીધો તેની કથા પણ ખૂબ રસપ્રદ છે.]

એ કાળ અરેબિયાના ભાડૂતી સૈનિકોનો કાળ હતો. કાસમે સિંધમાં દાહિરની અઢળક સંપત્તિ હાથ લાગતા પોતાનું લશ્કર વધારવા માંડ્યું અને તેની નજર આગળ વધીને સિંધ કરતાંય વધુ મોટા, સંપન્ન અને શક્તિશાળી મેવાડ સામ્રાજય ઉપર હતી. પિતા અને કાકાની અરોરના યુદ્ધમાં વીરગતિ બાદ દાહિરના પુત્રે છટકી જઈને બપ્પા રાવળને જઈને મળીને આંખે દેખ્યો અહેવાલ આપ્યો. ખાસ કરીને કેવી રીતે હારેલા રાજ્યની સ્ત્રીઓ ઉપર હિન્દૂ સમાજે ક્યારેય ના સાંભળ્યું કે કલ્પના કરી હોય એવા જુલમ-દમનની વાત કરી. સ્ત્રીઓને જીવંત વ્યકતિ તરીકે ના જોતા માત્ર એક ઉપભોગની વસ્તુ તરીકે જોતા જિહાદીઓની આ વિકૃત રીત હિન્દૂ સમાજ માટે માનસિક આંચકારૂપ હતી. હા, યુધ્ધો તો પહેલાંય થતાં હતા અને હિન્દૂ રાજાઓ અંદર-અંદર લડતા જ હતા પણ લડતના અંતે જો પરાજિત રાજા જીવિત હોય તો કાં તો પરાજિત રાજાને દેશવટો અપાતો અથવા તે વિજયી રાજાનું આધિપત્ય સ્વીકારીને સામંતપદ સ્વીકારી લેતો. આમ માત્ર સત્તાનું હસ્તાંતરણ થતું, સામાન્ય નાગરિકો, વેપારી વર્ગ, કલાકારો, સંત સમાજ  કે કૃષિ સમાજના રોજબરોજના જીવનમાં કોઈ ખાસ અંતર પડતું ન હતું. 

બપ્પા રાવળ આ વૃતાન્ત સાંભળીને ક્રોધિત થઇ ગયા. એક કાબેલ રાજાને છાજે એવા દૂરંદેશીપણાના લીધે તેમને તરત જ એક સંગઠિત હિન્દૂ સમાજ દ્વારા મ્લેચ્છોના પ્રતિકારની જરૂરિયાત વર્તાઈ. અને આ સંભવિત યુદ્ધ લાબું અને લોહિયાળ હશે તેનો પણ તેમને ખ્યાલ આવી ગયો. તેમણે પોતાની રાજકીય કુનેહનો પરિચય આપતાં માળવા (હાલના મધ્ય-પ્રદેશ) પ્રાંતના ગુર્જર-પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ પહેલા સાથે લશ્કરી જોડાણ સાધ્યું. ત્યાર બાદ નાગભટ્ટ મારફતે દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના રાજા જયસિંહ વર્મનને પણ ધર્મ-યુદ્ધ માટે નિમંત્રણ મોકલાવ્યું. જયસિંહ વર્મને તરત જ પોતાના કુમાર પુલકેશી રાજાને મોકલીને જોડાણ સ્વીકાર્યું. તે ઉપરાંત બપ્પાએ ગુજરાત પ્રાંતના જયભટ્ટને પણ સમજાવીને સાથે લીધો. આમ ધર્મને સર્વોપરી માનતા હિન્દૂ રાજાઓએ એક થઈને ધર્મ યુદ્ધને માટેની તૈયારીઓ શરુ કરી. આ બાજુ ઉમ્મયદ ખિલાફતે જુનૈદ અલ મુરીને 60,000 ના ભાડૂતી લશ્કર સાથે દક્ષિણ ગુજરાત, દક્ષિણ રાજસ્થાન ઉપર હુમલો કરવા મોકલ્યો. સન 738માં હાલના જોધપુર શહેરની આજુબાજુના વિસ્તારોમાં હિન્દૂ રાજાઓના 5000-6000ના સંયુક્ત સૈન્યે આરબોની 60,000 ની સેનાનો સામનો કર્યો અને તાલીમવિહીન ભાડૂતી સૈનિકોનો કચ્ચરઘાણ વાળી દીધો. આ યુદ્ધમાં કે જે ઇતિહાસમાં રાજસ્થાનના યુદ્ધ તરીકે ઓળખાય છે એમાં જુનૈદ મરાયો. આનાથી ઉમ્મયદ ખિલાફત અને ખલિફાને પવિત્ર વૈદિક ભૂમિ ઉપર પગ મૂકવું તો દૂર, તેની તરફ આંખ ઊંચી કરીને જોવું પણ નહિ તેનો સ્પષ્ટ સંદેશ મળ્યો. હજી 6ઠી જ સદીમાં ઉદ્ભવેલ નવા પંથના જે સંસ્કૃતિવિહીન જંગલી માનસિકતાવાળા અરબી લોકો કે જેઓએ માત્ર 20-30 વર્ષના ગાળામાં પર્શિયા(પારસીઓનો મૂળ દેશ - ઈરાન), મેસોપોટેમીયા(ઇરાક), સીરિયા (સૂર્ય), ઉત્તરી આફ્રિકા જેવી કેટલીય જગ્યાએ જૂની અને સમૃદ્ધ સભ્યતાઓનો ખુરદો બોલાવી દીધો તેમની હિન્દૂ રાજાઓ વિરુદ્ધ કારમી હાર થઇ. શરૂઆતના કાળના આ ઝનૂની અને વિસ્તારવાદી ઇસ્લામી આક્રમણકારીઓની હારની માત્ર ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વ ઉપર ખૂબ લાંબા ગાળાની અસર પડી. જો સંયુક્ત હિન્દૂ સેના હારત તો આ સમૃદ્ધ હિન્દૂ રાજાઓના ધનના જોરે ઇસ્લામે ચીન ઉપર પણ ચઢાઈ કરી હોત અને ઉપર નોંધેલ અન્ય સભ્યતાઓની જેમ તેની સભ્યતાનો પણ નાશ કર્યો હોત.એટલે કે બપ્પાના સંગ્રામનો ચીનને મફતમાં આડકતરો ફાયદો મળી ગયો. અને માત્ર ચીન જ નહિ પણ પશ્ચિમમાં યુરોપના રાજ રજવાડાંઓને પણ ફાયદો થયો, પૂર્વમાં હિંદુઓને જીતી લીધા બાદ ઇસ્લામી આક્રમણકારીઓ પોતાની બધી જ તાકાત અને ધ્યાન તેમના પર કેન્દ્રિત કરત. એટલે કે સયુંકત હિન્દૂ સેના માત્ર વૈદિક ભૂમિ ઉપર રહેતાં સનાતનીઓ જ નહિ પણ વિશ્વના બધાં જ લોકો માટે ઇસ્લામ વિરુદ્ધ ઢાલ બની. નોંધવાની વાત એ છે કે કાળાન્તરે ધર્મના રક્ષણ માટે હિન્દૂ રાજાઓ પોતાની આપસી દુશ્મનાવટ કે હરીફાઈ ભૂલાવીને ઘણીવાર એક થયા જ છે પણ 1947 બાદના સ્વતંત્ર ભારતમાં સાલા કમ્યુનિસ્ટ અને ઇસ્લામી ઇતિહાસકારોએ આ બધાં તથ્યો ક્યારેય ભારતના હિન્દૂ સમાજને જાણવાં જ ન દીધા અને રાજસત્તાના જોરે બેફામ અપપ્રચાર કર્યો કે હિંદુઓ ક્યારેય એક થઇ શક્યા નથી અને માત્ર અંદરો-અંદર લડી મરતા હતા. બપ્પા રાવળમાં એટલી દીર્ઘ-દ્રષ્ટિ હતી કે ઇસ્લામી આક્રમણકારોને માત્ર રાજસ્થાનમાં હરાવીને તેઓ જંપ્યા નહિ. તેમને છેક ઇરાનની સરહદો સુધી પીછો કરી કરીને માર્યા. અરબી ઇતિહાસકારોએ નોંધ્યું છે કે સિંધુના પૂર્વી તટે તો શું, તેના પશ્ચિમી તટથી ઈરાનની સીમાઓ સુધી કોઈ જગ્યા ઇસ્લામી આક્રમણકારીઓ માટે સુરક્ષિત નહોતી. જીત્યા પછી દુશ્મનને જીવતો છોડાય જ નહિ એટલી સામાન્ય લશ્કરી સમજ અને સાહસ જે બપ્પા અને નાગભટ્ટમાં હતી તે સ્વતંત્ર હિન્દુસ્તાનના શાસક વર્ગમાં આજે 75 વર્ષે પણ જોવા મળતી નથી. જીવતા છોડે તો ફરી હુમલો કરે ને! ભારતના 1971ના મહા-મૂર્ખ શાસક વર્ગે 90,000 પાકિસ્તાની સૈનિકોને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાછું લીધા વગર જ જીવતા પાછા આપી દીધા. 

આરબોની બીજી સેના ગુજરાત થઈને દક્ષિણ ભારત તરફ જઈ રહી હતી. નવસારિકા (આજનું નવસારી) પાસે હિન્દુ રાજાઓના સંગઠને તેને લલકારી. આ યુદ્ધમાં સેનાનું નેતૃત્વ ચાલુક્ય રાજકુમાર પુલકેસી કરી રહ્યો હતો. આરબ સેના પર ભયંકર પ્રહાર થયો. આરબ સેના મુઠ્ઠી વાળીને પાછી ભાગવા લાગી. આથી તેમની સેના જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાંના શાસકો આરબ સેના પર અચાનક હુમલો કરી આરબ સેનાને મારી નાખતા હતા. આ રીતે મેવાડમાં બાપા રાવળ, જાલોરમાં પ્રતિહારો, ઉત્તર ગુજરાતમાં ચપોત્કટ (ચાવડા), દક્ષિણ ગુજરાતમાં ચાલુક્ય, સૌરાટ્રના સૈન્ધવ, કચ્છના કાછેલા, કચ્છ અને સૌરાષ્ટના સમુદ્રી પ્રદેશ વચ્ચે મેર (મહેર)એ વીણી વીણીને આરબોને મારી નાખ્યા. સેનાના સેનાપતિ અલ હાકમનો વધ મેરોએ કરી નાખ્યો.આમ પીછો કરતાં કરતાં બપ્પા અફઘાનિસ્તાનના ગઝની સુધી પહોંચી ગયા અને ત્યાં ત્યારે કોઈ સલીમનું રાજ હતું.બપ્પાએ સલીમને યુદ્ધમાં હરાવ્યો અને તેની દીકરી સાથે વિવાહ કર્યા. અને જતાં જતાં તેમણે તેમના ભત્રીજાના હાથમાં ગઝનીનું સુકાન સોંપ્યું. બપ્પાના વિજયના લીધે ગઝનીમાં અમુક સદીઓ સુધી હિન્દૂ શાસન રહ્યું.આ એજ ગઝની કે જ્યાંથી આગળ જતાં 11મી સદીમાં મહમૂદ ગઝનીએ સમૃદ્ધ હિન્દૂ રજવાડાંઓ અને મંદિરો (ખાસ કરીને સોમનાથ) લૂંટવા માટે 17 વાર ચઢાઈ કરી. અને માત્ર ગઝનીનો સલીમ જ નહીં, સિંધુની પશ્ચિમી બાજુએ આવેલા ઘણાં નાના મુસલમાન રાજાઓને હરાવ્યા અને તેમની દીકરીઓ સાથે લગન કર્યા. કહેવાય છે કે આ જુદી જુદી રાજકુમારીઓથી બપ્પાના 130 સંતાનો હતા કે જે તેમની માતાઓના કુળથી ઓળખાતા. આજની તારીખે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસતા નૌશેરા પઠાણો બપ્પાના વંશજ છે. આ બધા યુધ્ધો બાદ જયારે બપ્પા રાજસ્થાન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે થોડે થોડે અંતરે લશ્કરી ચોકીઓ ઉભી કરી જે ભવિષ્યમાં આક્રમણો ખાળવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે. બપ્પાના નેતૃત્વમાં હિન્દૂ સેનાએ એવી ભવ્ય વિજયપતાકા લહેરાવી અને એટલું જ નહિ, પણ ઇસ્લામી આક્રાંતાઓના મન/મસ્તિષ્કમાં એવો ભય પેદા કરી દીધો કે આવનાર 400 વર્ષો સુધી તેમણે ફરી હિન્દુસ્તાન તરફ આંખ ઊંચી કરીને જોયું નહિ. બપ્પાના વિજયનો સૌથી મોટો પુરાવો એ છે કે આજની તારીખે તેમણે સ્થાપેલું મૂળ લશ્કરી થાણું રાવલપિંડી (પંજાબીમાં રાવળોનું પિંડ - ગામ ) આજે એક મોટું અને જાણીતું શહેર છે. 

આ રાજસ્થાનના યુદ્ધમાં ભવ્ય વિજય બાદ બપ્પાનું ઘર-આંગણે કદ અને માન-સન્માન વધી ગયા. તેઓ હવે ચિત્તોડના મોરી વંશ પાસેથી સત્તા પડાવીને સામંતમાંથી રાજા થયા. આ યુદ્ધ બાદ જ તેઓ હિંદુઆ સૂરજ (હિન્દુઓના સૂર્ય) નામની ઉપાધિથી ઓળખાયા. ભીલોના રાજાએ બપ્પાને "રાવળ" (રા-રાજ્યના, વ-વરત્વ એટલે કે આશીર્વાદ, લ - લક્ષ્મી, એટલે કે રાજ્ય માટે આશીર્વાદ અને સંપત્તિ રૂપ) નું ઉપનામ આપ્યું. બપ્પાએ ચિત્તોડ ઉપર ત્યારબાદ 27 વર્ષ સુધી શાસન કર્યું અને પછી પોતાની આધ્યાત્મ ઉન્નતિ માટે રાજપાટ છોડી તેમના જ દ્વારા નિર્મિત એકલિંગજી મહાદેવ ( હાલના ઉદયપુરથી આશરે 30 કિમી ઉત્તરમાં)ની આસપાસના જંગલોમાં એકાંતમાં નિવાસ કરવા જતા રહ્યા. તેમણે એક સિદ્ધ તપસ્વી તરીકે બાકીનું જીવન ગાળ્યું અને આશરે 100 વર્ષ જીવ્યા. બપ્પા એક અજ્ઞાત સાધક તરીકે શેષ જીવન ગાળીને એકલિંગજી મંદિર નજીક કૈલાશ પુરી પાસે મોક્ષ પામ્યા. આજની તારીખેય ત્યાં એક શિવ મંદિર હયાત છે જેમાં બપ્પાના ગુરુ હરિત ઋષિ અને બપ્પાની પૂર્ણ કદની પ્રતિમા વિરાજમાન છે કારણકે મનાય છે કે અહીં જ તેમણે સમાધિ લીધી હતી. 

સી.વી. વૈદ્યે પોતાના પુસ્તક "મધ્યકાલીન હિન્દૂ ભારત"માં બપ્પાના જીવનની તુલના તેમના સમકાલીન ફ્રાન્સના ચાર્લ્સ માર્ટેલ સાથે કરી છે. બપ્પાની જેમ જ માર્ટેલ પણ શૂન્યથી શરુ કરીને પેરિસમાં સત્તા સુધીની સફર કાપી. બપ્પાની જેમ જ માર્ટેલે પણ ઉમ્મયદ ખિલાફતના અબ્દ-અલ-રહેમાન-અલ-ગફીકીને ટુર્સના યુદ્ધમાં હરાવીને પશ્ચિમી યુરોપમાં ઇસ્લામના વિસ્તારને અટકાવ્યો. માર્ટેલ બાદ તેના પુત્ર પેપિન અને અન્ય વંશજો દ્વારા માર્ટેલ વંશ અમુક જ પેઢીઓ સુધી હયાત રહ્યું જયારે બપ્પા રાવલનો સ્થાપેલો મેવાડનો સિસોદિયા વંશ આજેય 1400 વર્ષોથી અખંડ છે અને ભારતની લોક્શાહીમાંયે ઉદયપુરની રાજગાદીએ વિરાજે છે. બપ્પા બાદ શક્તિ કુમાર, ખુમાણ પહેલો, ખુમાણ બીજો, ખુમાણ ત્રીજો વગેરે મેવાડનું સામ્રાજ્ય વધારતાં ગયા અને રાક્ષસી વૃતિના ઇસ્લામી આક્રમણકારીઓનો પ્રતિકાર કરતા રહ્યા. એમ કહેવામાં જરાક પણ અતિશયોક્તિ નથી કે બપ્પાની વીરતા અને અદમ્ય સાહસ અને એના પરિણામ સ્વરૂપ વિજય ના થયોહોત તો આજે ભારત નામનો કોઈ દેશ જ હયાત ના હોત અને આખાય વૈદિક ભારતનું સાતમી સદીમાં જ ઇસ્લામીકરણ થઇ ચૂક્યું હોત. પીડા અને ગુસ્સો માત્ર એટલી જ વાતનો કે જેના વીરતાના લેખ દરેક હિન્દૂ બાળકના મસ્તિષ્કમાં બાળપણમાં પ્રેરણા સ્ત્રોત રૂપે ઘૂંટાવા જોઈતા હતા તેને આજે કેટલાક ગણ્યા-ગાંઠ્યા હિંદુઓ જ ઓળખે છે. આ લેખ વાંચીને આપણા મહાન યોદ્ધાઓ અને તેમના અથાગ પ્રયત્નોને બીજા 2-4 હિંદુઓ પણ જાણે અને આપણો અમૂલ્ય વારસો સાચવે એટલી જ આકાંક્ષા સાથે...રામ રામ.

જતાં જતાં, કલ્પના કરો કે બપ્પા રાવળના સમયમાં આજની જેમ "Meme" બનવાનું પ્રચલન હોત તો લોકો કેવા બપ્પાના meme બનાવત એના 2-4 દાખલા.....

સ્ત્રોત : 

Book : Maharanas, A thousand year war for dharma - by Omendra Ratnu. 



Sunday, July 9, 2023

હિન્દુ શૂરવીર - ગોપાલ પાઠા

વીર દુર્ગાદાસ રાઠોડ હોય કે રાજા દાહિર હોય, જેમના પરમ બલિદાનોના લીધે આજે આપણાં હસતાં રમતાં પરિવારો બંધન મુક્ત અને પરમ શાંતિનું જીવન ગાળી રહ્યા છે તેવા વીરો અને વીરાંગનાઓને ભૂલાવી દેવાનું સામુહિક પાપ કરવા આપણે હિંદુઓ ટેવાઈ ગયા છીએ. બદ કિસ્મતે એક સમાજ તરીકે કૃતઘ્નતાનો દુર્ગુણ આપણે આત્મસાત કરી ચૂક્યા છીએ. અને એના પ્રાયશ્ચિત રૂપે જ આપણે દેશદાઝમાં આ શૂરવીર શ્રેણીમાં એવા પરમ બલિદાનીઓને યાદ કરીને અંજલિ આપીએ છીએ જેમના યોગદાન વગર આપણા આજના ભારતનું ભૂગોળ કૈક અલગ જ હોત. આજે આપણે વાત કરશું બંગાળના ઇતિહાસમાંથી જાણીજોઈને બાદ કરાયેલા વીર શિરોમણી યોદ્ધા ગોપાલ પાઠાની. 

ખાસ કરીને કલકત્તાના હિંદુઓ જ નહિ પણ સ્વયં કલકત્તા શહેરનું અસ્તિત્વ આ વિરાટ વ્યક્તિત્વને આભારી છે એમ કહેવામાં જરાક પણ અતિશયોક્તિ નથી. ભારતીય સ્વતંત્રતાના માત્ર એક જ વર્ષ પહેલાં 1946માં ઓગસ્ટમાં ઘટેલા અત્યંત જઘન્ય એવા બંગાળના Direct Action Day(સીધી કાર્યવાહી દિવસ) નરસંહાર કે જેના પહેલા બે દિવસ માત્રમાં (16મી અને 17મી)ના જ ઓછામાં ઓછા 10,000 હિન્દુઓના કત્લેઆમ, નાબાલિગ તેમ જ વયસ્ક હિન્દુ અબળાઓના ચીરહરણ અને બળાત્કારો બાદ બાકીના લાખો હિંદુઓને સંહારના કાળમુખમાંથી બચાવનાર અને પાકિસ્તાનના સ્થાપક જીન્નાહ અને બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી અને 'બંગાળના કસાઈ' તરીકે કુખ્યાત એવા સોહરાવર્દીના કલકત્તામાં હિંદુઓના સામુહિક નરસંહારના સયુંકત કાવતરાને એકલે હાથે નિષ્ફળ બનાવનાર સનાતની યોદ્ધો એટલે ગોપાલ પાઠા. હિન્દુ સમાજની કરુણાંતિકા એવી છે કે વર્તમાનમાં તેમની વિરુદ્ધ ખૂબ જ સક્રિય અને સફળતાથી આકાર લઇ રહેલા કાવતરાઓ (જમીન જેહાદ, લવ જેહાદ, UPSC જેહાદ કે  ધર્માંતરણ કે અન્ય ) હોય કે ભૂતકાળમાં થયેલા કાવતરાંઓ કે પછી એમાંથી એમને તારનાર પરમ શૂરવીર સનાતનીઓ હોય, સમાજમાં લોકોને કોઈ જાણકારી કે દરકાર જ હોતી નથી. [અને પછી જયારે 1990ના કાશ્મીરવાળી થાય ત્યારે સ્વજનોના કત્લેઆમના મૂક સાક્ષી બનવા અને છાતી પીટી પીટીને રોવા સિવાય કોઈ જ વિકલ્પ રહેતો નથી.] હજી ગયા મહિને જ મે 13ના ગોપાલભાઈની 110મી જયંતિ પસાર થઇ અને થોડા કોઈક બંગાળીઓ દ્વારા ઓનલાઇન સંદેશાઓ સિવાય દેશમાં ક્યાંય કોઈ જ ઉલ્લેખ નહોતો. વિધિની વક્રતા તો એ છે કે જે હિન્દુ અબળાઓને ગોપાલભાઈ અને તેમના સાથીઓએ મુસલમાનોના જુલમથી બચાવી તેમના જ બાળકો આગળ જતાં કમ્યુનિસ્ટ/વામપંથી ઇતિહાસકારો થયા અને તેમણે  ગોપાલભાઈ અને તેમની ભારતીય જાતીય બાહીનીને તારણહારના બદલે ગુંડા અને આતંકીઓ તરીકે વિદેશી સાહિત્યમાં અને પુસ્તકોમાં વર્ણવ્યા. 

1913 - 2005 (91 વર્ષ)

ગોપાલ ચંદ્ર મુખોપાધ્યાયનો જન્મ 13 મેના રોજ કલકત્તાના બોબ બજારની મલન્ગા ગલીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર વ્યવસાયે કસાઈ હતો અને કલકત્તાના ભવાનીપુર વિસ્તારમાં માંસની દુકાન ચલાવતો હતો. એક ગુજરાતી તરીકે બ્રાહ્મણ પરિવાર અને વ્યવસાય માંસનો એ જાણીને મને ઘણું જ અચરજ થયું અને કદાચ તમનેય થાય. પણ ધ્યાન રહે કે પૂર્વી ભારતમાં જેવા કે બંગાળ, આસામ અને ઓરિસ્સામાં હિંદુઓ મોટી સંખ્યામાં માંસાહારી છે. માત્ર આપણા ગુજરાતમાં જ હિંદુઓ મોટી સંખ્યામાં શાકાહારી છે અને મૂળ વૈદિક આહાર પરંપરા જાળવે છે. ગોપાલ ક્રાંતિકારી અનુકુલ ચંદ્ર મુખોપાધ્યાયના કે જેઓ પ્રયાગરાજ યુનિવર્સીટી (અલાહાબાદ)ના જાણીતા ફિલોસોફીના અધ્યાપક હોવાની સાથે સાથે રાષ્ટ્રવાદી હતા તેમના ભત્રીજા હતા. અનુકૂલ ચંદ્રને 1964માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી બાળપણમાં ગોપાલે 'પાઠા' ( બંગાળીમાં નર બકરી) ઉપનામ મેળવ્યું, જ્યારે તેઓ મોટા થયો ત્યારે તેમણે માંસની દુકાન ચલાવવાની જવાબદારી લીધી. તેમના વ્યવસાયના ભાગરૂપે, તેમને નિયમિતપણે મુસ્લિમ વેપારીઓ સાથે વાતચીત કરવી પડતી હતી. ઈતિહાસકાર સંદિપ બંદોપાધ્યાય જેમણે મુખર્જીની મુલાકાત લીધી હતી તેમના જણાવ્યાનુસાર, પાઠાએ "મુસ્લિમો પ્રત્યે ક્યારેય દ્વેષ રાખ્યો ન હતો". પોતાના બ્રાહ્મણ સંસ્કારોને લીધે ગોપાલ પરગજુ અને ઉદાર સ્વભાવના માણસ હતા. પણ સાથે સાથે તેઓ બંગાળમાં મુસલમાનોના સંખ્યાબળના લીધે હિંદુઓની નબળી સ્થિતિથી વાકેફ હતા. તેમણે હિન્દુઓના રક્ષણાર્થે ભારતીય જાતીય બાહીની(વાહિની)ની સ્થાપના કરી હતી જેમાં આશરે 500-700 ખંતીલા અને પહેલવાનીનો શોખ રાખતાં હિંદુઓ જોડાયા હતા. 

જિન્નાહ અને હુસૈન સોહરાવર્દીનું ભયાનક કાવતરું 

જયારે દેશના ભાગલાની વાતો ચાલી રહી હતી ત્યારે પૂર્વ બંગાળ (હુગલી નદીની પૂર્વે આવેલો રાજ્યનો હિસ્સો ) માં મુસલમાનોની વસ્તી બહુમતીમાં હતી જે પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવાનું જિન્નાહ અને મુસ્લિમ લીગના અન્ય હેવાનોનું સ્વપ્ન હતું. પણ ઔદ્યોગિક એકમો અને વસાહતો આ વિસ્તારોથી ઘણાં જ પશ્ચિમ બાજુએ આવેલા હુગલી નદીની નજીક એવા કલકત્તા અને તેની આજુબાજુના હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જેવા જિલ્લાઓમાં હતા. અને આ જિલ્લાઓમાં બિહાર અને ઓરિસ્સાથી રોજીરોટી અર્થે આવીને વસેલા હિન્દુ કર્મચારીઓની બહુમતી હતી. જિન્નાહ અને સોહરાવર્દી સુપેરે જાણતાં હતા કે માત્ર પૂર્વ બંગાળની જમીન મળવાથી પાકિસ્તાનને પગભર કરી શકાશે નહિ. એટલે એમની મંશા હતી કે આ નદી નજીકનો આખો ઔદ્યોગિક પટ્ટો યેનકેનપ્રકારેણ નવા બનવા જઈ રહેલા પૂર્વ પાકિસ્તાનનો હિસ્સો બને. પણ તકલીફ એ હતી કે જે વિસ્તારોમાં હિન્દુ બહુમતી હોય તે વિસ્તારોની પૂર્વ પાકિસ્તાનમાં વિલીનીકરણની માંગણી બ્રિટિશ સરકાર ફગાવી દેશે તે નક્કી હતું. આ બધું ધ્યાનમાં રાખીને ઔરંગઝેબને આદર્શ માનતો એવો જિન્નાહ અને સોહરાવર્દીએ એક ભયાનક કાવતરું રચ્યું. સોહરાવર્દી એ પોતાના મુખ્યમંત્રીના હોદ્દાનો ગેરફાયદો લઈને પોલીસ બેડામાંથી બિહારી હિન્દુઓની છટણી કરીને ત્યારના યુનાઇટેડ પ્રોવિન્સ (આજનું ઉત્તર પ્રદેશ)માંથી મુસલમાનો અને પઠાણોની ખૂબ મોટા પાયે ભરતી કરી. આ બે ધર્માન્ધ રક્તપિપાસુ મુસલમાન નેતાઓની યોજના જૂની અને જાણીતી તેમ જ સરળ હતી, પોલીસને નિષ્ક્રિય કરી નાખી હજારો હિંદુઓના ઠંડે કલેજે કતલ કરાવવા જેથી કરીને બાકીના લાખો હિંદુઓ જીવ બચાવવા સ્થળાંતર કરી જાય જેથી કરીને ઉપર જણાવેલ જિલ્લાઓમાં મુસલમાનોની બહુમતી હોવાનો દાવો કરીને એમને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે બ્રિટિશ સરકાર આગળ રજૂઆત કરી શકાય. એ પણ જાણી લેજો કે આવો રીતસરનો હિન્દુઓના નરસંહારનું ષડયંત્ર રચનારા અને અમલીકરણ પણ કરનારા આ લોકો ના પહેલા હતા ના છેલ્લા. હજી હાલમાંજ એમ કહી શકાય એવા 2019માં સમગ્ર મુંબઈ શહેરને પાણી પૂરા પાડતાં જળાશયોમાં ઝેરી રસાયણો ઉમેરી મોટાપાયે નરસંહાર કરવાના કાવતરાંનો પર્દાફાર્શ થયો હતો ખ્યાલ છે? ના હોય તો વાંચો અહીં.

આ પૂરી ચીવટથી અમલમાં મૂકાયેલા સુનિયોજિત કાવતરાં માટે શરૂઆતનો દિવસ પણ ઘણો સમજી વિચારીને નક્કી થયો હતો. 16મી ઓગસ્ટ, રમઝાનનો 18મોં દિવસ, મુસલમાનો માટે આ એ ઐતિહાસિક દિવસ છે જયારે પયગંબર મુહમ્મદનો બદ્રના યુદ્ધમાં કાફિરો વિરુદ્ધ પહેલો નિર્ણાયક વિજય થયો હતો જેના લીધે મક્કા ઉપરની ચઢાઈ શક્ય બની અને લોહિયાળ જંગ બાદ જીત મળી હતી. જીન્નાહનો તલવાર પકડીને ઉભેલો અને ઉન્માદી અને હિન્દુઓના જીવ લેવા આતુર એવા મુસલમાન બિરાદરોને જંગ માટે આહવાન કરતો હોય એવા ફોટા વાળા પોસ્ટરો આખાય કલકત્તામાં ફરતા થઇ ગયા હતા. મુસ્લિમ લીગના પ્રકાશન "The  Star  of  India" તથા અન્ય મુસ્લિમ પ્રકાશનોએ મુસલમાનોને આ ઐતિહાસિક દિવસની કથાનું સ્મરણ કરાવી, પયગંબરના પગલે પગલે ચાલીને કાફીરોના કત્લેઆમને અંજામ આપીને બંગાળને "Land of the pure" (પવિત્ર જમીન) માં તબદીલ કરવા હાકલ કરી. જે કોઈ પ્રદેશ કાફિરોથી મુક્ત થઇ જાય તે મુલ્લાઓના કુરાનના અર્થઘટન પ્રમાણે "Land of the pure" થઇ જાય. સૈયદ મુહમ્મદ ઉસ્માન કે જે કલકત્તાનો મેયર હતો તેના નીચેના કુખ્યાત શબ્દોવાળા ચોપાનિયા મુસલમાનોના દરેક મહોલ્લામાં વહેંચાઈ ગયા હતા. 

કાફિર ! તોદર ધોંગશેર આર દેરી નાઈ ! સર્બિક હત્યાકાંડો ધોતબેઈ!  

(અનુવાદ : કાફિર! તારો અંત દૂર નથી! તને ચીરી નાખશું ) 

મુસ્લિમ લીગના નેતાઓએ દરેક મસ્જિદના ઇમામોને આગ ઝરતાં ભાષણો 16મી ઓગસ્ટ જુમ્માની નમાઝ (એટલે કે 1946 16 ઓગસ્ટે શુક્રવાર હતો) પછી આપવા માટે  તૈયાર કરી આપ્યાં. તેમાં બંગાળની 'સફાઈ' કરવાના અને કાફિરોથી મુક્ત કરાવવાના સ્પષ્ટ આદેશો હતા. સોહરાવર્દી કે જે મુખ્યમંત્રી હતો તેણે સ્ટેજ પરથી ભાષણોમાં મુસલમાનોને ખાતરી આપી કે પોલીસ કે બ્રિટિશ લશ્કર તમારી આડે બિલકુલ નહિ આવે, મન ફાવે તેમ વર્તો અને તાકાત હોય એટલા હિંદુઓને મારી નાંખો. આ વાત પરથી યાદ આવ્યું કે આ પેલો હૈદરાબાદનો છછૂંદર ઓવેસી 15 મિનિટ માટે પોલીસ હટાવી લો તો હિંદુઓને 'બતાવી' દઈએની વાતો હવામાં નથી કરતો, આ લોકો જન્મજાત નિર્દોષોના હત્યાકાંડો રચવામાં અને અમલમાં મૂકવામાં માહિર છે અને એમની પાસે પેઢીઓથી ચાલ્યો આવતો વારસામાં મળેલો બહોળો અનુભવ પણ છે એટલે જ આમ જાહેરમાં બોલવાની હિમ્મત કરે છે.

1946માં કલકત્તાની 20 લાખ વસ્તીમાં 64% (12.8 લાખ) હિન્દૂ અને 33%(6.6 લાખ) મુસલમાન વસ્તી હતી. સોહરાવર્દી એ ધાર્યું હતું કે સદીઓના ઇસ્લામના આક્રમણનો સામનો કરીને શારીરિક તેમ જ માનસિક રૂપે ભાંગી પડેલા કાયર હિંદુઓ ધર્મ ઝનૂની અને લોહી તરસ્યા ઇસ્લામના સિપાહીઓનો પ્રતિકાર નહિ કરી શકે અને ચીભડાંની જેમ કપાઈ મરશે. એ માનતો હતો કે હિન્દુઓએ સ્વીકારી જ લીધું છે કે આપણે નબળાં અને મુલ્લા મજબૂત. અને થયું પણ એવું જ. જુમ્માની નમાજ પછી હજારોની ઉન્માદી મુસલમાન પ્રજા તલવાર, પ્રથમ વિશ્વ યુદ્ધના સમયની બંદૂકો, સળિયા, ધારિયાં, છરાં જે હથિયાર મળ્યું તે લઈને હિન્દુ દુકાનો, ધંધા અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળી. મૂર્ખ હિન્દુઓ હંમેશાની જેમ જ ઊંઘતા ઝડપાયા. શરૂઆત કલકત્તાના મધ્યમાં આવેલા એસ્પ્લાનડે બજાર વિસ્તારથી થઇ કે જ્યાં મુસ્લિમ લીગે ખૂબ મોટી જાહેર સભાનું આયોજન કર્યું હતું. ત્યાં હિન્દૂ માલિકીનો જાણીતી  શસ્ત્રો વેચતી દુકાન પર હુમલો કરીને તેના માલિક અને કર્મચારીઓ બધાના જ રીતસર માથા કાપી લીધા બાદ દુકાનમાંના શસ્ત્રો ચોરી લેવામાં આવ્યા. (રાજસ્થાનમાં કન્હૈયાલાલનું 2022માં માથું ઉતારી લીધું તું યાદ છે ને ? ) અને આ ઉન્માદી પ્રજાએ બંગાળે ક્યારેય પહેલાં નહોતો જોયો એવો નરસંહાર આદર્યો. માથું કાપી નાંખવું અથવા તો શોલે ફેશનમાં હાથ કાપી નાખવા એ તેમની સૌથી પ્રચલિત પદ્ધતિ હતી. અને પુરુષોના આ હાલ કર્યા બાદ સ્ત્રીઓની શું હાલત કરી હશે તે તમે સમજી શકો છો. સામુહિક બળાત્કાર કરીને મારી નાખવું અથવા તો જો ગમી જાય એને ગુલામ/વેશ્યા તરીકે ઘરે લઇ જવું એ ઇસ્લામના સિપાહીઓની SOP (Standard Operating Procedure ) હતી. ધ્યાન રહે આ કઈ 1000 વર્ષ જૂની વાત નથી, 100 વર્ષ જૂની વાતેય નથી. આ દેશને આઝાદ થયે જેટલા વર્ષ થયા માત્ર એટલી જ જૂની વાત છે. 

આ બધામાંય મુસ્લિમ બહુલ મેતીઆબરૂઝ વિસ્તારમાં લિચુબાગાનમાં આવેલી કેસોરામ કોટન મિલ્સમાં થયેલો હત્યાકાંડ સૌથી વધુ કંપાવનારો હતો. મુસ્લિમ લીગના એક નેતા સૈયદ અબ્દુલ ફારુકીની આગેવાનીમાં મુસલમાનોનું ટોળું મિલ્સના પ્રાંગણમાં ઘુસ્યું અને આશરે જે 600 ઓડિયા હિન્દૂ મજૂરો કામ કરતા હતા તે દરેકેદરેકનું માથું કાપી નાખવામાં આવ્યું. માત્ર બે માણસો કે જેમના હાથ કાપવામાં આવ્યા હતા અને તેમને અચેત પડેલા જોઈ મરી ગયેલા માની ટોળું પાછું વળી ગયું તેઓ આપવીતી કહેવા બચી ગયા. માત્ર 16મી અને 17મીના બે જ દિવસોમાં મુસલમાનોએ હજારો વધુ હિન્દુઓના ઢીમ ઢાળી દીધા. કોઈક સ્ત્રોતોમાં 4000નો આંકડો અપાય છે તો અન્ય સ્ત્રોતોમાં 20,000 સુધીનો આંકડો અપાય છે. જે સ્ત્રોતો વધુ આંકડા આપે છે તેમનો દાવો એવો છે કે 3500 તો આધિકારિક રીતે સ્મશાનમાં બાળવા લવાયા  હતા અને તદુપરાંત કેટ કેટલાયને મારીને ગંગામાં ફેંકી દેવાયા હતા. 

હિન્દુઓનું સ્થળાંતર : 

સોહરાવર્દીની યોજના મુજબ જ અણધાર્યા હુમલાથી હેબતાઈ ગયેલા હિન્દુઓએ પહેરેલ કપડે કલકત્તા છોડીને ભાગી જવાના મરણિયા પ્રયાસો આદરી દીધા. હાવડા સ્ટેશન પર જે મળે તે ટ્રેન પકડીને દેશમાં બીજે જ્યાં પણ ભાગી જઈ શકાય ત્યાં જતા રહેવા માટે બંગાળી હિન્દુઓના ધાડેધાડા આવવા માંડ્યા. કઈ કેટલાય પરિવારો જે નદી ઓળંગીને રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં ભાગી જવા પ્રયત્ન કરી રહ્યા હતા તેમની નાની નાની દેશી હોડી/હોડકાંઓ મુસલમાનો તેમની મોટી ટગ બોટની ટક્કરથી ઉંધી પાડીને ડૂબાડી દેતા જેમાં બેહિસાબ હિન્દૂ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ડૂબીને મોતને શરણ થયા. સોહરાવર્દીની ગણતરી હતી કે 2 દિવસમાં તો કલકત્તા 'ખાલી' કરાવી લઈશું અને પછી માલ્દા, ઉત્તર અને દક્ષિણ પરગણા, હાવડા, હુગલી વગેરેમાં માર-કાટ ચાલુ કરશું. 

ગોપાલ પાઠાની દખલ 

1946માં 33 વર્ષના ગોપાલનું મન પોતાના શહેર કલકત્તાની તેમજ પોતાના હિન્દુ સમાજની દયનીય સ્થિતિ જોઈને વ્યથિત થઇ ઉઠ્યું અને તેણે આ હેવાનિયતનો મક્કમપણે સામનો કરવાનો નિર્ધાર કર્યો. 17મીની રાતે તેઓએ તેમના ભારતીય જાતીય બાહીનીના સદસ્યો કે જે પહેલા જણાવ્યા પ્રમાણે અધિકાંશ પહેલવાની/કુસ્તી/મલ્લયુદ્ધમાં રુચિ ધરાવતાં હિંદુઓ હતા તેમની સાથે બેસીને પ્રતિકાર કરવાની વ્યૂહરચનાઓ બનાવી. રાતોરાત હિન્દુ લુહારોએ પોતાની નાની નાની ભઠ્ઠીઓમાં આખી રાત કામ કરીને તલવારો અને અન્ય સૌથી ઝડપથી બની શકે એવા શસ્ત્રોનું નિર્માણ કર્યું. ગોપાલભાઈએ પ્રજા સાથે ગાંધીની જેમ શબ્દોની રમત કરી નહિ અને સાફ શબ્દોમાં બંગાળી હિન્દુ સમાજને પ્રતિકાર કરવા અને એકના બદલે 10 મારીને બદલો લેવા માટે પ્રેરણા આપી. બંગાળમાં અન્ય પ્રાંતોમાંથી આવેલ લડવા સક્ષમ હિંદુઓ જેવા કે બિહારી,ઓરીયા વગેરે પણ નેતૃત્વ  મળવાથી અચાનક લાગેલા આંચકામાંથી બહાર આવ્યા અને બદલો લેવા તૈયાર થયા. હિંદુઓ પાસે સંખ્યાબળ તો હતું જ, અભાવ હતો તો માત્ર હાકલ કરનાર અને જોશ પૂરનાર છત્રપતિ શિવાજી જેવા વીર સેનાપતિની. 

18મી ની સવારે આગલા બે દિવસ મુજબ જ મુસ્લિમ લીગ અને તેના અન્ય ભાગ જેવા કે મુસ્લિમ લીગ વિદ્યાર્થી પાંખ અને મુસ્લિમ નેશનલ ગાર્ડ વગેરેના આતંકીઓ બાકી રહી ગયેલા વિસ્તારોમાં 'અધૂરું' કામ પતાવવા આવ્યા. તેમને હિન્દુઓએ રાતોરાત અમલમાં મૂકેલ યોજના અને 'કાયર' હિંદુઓ દ્વારા પ્રતિકારનો સ્વપ્નમાંયે ખ્યાલ નહોતો. તેઓ જેવા હિન્દુ વિસ્તારોમાં દાખલ થતાં તેવો તેમના ઉપર અણધાર્યો હુમલો થતો અને કંઈક સમજે વિચારે એ પહેલા તેઓ કપરી સ્થિતિમાં મૂકાઈ જતા અને પીછેહઠ કરવી પડતી. જયારે સોહરાવર્દીને આ સમાચાર મળ્યા ત્યારે તે આંચકો ખાઈ ગયો. 16 અને 17ના દિવસે તે પોતે લાલબજારની કંટ્રોલ રૂમ પોલીસ ચોકીમાં બેસીને પોલીસ બેડામાં રહેલા બ્રિટિશ અને અન્ય અફસરો અને સિપાહીઓને વિસ્તારો અંગે ખોટી જાણકારી આપીને તેઓ ઇસ્લામના સિપાહીઓને જિહાદના કામમાં અડચણ ના બને તેનું ધ્યાન રાખતો. બે દિવસમાં કલકત્તામાં બાકીનું 'કામ' આટોપીને 20મીથી પોતાના આતંકીઓને અન્ય જિલ્લાઓમાં લઇ જવાના એના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું. 18મી ની સફળતા બાદ હિંદુઓમાં પોતાની સ્વબચાવની તેમજ લડવાની કાબેલિયતમાં વિશ્વાસ પાછો ફર્યો. 19મી એ તો મુસલમાનોના વળતાં પાણી ચાલુ થઇ ગયા, હવે ગોપાલ અને તેના હિન્દુ સંરક્ષક દળોએ મુસલમાન વિસ્તારોમાં ઘૂસીને 16મી અને 17મીએ હિન્દૂ વિસ્તારોમાં આતંક ફેલાવનારાઓને શોધી શોધીને મારી નાખવાની કવાયત આદરી. 20મી આવતાં તો મુસલમાનોમાં હિન્દુઓના આ અણધાર્યા આક્રમક હુમલાઓથી ભય પેસી ગયો. વળી કોમી તોફાનોના સમાચાર દિલ્લી સુધી પહોંચી ગયા હતા એટલે સોહરાવર્દી ઉપર મુખ્યમંત્રી તરીકે સ્થિતિને કાબુમાં લેવા માટે દબાણ વધી રહ્યું હતું.તેના માટે હવે પોતાની ખુરશી બચાવવા સુધી વાત આવી ગઈ હતી. 21મી એ તો બ્રિટિશ વાઇસરૉયે તેને મુખ્યમંત્રી પદ ઉપરથી દરખાસ્ત કરીને વાઇસરોય શાસન લાગુ કરી દીધું. જો હજી પણ સ્થિતિ ના સુધરે તો વાઇસરોય બંગાળમાંથી મુસ્લિમ લીગની સરકારને જ બરખાસ્ત કરી દે એવી સ્થિતિ હતી. પદની સાથે સાથે જો સરકાર પણ જાય તે  સોહરાવર્દી અને તેની પાર્ટી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાત. આ કારણસર સોહરાવર્દીએ તેના ખાસ એવા જી.જી. અજમેરી અને શેખ મુજીબુર રહેમાન (એજ બાંગ્લાદેશ વાળો) ને ગોપાલ પાઠા જોડે સંધિ કરવા મોકલ્યા. તેમણે જઈને ગોપાલભાઈને મુસલમાનો ઉપર થઇ રહેલા હુમલા બંધ કરાવવા વિનંતી કરી. ગોપાલભાઈએ શરત મૂકી કે પહેલા તમારા આતંકીઓ પાસે હથિયાર હેઠા મૂકાવો પછી જ હિંદુઓ મૂકશે. સોહરાવર્દીએ શરત માન્ય રાખી. પણ આ સંધિ થઇ ત્યાં સુધીમાં હિંદુઓ કરતાં મુસલમાન મૃતકોનો આંક વધી ગયો હતો અને સૌથી અગત્યની વાત કે હિંદુઓમાં લડી લેવાની અને જરૂર પડે મારી નાંખવાની પોતાની કાબેલિયત ઉપર આત્મવિશ્વાસ પરત ફર્યો. સદીઓથી મુસલમાન સામ્રાજ્યનો અંતહીન જુલમ સહેતી હિન્દુ પ્રજા આમ રાતોરાત ઉભી થઇ અને defense તો ઠીક offense mode માં આવી ગઈ એ કઇં જેવી તેવી વાત નહોતી. અંતે બ્રિટિશ અને ગોરખા લશ્કરની ટુકડીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી. 

આ હિન્દુ ઇતિહાસના દર્દનાક પ્રકરણના એકાદ વર્ષ બાદ પણ આઝાદી બિલકુલ પહેલા ગાંધી બંગાળના પ્રવાસ ઉપર હતા અને કારણકે બંગાળ સશસ્ત્ર  ક્રાન્તિકારીઓનો ગઢ ગણાતું હતું તે હિંદુઓને પોતાના હથિયાર તેમને સોંપી દેવા માટે માંગણી કરી રહ્યા હતા. એ પ્રસંગનો ગોપાલભાઈ એન્ડ્રુ વહાઈટહેડને આપેલા સાક્ષાત્કારમાં ઉલ્લેખ કરતાં કહે છે, "ગાંધીએ મને 2 વાર બોલાવ્યો પણ હું ના ગયો. ત્રીજી વાર કોંગ્રેસના કોઈ સ્થાનિક નેતાએ કહ્યું કઈ નહિ તો જઈને થોડાક હથિયાર સોંપી આવો. હું ત્યાં ગયો અને જોયું કે લોકો જામ થઇ ગયેલા, જૂના કટાઈ ગયેલા ટૂંકમાં વાપરી ના શકાય એવી સ્થિતિમાં હોય એવા જ હથિયારોં જમા કરાવે છે. પછી ગાંધીના સચિવે મને કહ્યું," ગોપાલ, તું તારા હથિયાર કેમ ગાંધીજી પાસે હેઠા મૂકતો નથી?"  

"આજ હથિયારોથી તો મેં મારા વિસ્તારની હિન્દુ સ્ત્રીઓના શીલની રક્ષા કરી છે. જયારે 1946માં કમનસીબે આ Great Bengal Killingsની વિભીષિકા થઇ ત્યારે ક્યાં હતા ગાંધીજી? હું તે (શસ્ત્રો )કોઈને નહિ સોંપું. બંદૂક તો શું, જો કોઈ એક ખીલીથી પણ મેં હિન્દુઓનું રક્ષણ કર્યું હોય તો એ ખીલી પણ હું જમા નહિ કરાવું.!!!"

જો ગોપાલ પાઠા ના હોત તો ?

કલકત્તાની 20 લાખની 66% હિન્દુ વસ્તીમાં 30% બહારના વિસ્તારોમાંથી આવીને વસેલા હિંદુઓ હતા કે જેઓ તે વિસ્તારના ભારત કે પાકિસ્તાનમાં વિલીનીકરણ માટેના લોકમતની કવાયતમાં ભાગ લઇ શકે નહિ. એટલે કે સ્થાનિક હિન્દુ વસ્તી જેઓ મત આપવા લાયક હતા તેઓ આશરે 9 લાખ હતા. વિશ્વના સંશોધકો જે જુદા જુદા નરસંહારોનું અધ્યયન કરે છે તેઓ જણાવે છે કે આવા વિપરીત સંજોગોમાં દર 100 લોકોની હત્યા થાય ત્યારે 4000 લોકો એટલે કે 40 ગણા લોકો સુરક્ષા માટે સ્થળાંતર કરે છે. આ ગણિત પ્રમાણે પહેલા બે દિવસમાં જે આશરે 10,000 હિન્દુઓના કતલ થયા તેનાથી 4,00,000 હિંદુઓ કલકત્તા છોડી ચાલ્યા ગયા હોત. તેથી સ્થાનિક હિન્દુઓની વસ્તી ઘટીને પાંચ લાખની આસપાસ આવી ગઈ હોત કે જે સ્થાનિક મુસલમાનોની 33% એટલે કે 6.6 લાખની વસ્તી કરતાં ઓછી થઇ જાત જેની લોકમતની કવાયતના પરિણામો ઉપર ગંભીર અસર પડત. તદુપરાંત સોહરાવર્દી અને જિન્નાહે રાતોરાત અન્ય પ્રાંતોમાંથી મુસલમાનોને હંગામી ધોરણે બોલાવી લોકમતમાં તેમની પાસે ખોટા મત નંખાવીને લોકમતના ધાર્યા પરિણામ લાવી વાઇસરોયને સોંપી કલકત્તાને પૂર્વ પાકિસ્તાનમાં ખેંચી લઇ જવાની ફૂલપ્રૂફ યોજનાની બ્લ્યુ પ્રિન્ટ બનાવી હતી. એટલે જ લેખના શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે કલકત્તા આજની તારીખેય ભારતનો હિસ્સો છે અને હિંદુઓ હજી પણ ત્યાં બહુમતીમાં છે તેનું એકમાત્ર શ્રેય વીર શિરોમણી ગોપાલ ચંદ્ર મુખોપાઘ્યાયને જાય છે. ગોપાલભાઈ 2005 સુધી (91 વર્ષ) જીવ્યા અને તેમણે કેટલાંય વર્ષો સમાજસેવામાં અને હિન્દુ સમાજની ઉન્નતિ માટે કાઢ્યા. 

સ્મૃતિ 

છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દૂ સંહતિ નામના એક સંગઠને ગોપાલભાઈ પાઠાની સ્મૃતિમાં 16મી ઓગસ્ટે વાર્ષિક રેલીનું આયોજન ચાલુ કર્યું છે. બંગાળી હિંદુઓ રહી રહીને ઇતિહાસનું પુનરાવર્તન થઇ શકવાની ગંભીર શક્યતાને જોતાં ફરી પોતાના ઇતિહાસ તરફ સમસ્યાના સમાધાન માટે જોતાં થયા છે. 2017માં થયેલી આ વાર્ષિક રેલીમાં કલકત્તામાં આશરે 10,000 યુવાન હિન્દુ યુવક અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલકત્તા શહેરની હાલની વસ્તીની સરખામણીમાં ભલેને થોડાજ, પણ હજીયે પોતાનો સાચો ઇતિહાસ જાણનારા અને તેને આવનાર પેઢી માટે જીવંત રાખવા મક્કમ બંગાળી હિંદુઓ હયાત છે. અને આ ખૂબ જ જરૂરી છે કારણકે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના કૂવા લઈને બેઠા હોવાથી મુસલમાનોનો એટલો બધો દબદબો છે કે વિકિપીડિયા ઉપરથી ગોપાલ પાઠાનું આખેઆખું પાનું જ ગાયબ કરી દેવાયું છે.  આપણે આપણા શૂરવીરોની વાતો જીવંત નહિ રાખીએ તો કોણ રાખશે? 

અમુક સત્યને વરેલા ઇતિહાસકારો પણ ગોપાલભાઈને પોતાના પુસ્તકોમાં તેમના બેજોડ કાર્ય બદલ તેમને છાજે એવું માન અને સ્થાન આપે છે. લેખક આશિષ વીગના પુસ્તક "Desire to see Sunrise Again" માંથી એક અંશ રજૂ કરું છું. 

જતાં જતાં...
શક્ય હોય ત્યાં લેખ-સંગત કોઈ નાના સારા વીડિયોની લિંક મૂકીએ છીએ. આજે ગોપાલભાઈ માટે બે લિંક મૂકું છું, પહેલી યુટ્યૂબનો ટૂંકો એક મિનિટનો વિડીયો છે જયારે બીજો આ જ વિષયવસ્તુ અંગે વિસ્તારથી વાત કરતો વિડીયો છે. આશા છે કે આ લેખ દ્વારા તમને આપણાં ગૌરવવંતા ઇતિહાસનું ભૂલાઈ ગયેલું પાનું હાથ લાગ્યાનો ભાવ આવશે અને આપ અન્ય લોકો સુધી લેખ પહોંચાડશો...જય શ્રી રામ, જય હિન્દ. 

Monday, February 27, 2023

Aurangzeb's persecution of Hindus during his reign (1658-1707)

 


This past weekend my 7th grader kid walked up to me and sought a suggestion to write an article on any Mugal emperor as part of his history class assignment. He further said, the assignment is to write an article that shows both the good and bad side of the emperor. I suggested writing on Aurangzeb however also mentioned that there was nothing really ‘good’ about him that you would be able to find! So he went off and did his online reading and came back and said all the articles he came across only eulogized Aurangzeb for being a very capable administrator and military general and cannot find any details on his vices. I was surprised with this summary and started digging in what Google was showing. Started with a simple Google search “Who was Aurangzeb '' and it was eye-opening to see that top results are articles/posts from Western author (as opposed to Indic authors) Audrey Truschke who has avowed to whitewash the crimes of Aurangzeb against Hindus. She goes to the extent of saying that “Aurangzeb protected more Hindu temples than he destroyed. He employed more Hindus in his imperial administration than any prior Mughal ruler by a fair margin,”

It is incomprehensible that a so-called professor in the USA would lie through her teeth and make such unsubstantiated claims! That was how the idea of this post came to life.


Among avid readers of Indian history, there would be hardly anyone who has not come across
the works of Sir Jadunath Sarkar, a historian par excellence.
Jadunath Sarkar was a Columbus for discovering past history from undiscovered documents. For long sixty years of his active life he produced many works of merit which entitle him the father figure of Indian history writing. His prolific pen produced at least fifty monumental works - all having the touch of a Ranke's technique delving deep into the original documents letters, diaries and other records. He learnt Persian, Rajasthani, Hindi, French, German, Portuguese and made a vast collection of original source materials at great pains and costs. Not content with the original sources, he visited those places and people connected with his work in order to understand the events more intimately. Educated in English literature at Presidency College, Calcutta, Sarkar at first taught English and later shifted to history during his tenure (1902–17) at Patna College. He chose Aurangzeb, the last major Mughal emperor, as the object of his life’s work. His first book, India of Aurangzib, was published in 1901. His five-volume History of Aurangzib took 25 years to complete and was published in 1924. Sarkar devoted another 25 years to his four-volume Fall of the Mughal Empire, completed in 1950. Two of Sarkar’s single-volume works are Chaitanya: His Pilgrimages and Teachings (1913) and Shivaji and His Times (1919). All his works demonstrate his vast knowledge of Persian-language sources and are skillfully written in English. Sarkar served as vice chancellor of the University of Calcutta (1926–28) and on the Bengal legislative council (1929–32). He was knighted in 1929. 


So for this post, I am going to quote Sarkar verbatim to refute baseless claims by Audrey and her aides who have a rather poor understanding of Hindu history in general and Mughals in particular. It is likely that she is willfully indulging in presenting limited information to unassuming readers to create a certain impression of Aurangzeb that would disassociate him from his deeds.

Below content is from the 8th chapter of Sarkar’s book called, ‘A short history of Aurangzib (1618-1707)’. This chapter is labeled, “ Aurangzeb’s religious policy and Hindu reaction to it.” The chapter is broken down into 11 sub-sections in below order. If interested you can read all the sections or jump to the highlighted sections for Aurangzeb’s treatment of Hindus and curtailing their religious rights under his reign.
  1. The Muslim State, its theory and character.
  2. Political disabilities of non-Muslims.
  3. Influence of the Quaranic political ideals on the Muslim population and the subject creeds.
  4. Toleration under Islam exceptional and contrary to Quarnic law.
  5. Aurangzib’s bigotry and temple destruction.
  6. Jaziya or poll-tax on non-Muslims.
  7. Repressive measures against the Hindus.
  8. Hindus of Mathura district oppressed : peasant risings.
  9. The Satnami sect : their rising, 1672.
  10. The course of Sikh religion; change in the character and aims of it’s head.
  11. Guru Govind, his ideal and career.

1. The Muslim State, its theory and character.


By the theory of its origin the Muslim State is a theocracy. Its true king is God, and earthly rulers are merely His agents bound to enforce His law on all. The civil authorities exist solely to spread and enforce the true faith. In such a State infidelity is logically equivalent to treason, because the infidel repudiates the authority of the true king and pays homage to his rivals, the false gods and goddesses. Therefore, the toleration of any sect outside the fold of orthodox Islam no better than compounding with sin. And the worst form of sin is polytheism, the belief that the one true God has partners in the form of other deities. Islamic theology, therefore, tells the true believer that his highest duty is to make "exertion (jihad) in the path of God,"* by waging war against infidel lands (dar-ul-harb) till they become a part of the realm of Islam (dar-ul-Islam) and their populations are converted into true believers. After conquest the entire infidel population becomes theoretically reduced to the status of slaves of the conquering army. The conversion of the entire population to Islam and the extinction of every form of dissent, is the ideal of the Muslim State. If any infidel is suffered to exist in the community, it is as a necessary evil, and for a transitional period only. Political and social disabilities must be imposed on him, and bribes offered to him from the public funds, to hasten the day of his spiritual enlightenment and the addition of his name to the roll of true believers."


*Jihad fi sabil ullafi (Quran, ix. 29). Por jihad see Hughes, 243-948, 710 Encyclopedia of Islam, i. 1041. "And when the sacred months are passed, kill those who join other deities with God, wherever ye shall find them...But if they shall convert....then let them go their way." (Quran, ix. 5, 6.) "Say to the Infidels, if they desist from their unbelief, what is now past shall be forgiven them. But if they return to it.....fight then against them till strife be at an end, and religion be all of it God's" (vili. 39-49).

2.Political disabilities of non-Muslims.

A non-Muslim, therefore, cannot be a citizen of the State; he is a member of a depressed class; his status is a modified form of slavery. He lives under a contract(zimma) with the State: for the life and property that are grudgingly spared to him by the Commander of the Faithful he must undergo political and social disabilities, and pay a commutation-money (jaziya).

He must pay a tax for his land (kharaj), from which the early Muslims were exempt; he must pay other exactions for the maintenance of the army, in which he cannot enlist even if he offers to render personal service instead of paying the poll-tax; and he must show by humility of dress and behaviour that he belongs to a subject class. No non-Muslim (zimmi) can wear fine dresses, ride on horseback or carry arms; he must behave respectfully and submissively to every member of the dominant sect.

As the learned Qazi Mughis-ud-din declared to Ala-ud-din Khalji, in accordance with the teaching of the books on Canon Law: "By these acts of degradation are shown the extreme obedience of the zimmi, the glorification of the true faith of Islam, and the abasement of false faiths. The Prophet has commanded us to slay them, plunder them, and make them captive.. No other religious authority except the great Imam [Hanifa] whose faith we follow, has sanctioned the imposition of the jaziya on Hindus. According to all other theologians, the rule for Hindus is 'Either death or Islam."

The zimmi is under certain legal disabilities with regard to testimony in lawcourts, protection under criminal law, and marriage. The State, as the other party in the contract (zimma), guarantees to him security of life and property and a modified protection in the exercise of his religion, he cannot erect new temples, and has to avoid any offensive publicity in the exercise of his faith.


The early Arab conquerors, notably in Sindh, followed the wise and profitable policy of leaving the shrines and religious practices of the non-Muslim population practically undisturbed. There was at first no wanton or systematic iconoclasm. With the growth of the Muslim population, however, the long enjoyment of unchallenged power bred in them a spirit of intolerance and a love of persecution. Every device short of massacre in cold blood was resorted to in order to convert heathen subjects. In addition to the poll-tax and public degradation in dress and demeanour imposed on them, the non-Muslims were subjected to various hopes and fears. Rewards in the form of money and public employment were offered to apostates from Hinduism. The leaders of Hindu religion and society were systematically repressed, to deprive the sect of spiritual instruction, and their religious gatherings and processions were forbidden in order to prevent the growth of solidarity and a sense of communal strength among them. No new temple was allowed to be built nor any old one to be repaired, so that the total disappearance of all places of Hindu worship was to be merely a question of time. But many of the more fiery spirits of Islam tried to anticipate the destructive hand of Time and forcibly pulled down temples. In this later age, particularly among the Turks, the old Arab toleration of false faiths appeared sinful. Outside their own realms, the destruction of temples and the slaughter of Hindus sanctified every war of aggression. Thus a frame of mind was produced in the Muslim community which habitually regarded plunder and homicide as the purest of human acts, as "exertion (jihad) in the path of God." The murder of infidels (kafir-kushi) is counted a merit in a Muslim. It is not necessary that he should tame his own passions or mortify his flesh; it is not necessary for him to grow a rich growth of spirituality. He has only to slay a certain class of his fellow- beings or plunder their lands and wealth, and this act in itself would raise his soul to heaven.


A creed whose followers are taught to regard robbery and murder as a religious duty, is incompatible with the progress of mankind or with the peace of the world.


3.Influence of the Quranic political ideals on the Muslim population and the subject creeds. 
Nor has it been conducive to the true interests of its followers. Muslim polity formed "the faithful" into a body with no other profession than war. As long as there were any fresh lands to conquer and any rich kafirs to plunder, all went well with the State. The dominant body prospered and multiplied rapidly; even arts and industries, literature and painting of a certain type were fostered. But when the tide of Muslim expansion reached its farthest limit and broke in vain on the hills of Assam and Chatgaon, or the arid rocks of Maharashtra, there was nothing to avert a rapid downfall. The State had no economic basis, and was not able to stand a time of peace.

For, the cruel kindness of the Government had unfitted the dominant people for avocations of peace and the silent but deadly struggle for existence. War is the only trade they have a natural aptitude for, and peace means to them "unemployment," vice and downfall. 


The settled principle of Islam ended by making the Muslims a privileged class, nourished on State bounties, naturally prone to indolence in peace times and unable to stand on their own legs in the arena of life. Public office came to be regarded as the birthright of the faithful, and so every inducement to display superior ability or exertion was taken away from them. The vast sums spent by the State in maintaining pauper houses, and in scattering alms during Ramzan and other holy days and joyous ceremonies, were a direct premium on laziness. Thus a lazy and pampered class was created in the empire, who sapped its strength and was the first to suffer when its prosperity was arrested. Wealth bred indolence and love of ease; these soon led to vice; and vice finally brought about poverty and ruin. At the same time, the treatment of the subject people prevented the full development of the resources of the State by them. When a class of men is publicly depressed and harassed by law and executive caprice alike, it merely contents itself with dragging on an animal existence. The Hindus could not be expected to produce the utmost of which they were capable; their lot was to be hewers of wood and drawers of water to their masters, to bring grist to the fiscal mill, to develop a low cunning and flattery as the only means of saving what they could out of the fruits of their own labour. Amidst such social conditions, the human hand and the human mind cannot achieve their best; the human soul cannot soar to its highest pitch. The barrenness of the Hindu intellect and the meanness of spirit of the Hindu upper classes are the greatest condemnation of Muhammadan rule in India. The Islamic political tree, judged by its fruit, was an utter failure.


As a widely travelled and profound modern philosopher writes, "Islam is a religion of absolute surrender and submissive- ness to God but to a God of a certain character-a War-Lord... The ritual of this belief embodies the idea of discipline...This military basis of Islam explains all the essential virtues of the Musalman. It also explains his fundamental defects- his unprogressiveness, his incapacity to adapt himself, his lack of initiative and invention. The soldier has simply to obey orders. All the rest is the affair of Allah." (H. Kevserling).


When public offices are distributed in consideration of race or creed and not of merit, the non-Muslim populations are thereby driven to conclude that they have no lot or part in such a State. The Islamic theocracy when set up over a composite population has the worst vices of oligarchy and of alien rule combined.


In Mughal India it was, in addition, the dominion of a small minority. And this minority differed from the politically depressed majority not in racial qualities, physical or mental. but in creed only. It was rightly felt by all persons outside the fold of the dominant creed that the power and resources of the community, entrusted to the Government for the public good, were being misused by being applied to the propaganda of a Church which aimed at their extinction. Such a State had no right to be called national; it did not rest on the love and devotion of the people.


4.Toleration under Islam exceptional and contrary to Quarnic law.

Such was the ideal of the State as conceived by orthodox Islam. No doubt, common sense often triumphed over logic and statesmanship over theology; or the weakness of human nature made it impossible for every king and every officer to enforce the intolerant system everywhere or in its entirety. Thus it happened that under Muslim rule there were periods when the Hindus enjoyed toleration and security of property, or when an enlightened and liberal king encouraged them to make progress in literature and art, wealth and public service, and his State grew in strength and material resources.

But such indulgence of infidelity was by its very nature precarious and exceptional. The Muslim world regarded it as a deplorable falling off from the orthodox ideal, and a wicked neglect of royal duty. The Muslim soldiery on whose sword depends the king's power, would regard the liberal Sultan as an apostate, unworthy to rule over them. Therefore, the growth and progress of non-Muslims, even their continued existence, is incompatible with the basic principles of a Muslim State. The political community is in a condition of unstable equilibrium, till either the dissenters are wiped out or the sceptre passes out of Muslim hands. Thus a chronic antagonism between the rulers and the ruled is set up, which has in the end broken up every Islamic State with a composite population. And the reign of Aurangzib was to illustrate
this truth.


5.Aurangzib's bigotry and temple destruction. 

Aurangzib began his attack on Hinduism in an insidious way. In the first year of his reign, in a charter granted to a priest of Benares(Banaras), he avowed that his religion forbade him to allow the building of new temples, but did not enjoin the destruction of old ones. During his viceroyalty of Gujrat 1644, he had desecrated the recently built Hindu temple of Chintaman in Ahmadabad by killing a cow in it and then turned the building into a mosque. He had at that time also demolished many other Hindu temples in the province. An order was issued early in his reign in which the local officers in every town and village of Orissa from Katak to Medinipur were called upon to pull down all temples including even clay huts, built during the last 10 or 12 years and to allow no old temple to be repaired.


Next, on 9th April, 1669, he issued a general order "to demolish all the schools and temples* of the infidels and to put down their religious teaching and practices." His destroying hand now fell on the great shrines that commanded the veneration of the Hindus all over India such as the second temple of Somnath, the Vishwanath temple of Benares, and the Keshav Rai temple of Mathura.

The holy city of Mathura has always been the special victim of Muslim bigotry. It stood on the king's highway between Agra and Delhi. Aurangzib appointed a "religious man," Abdun Nabi, as faujdar of Mathura to repress the Hindus.

On 14th October, 1666, learning that there was a stone railing in the temple of Keshav Rai, which Dara Shukoh had presented to it, Aurangzib ordered it to be removed. And finally in January 1670, he sent forth commands to destroy this temple altogether and to change the name of the city to Islamabad. The destruction of Hindu places of worship was one of the chief duties of the Muhtasibs or Censors of Morals who were appointed in all the sub-divisions and cities of the empire. In June 1680, the temples of Amber, the capital of the loyal State of Jaipur, were broken down. In 1674 he confiscated all the lands held by Hindus religious grants (wazifa) in Gujarat.

*For a list of temples destroyed by him with quotations from authorities see Vol III (Appendix V)

6. Jaziya or poll-tax on non-Muslims.

For permission to live in an Islamic State the unbeliever has to pay a tax called JAZIYA, which means substitute money. ie, the price of indulgence. It was first imposed by Muhammad, who made his followers "fight those who do not profess the true faith, till they pay jaziya with the hand in humility." (Quran, ix. 29). The last two words of this command have been taken by the Muslim commentators to mean that the tax should be levied in a manner humiliating to the taxpayers: the taxed person must come on foot and make the payment standing, while the receiver should be seated. Women, children below fourteen, and slaves were exempted from the tax; blind men, cripples and lunatics paid only when they were wealthy; monks were untaxed if they were poor, but if they belonged to rich monasteries the heads of these religious houses had to pay. The impost was not proportioned to a man's actual income, but the assessees were roughly divided into three classes according as their property was estimated at not more than 200 dirhams ("the poor"), between 200 and ten thousand dirhams (the middle class'), and above ten thousand ("the rich”). Money-changers, cloth-dealers, landowners, merchants, and physicians were placed in the highest class, while artisans, such as tailors, dyers, cobblers, and shoe-makers were counted as "poor." This last class paid only when their professional income left a margin above the cost of maintaining themselves and their families. Beggars and paupers naturally escaped the tax.


The rates of taxation were fixed at 12, 24 and 48 dirhams a year for the three classes respectively, or Rs. 3 ⅓, Rs. 6 ⅔ and Rs. 13 ⅓. On the poor, therefore, the incidence of the tax was at least 6 per cent of their gross income; on the middle class it ranged from 6 to ¼ p. c., and on the rich it was always lighter even than 2 ½ per thousand. In violation of modern canons of taxation, the jaziya hit the poorest portion of the population hardest, and annually took away from the poor man the full value of one year's food as the price of religious indulgence. Akbar had abolished the tax and removed an invidious badge of degradation from the majority of his subjects (1564). Aurangzib reversed this policy.


By imperial orders the jaziya was reimposed on the "unbelievers" in all parts of the empire from 2nd April, 1679, in order, as the official historian records, to "spread Islam and put down the practice of tnfidelity." The Hindus of Delhi and its environs gathered together and pileously cried for the withdrawal of the impost. But the Emperor turned a deaf ear to them. Next Friday, the whole road from the gate of the Fort to the lama mosque was blocked by a crowd of Hindu suppliants. They did not disperse in spite of warning: and the Emperor after waiting vainly for an hour to go to the public prayer, ordered elephants to be driven through the mass of men, trampling them down and clearing a way for him. A temperate and reasoned letter from Shivaji urging the impolicy of the new impost and appealing to Aurangzib to think of the common Father of mankind and the equality of all sincere beliefs in God's eyes, met with no better. success. (Vide Appendix VI of Vol. III, or Shivaji, ch. 13).


The tax yielded a very large sum. In the province of Gujrat, for instance, it was 5 lakhs of Rupees a year; and we shall not be far wrong in holding that the jaziya meant for the Hindus an addition of fully one-third to every subject's direct contribution to the State. To be a Muslim was to be free from this extra taxation.


The officially avowed policy in reimposing the jaziva was to increase the number of Muslims by putting pressure on the Hindus. As the contemporary observer Manucci noticed, "Many Hindus who were unable to pay turned Muhammadan, to obtain relief from the insults of the collectors...... Aurangzib rejoices."


7.Repressive measures against the Hindus. 


By an ordinance issued on 10th April, 1665, the mahsul or custom duty on all commodities brought in for sale was fixed at 2 ½ p. c. of the value in the case of Muslims and 5 p. c. in that of Hindu vendors.

On 9th May, 1667, the Emperor abolished the custom duty altogether in the case of Muslim traders, while that on the Hindus was retained at the old level. The real loss to the State was likely to be still greater as the Hindu traders had now a strong temptation to pass their goods off as the property of Muslims, in collusion with the latter.

A third instrument of the policy of putting economic pressure on unbelievers, was the granting of rewards to converts and the offering of posts in the public service, liberation from prison, or succession to disputed property, on condition of turning Muslim.

In 1671 an ordinance was issued that the rent collectors of the Crown lands must be Muslims and all viceroys and taluqdars were ordered to dismiss their Hindu head clerks (peshkars) & accountants (Diwanian) and replace them by Muslims. It was found impossible to run the administration after dismissing the Hindu peshkars of the provincial governors, but in some places Muslims replaced Hindu kroris (district rent-collectors), Later on, the Emperor yielded so far to necessity as to allow half the peshkars of the revenue minister and paymaster's departments to be Hindus and the other half Muhammadans. Under Aurangzib, "qanungo*-ship on condition of turning Muslim" became a proverbial expression; and several families in the Panjab still preserve his letters patent in which this condition of office is unblushingly laid down.


Some of the converts were, by the Emperor's orders, placed on elephants and carried in procession through the city to the accompaniment of a band and flags. Others got daily stipends, four annas at the lowest.

In March 1695 all Hindus, with the exception of the Rajputs, were forbidden to ride palkis, elephants or thorough-bred horses, or to carry arms. On certain days of the calendar, the Hindus all over India hold fairs near their holy places. Men, women and children in vast numbers gather together; booths are set up and packs opened by the traders. Here the village women meet their distant friends and kinsfolk, and enjoy the show. Aurangzib in 1668 forbade such fairs throughout his dominions. The Hindu festival of lamps (Diwali) and spring carnival (Holi) were ordered to be held only outside bazars and under some restraints.*Qanungo was considered to be a "walking dictionary" of prevailing rules, customs, traditions and practices.


8.Hindus of Mathura district oppressed : peasant risings.

Such open attacks on Hinduism by all the forces of Government naturally produced great discontent among the persecuted sect. Some frantic attempts were made on the Emperor's life, but they were childish and ended in failure. Early in 1669 a most formidable popular rising took place in the Mathura district.


Abdun Nabi Khan, who was faujdar of Mathura from August 1660 to May 1669, entered heartily into his master's policy of rooting out idolatry." Soon after joining his post he built a Jama Masjid in the heart of the city of Mathura (1661-1662) on the ruins of a Hindu temple. Later, in 1666, he forcibly removed the carved stone railing presented by Dara Shukoh to Keshav Rai's temple. When in 1669 the Jat peasantry rose under the leadership of Gokla, the zamindar of Tilpat, Abdun Nabi marched out to attack them in the village of Bashara, but was shot dead during the encounter (about 10th May). Gokla, flushed with victory, looted the pargana of Sadabad, and the disorder spread to the adjacent Agra district. At this Aurangzib sent strong forces under high officers to quell the rebellion. Throughout the year 1669 lawlessness reigned in the Mathura district. On 4th December Hasan Ali Khan attacked some rebel villagers. They fought till noon, when being unable to resist any longer, many of them slaughtered their women and rushed upon the swords of the Mughals, fighting with the recklessness of despair.


Next month Hasan Ali Khan defeated Gokla. The rebels, who mustered 20,000 strong, mostly Jat and other stalwart peasants, encountered the imperial forces at a place 20 miles from Tilpat. But after a very long and bloody contest they gave way before the superior discipline and artillery of the Mughals, and fled to Tilpat, which was besieged for three days and at last stormed at the point of the sword. The havoc was terrible. On the victors' side 4,000 men fell and on the rebels' 5,000, while 7,000 persons, including Gokla and his family, were taken prisoner. The Jat leader's limbs were hacked off one by one on the platform of the police office of Agra, and his family was forcibly converted to Islam. 


Hasan Ali's strong measures had the desired effect, and peace was soon restored to the district, but for a time only. In 1686 the second Jat rising began, under the leadership of Rajaram, which will be described later.

End of sub-section 8.

IF you have reached this far in the article, you deserve kudos for being a patient reader and have a deep interest in the subject. At this point you can clearly see how Western historians such as Audrey are willfully indulging in whitewashing crimes of one of the most barbaric rulers of medieval/Mughal India. Thankfully we ordinary Hindus are now more alert than ever of these attempts and will tear apart such motivated narrative building campaigns.

Lastly, was curious how ChatGPT fares against Audrey in terms of fairness and research on the subject hence I asked this below. Enjoy the AI response!



Jay Shri Ram!

Monday, June 20, 2022

હિન્દુ શૂરવીર - અલ્લુરી સીતારામ રાજુ - રામપા વિદ્રોહ

દેશદાઝ પર ભૂતકાળમાં આપણે એવા વિષયો ઉપર લેખોનો સમાવેશ કર્યો છે કે જે જયારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારે તે વિષયો ઉપર પહેલવહેલા લેખ હતા અને એમના ઉપર આજે પણ ઇન્ટરનેટ ઉપર ખાસ માહિતી મળતી નથી. ઉદાહરણ તરીકે. 

1) રામ જન્મભૂમિ ઇતિહાસ

2)કૃષ્ણ જન્મભૂમિ ઇતિહાસ 

3) લાચિત બોરફુકન 

4) આનંદબાઇ ગોપાલ જોશી 

5) અયોધ્યા મુક્તિ સંગ્રામના ભૂલાઈ ગયેલા શૂરવીરો 

6) સંભાજી મહારાજ 

7) માનગઢ હત્યાકાંડ 

હવે આજ શૃંખલાને આગળ વધારતાં આપણે આજે વાત કરશું આંધ્રના પરમ દેશભક્ત એવા આદિવાસી નેતા અલ્લુરી સીતારામ રાજુની. આપણે લેખને ચાર સરળ ભાગમાં વહેંચી દઈશું. 

1) પૂર્વાધ :

બ્રિટિશ રાજમાં મોટાભાગનું વિંધ્યના પહાડોની દક્ષિણનું ભારત કે જેમાં આજના રાજ્યો જેવા કે કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર અને કેરળનો સમાવેશ થાય છે તે બધાં જ "મદ્રાસ પ્રેસિડેન્સી" નામના વિશાળ પ્રશાસનિક રાજ્યનો હિસ્સો હતા. અત્રે ધ્યાન રહે કે આ મદ્રાસ પ્રેસિડેંસીમાં નકશામાં દેખાતા નાના પાંચ રજવાડાઓ ન હતા, આ નીચેના પાંચ રજવાડા "મદ્રાસ પ્રિંસલી સ્ટેટ્સ એજન્સી" નામક અન્ય પ્રશાસનિક વિસ્તાર હેઠળ હતા. 

1) ત્રાવણકોર

2) કોચીન

3) પુડુકોટ્ટાઇ

4) બાંગનાપલ્લે

5) સંદૂર
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો
મદ્રાસ પ્રેસિડેન્સીનો નકશો

આ મદ્રાસ પ્રેસિડેન્સી હેઠળનો જંગલ વિસ્તાર જ 1902 સુધી 19,566 ચોરસ માઈલ હતો જે 1907 સુધીમાં વધીને 19607 ચોરસ માઈલ થયો હતો. 1922માં મદ્રાસ પ્રેસિડેંસીનો માત્ર આંધ્ર વિસ્તાર જ વધીને 19287 ચો. માઈલ થઇ ગયો હતો જેમાં ગંજામ, વિશાખાપટનમ અને ગોદાવરી મુખ્ય વિસ્તારો હતા. મદ્રાસ પ્રેસિડેન્સીના આ આંધ્ર વિસ્તારનો પહાડી ભૂભાગ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલો હતો, રામપા અને ગુડેમ, જે અનુક્રમે 700 અને 740 ચો. માઈલમાં ફેલાયેલા હતા. રામપા 30 અને ગુડેમ 10 જાગીરોમાં વહેંચાયેલા હતા. સ્થાનિક ભાષામાં જાગીરોને "મુત્તા" અને જાગીરદારોને "મુત્તાદાર" કહેવાતું હતું. અંગ્રેજોના આગમન પહેલાં આ મુત્તાદારો જ સ્થાનિક પ્રજા ઉપર નિરંકુશ રાજ ભોગવતા હતા, જેતે રાજા દ્વારા નિમાયેલા શાસક તરીકે એમની મરજી પ્રમાણે કર વસૂલવો, એમાં ફેરબદલ કરવો, વગેરે. આ રામપા વિસ્તારમાં બ્રિટિશ રાજ દરમ્યાન 2 વાર આદિવાસીઓએ તેમની સામે બળવો કર્યો હતો. સૌથી પહેલો બળવો 1879માં થયો હતો જે રામપાના પ્રથમ વિદ્રોહ તરીકે જાણીતો છે અને બીજો વિદ્રોહ 1922માં થયો હતો. આપણે આ દ્વિતીય બળવા ના પૂર્વાર્ધ વિશે વાત કરશું. 

બ્રિટિશ રાજમાં આ મુત્તાદારોની નિરંકુશ સત્તામાં ઘણો મોટો કાપ આવી ગયો હતો, તેઓ હવે બ્રિટિશ સરકારના વચેટિયા માત્ર રહી ગયા હતા અને તેમને બ્રિટિશ રાજ માટે સ્વાભાવિક રીતે આક્રોશ હતો. તેઓ એક સમયે સ્થાનિક પ્રજા ઉપર જુલમ ગુજારતાં હતા, શોષણ કરતા. પણ હવે શોષિત અને શોસક બંને બ્રિટિશ રાજના વિરોઘી થઇ ગયા હતા. આદિવાસીઓના બ્રિટિશ વિરોધ પાછળ નિમ્ન મુખ્ય કારણો હતા. 

1.1) પોડુ કૃષિ પદ્ધતિ ઉપર પ્રહાર 

આજે પણ આંધ્રમાં વસતા આ કોયા પ્રજાતિના આદિવાસીઓ સામાન્ય રીતે પહાડોના ઢાળના વિસ્તારોમાં અમુક નાના વિસ્તારના વૃક્ષો કાપી જમીનનો ઉપયોગ ખેતી માટે કરતા. ઝાડ ડિસેમ્બરની આસ-પાસ કાપવામાં આવતા અને તેમના લાકડાનો શિયાળાની ઠંડીમાં બળતણ તરીકે ઉપગોય થતો, તેની રાખને તેઓ ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગ કરતા. તેઓ સામાન્ય રીતે મકાઈ, રાગી અને સમાઈનું વાવેતર કરતા. નવા વર્ષે નવા ઢાળ ઉપર આજ ક્રમનું પુનરાવર્તન થતું અને આગલા વર્ષે જે જગ્યામાં વાવેતર થયું હોય તે વિસ્તારમાં બીજા 10-15 વર્ષ સુધી કે જ્યાં સુધી તે વિસ્તાર ફરી જંગલમાં પરિવર્તિત ના થઇ જાય ત્યાં સુધી ફરી વાવેતર કે ઝાડની કાપણી થતી નહિ. તેઓ જરૂર પૂરતાં નાના વિસ્તારમાં જ પોડુ કૃષિ કરતાં અને તેઓ જંગલ અને ઝાડના પૂજક હતા એટલે અંધાધૂંધ કાપણી દ્વારા જંગલ સંપત્તિનો વિનાશ તેમનો ઉદ્દેશ્ય નહોતો. પણ બ્રિટિશ રાજના કાયદાઓ મુજબ જંગલના કેટ કેટલાય માઈલોના વિસ્તારને "આરક્ષિત" જાહેર કરી દેવામાં આવ્યા અને પોડુ કૃષિને રાતોરાત ગેર-કાયદેસર જાહેર કરી દેવામાં આવી. સંપૂર્ણ-પણે પ્રકૃતિ ઉપર નિર્ભર અને સાવ અભણ આદિવાસીઓ માટે બ્રિટિશ રાજના કાયદાઓના લીધે "Forced  Famine " એટલે કે કુદરતના લીધે નહિ પણ બ્રિટિશ રાજ નિર્મિત ભૂખમરાની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. 

1.2) જંગલમાં સંગ્રહ ઉપર પ્રતિબંધ. 

બ્રિટિશ રાજ પહેલાં આદિવાસીઓ જંગલમાંથી બળતણ માટેનું લાકડું, ફૂલો, ફળો, ઔષધીય વનસ્પતિઓ વગેરે સંગ્રહીને વેચીને પેટગુજારો કરતા અને તેમની સમજણ પ્રમાણેની આર્થિક પ્રવૃતિઓ કરતા. ટૂંકમાં તેઓ જંગલમાં કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે સ્વતંત્ર હતા અને હજારો વર્ષોથી તેઓ આમ જ જીવન ગુજારવા ટેવાયેલા હતા. બ્રિટિશ વન વિભાગે 1882ના મદ્રાસ ફોરેસ્ટ એક્ટ હેઠળ આ જંગલ સંપત્તિના 'સંગ્રહ' ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. અને હવે આ પ્રવૃત્તિ માત્ર અને માત્ર વન વિભાગના અધિકાર હેઠળ મૂકવામાં આવી, વન વિભાગે "ફૂલી" મજૂરી [ રેલવે પ્લાટફોર્મો ઉપર ફૂલી પ્રથા ક્યાંથી આવી ? ]  પ્રથા શરુ કરી અને ખૂબ જ અલ્પ મહેનતાણું આપીને આદિવાસીઓ પાસે આ વસ્તુઓ ભેગી કરાવવાનું શરુ કર્યું. આ વસ્તુઓને વેચીને બ્રિટિશ સરકારે, પોતાની તિજોરીઓ ભરવાનું કુકર્મ શરુ કર્યું અને આદિવાસીઓની જીવનચર્યા ઉપર વજ્રઘાત કર્યો. 

1.3) ફૂલી મજૂરી

બેકાર થઇ ગયેલા આદિવાસીઓને બ્રિટિશ સરકાર જંગલો કાપીને રોડ બાંધવાના કામ માટે મજૂરો તરીકે ઉપયોગમાં લેવા લાગી અને કાગળ પાર એવું બતાવવામાં આવતું કે ત્યારના પ્રવર્તમાન ધોરણો પ્રમાણે મજૂરી ચૂકવાઈ રહી છે પણ હકીકત કઈંક જુદી જ હતી. ભાષાના અવરોધના લીધે આદિવાસીઓ સાથે સંપર્ક માટે નિમાયેલી "ઐય્યપન કમિટી" નોંધે છે કે અમુક પ્રકારના કામ માટે કોઈ જ મહેનતાણું ચુકવાતું નહોતું. તદુપરાંત વન વિભાગના અધિકારીઓ જ સ્વીકારતા કે સરકારે નક્કી કરેલું મહેનતાણું છૂટક મજૂરી માટેના બજાર ભાવ કરતાં ઓછું હતું. વિશાખાપટનમના રાજના એજન્સી કમિશ્નર F. W. Stewart નરસપટમ સ્થિત ચીફ સેક્રેટરીને સપ્ટેમ્બર 12 1922ના રોજ લખેલા પત્રમાં નોંધે છે કે "રામપાના તહેસીલદારે રોડ બાંધકામના કાર્યમાં જોડાયેલા મજૂરોને એક પણ પૈસાની મજૂરી ચૂકવી નથી." 

વન વિભાગના અધિકારીઓ અને સરકાર માટે સંગ્રહનો ઠેકો લેતા ઠેકેદારોની મિલીભગતના લીધે આદિવાસીઓનું ખૂબ શોષણ થતું હતું. ઘણીવાર રાજના કામો માટે 1858 એક્ટ 1 નો દુરુપયોગ કરીને ફરજીયાત અને વગર પૈસા ચૂકવે મજૂરી કરાવવામાં આવતી તેને ત્યાં સ્થાનિક ભાષામાં 'વેત્તિ' કહેતા.[જેને આપણે ગુજરાતીમાં "વેઠ" કહીએ છીએ] વેત્તિ કરતાં પણ વધુ શોષણ "ગોઠી" પ્રકારની મજૂરીમાં થતું કે જેમાં આદિવાસીઓને બંધક મજૂર બનાવવામાં આવતા. એટલું જ નહિ પણ જે કમનસીબ આદિવાસી બંધક મજૂર બનાવવામાં આવ્યો હોય તેના બાળકોને પણ આગળ જતાં આ પ્રકારની ખૂબ જ જુલ્મી અને શોષણવાળીવ્યવસ્થાનો વ્યવસ્થાનો ભાગ બનવું પડતું. 

2) બાળપણ

છાપામાર યુદ્ધમાં પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી અમર થઇ જનાર એવા અલ્લુરી સીતારામ રાજુનો જન્મ વિશાખાપટનમથી આશરે 50 કિમી ઉપર ઈશાન (ઉત્તર-પૂર્વ)માં પંડારંગી નામે ગામમાં 4થી જુલાઈ 1897ના રોજ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. અલ્લુરીના પિતા વેંકટરામ રાજુ વ્યવસાયે ફોટોગ્રાફર હતા અને તનજીકના મોટા શહેર રાજમુંદરીમાં ઠરીઠામ થયેલા હતા. વેંકટરામ ખૂબ જ સ્વતંત્ર મિજાજના હતા અને કોઈની હેઠળ કામ કરવું તેમને ફાવતું નહોતું. તે સમયે રસ્તા પરથી જો કોઈ યુરોપિયન વ્યકતિ પસાર થાય તો તેમના માનમાં ઝુકવાની કે સલામી આપવાની પ્રથા હતી, એક વાર વેંકટરામ અલ્લુરીને આવી રીતે કોઈ યુરોપિયનને સલામ કરતા જોઈ ગયા તો તેમણે તેને ઠપકો આપ્યો અને ફરી ક્યારેય આવી રીતે સલામી ન આપવા તાકીદ કરી. અલ્લુરીના માતા નારાયણમ્મા એક ધાર્મિક સ્ત્રી હતા. અલ્લુરીએ માત્ર 8 વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. ગામડે જ પ્રાથમિક શાળા પતાવ્યા બાદ હાઈ સ્કુલ માટે તેઓ કાકીનાડા ગયા જ્યાં તેમનો સંપર્ક મદદુરી અન્નપૂર્ણયા સાથે કે જે આગળ જતાં ગાંધી ચિંધ્યા સત્યાગ્રહના માર્ગે જોડાયા અને રાષ્ટ્રીય સ્તરે જાણીતાં થયા. તેઓ બંને ભેગા માતૃભૂમિના સ્વાતંત્ર્યના સ્વપ્નો જોતા અને ભણવાના ભોગે તેની વાતો, કલ્પના કરતા. અલ્લુરીને ધ્યાનમાં બેસવું પણ ગમતું એવું નોંધાયું છે. 1912માં તેઓ IV ફોર્મ (આજના શિક્ષણ સાથે આ ક્યાં બંધ બેસે તેની જાણ નથી) ભણવા વિશાખાપટનમ ગયા. ત્યાં તેમના કોઈ મિત્રની બહેન સીતા માટે તેમને ખૂબ પ્રેમ હતો જે તેઓ ક્યારેય વ્યક્ત કરી શક્યા નહોતા. કોઈ આકસ્મિક સંજોગોમાં જયારે તેનું અચાનક અવસાન થયું ત્યારે તેઓ ખૂબ જ નાસીપાસ થઇ ગયા અને તે સીતાની યાદમાં તેમણે પોતાના મૂળનામ અલ્લુરી રામમાં "સીતા" ઉમેરી દીધું ત્યારથી તેઓ અલ્લુરી સીતારામ તરીકે ઓળખાયા. ત્યારબાદ તેમના કાકા રામકૃષ્ણ રાજુ કે જે નરસપુરના તહેસીલદાર હતા તે તેમને તેમની પાસે લઇ આવ્યા અને તેમને ત્યાંની "Taylor" હાઇ સ્કૂલમાં દાખલ કર્યા. પણ મૂળ બળવાખોર પ્રકૃતિના અલ્લુરીને આ ગોઠ્યું નહિ, તેઓ તો કાકાનો ઘોડો લઈને તેને ડુંગરોમાં લાંબી સવારી માટે નીકળી પડતા. તેમને ઘોડેસવારી ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા અભ્યાસમાં અને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓમાં પણ રસ હતો. તેમણે વિદેશી પદ્ધતિ પ્રમાણેનો અભ્યાસ પડતો મૂક્યો પણ જાતે જ તેલુગુ, સંસ્કૃત, ઈંગ્લીશ અને હિન્દી ઉપર પકડ મેળવી. યુવાન વયે તેમને દેશાટનનો પણ ચસ્કો હતો. કહેવાય છે કે તેઓ હિમાલય ખૂંદવા નીકળ્યા હતા અને ગંગોત્રી અને નાસિક કે જે અનુક્રમે મા ગંગા અને ગોદાવરીના ઉદગમ સ્થાનો છે ત્યાંની મુલાકાતે ગયા હતા. હિમાલયમાં તેઓ મહાન ક્રાંતિકારી પૃથ્વી સિંહને મળ્યા કે જે બેડીઓમાં જકડાયેલા અને સિપાહીઓની વચ્ચે હોવા છતાં ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી ગયા હતા અનેજાણીતા થયા હતા. તેઓ બંને અન્ય ક્રાંતિકારીઓને મળવા હાલ બાંગલાદેશમાં સ્થિતઃ એવા ભાગલા પહેલાના ભારતના ક્રાંતિકારીઓના ગઢ એવા ચિત્તાગોંગ ગયા. 

Reference Book for the citation

અંતે તેઓ હાલના આંધ્ર પ્રદેશ સ્થિત પપિકોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાનની નજીક આવેલી પપીની ટેકરીઓમાં સ્થાયી થયા. ઉપર પૂર્વાર્ધમાં જણાવેલ કોયા પ્રજાતિના આદિવાસીઓ સાથે થતો અન્યાય જોઈ તેઓ ખૂબ જ વ્યથિત થયા. આ ઉપરાંત સ્થળપુરાણ (સ્થાનિક ઇતિહાસ)માં એવું પણ નોંધાયું છે કે આવી વિષમ પરિસ્થિતિમાંયે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન થતું જોઈ તેઓ ખૂબ જ રોષે ભરાતા. બ્રિટિશ રાજના વેપાર ભેગો યુરોપની અતિ-જાણીતી વટાળ પ્રવૃત્તિ અને તેમાં આગળ પડતો એવો પ્રોટેસ્ટન્ટ પંથ પણ ભારત આવ્યો હતો. પ્રોટેસ્ટંટોના 100 માંથી 80 સંપ્રદાયો તે વખતથી જ આ વટાળ પ્રવૃત્તિમાં જોરશોરથી જોડાયેલા હતા. પી. રાજેશ્વર રાવ પોતાના પુસ્તક "ધ ગ્રેટ ઇન્ડિયન પેટ્રિઅટસ" ભાગ 2માં અલ્લુરી પ્રકરણમાં નોંધે છે કે તે જમાનામાં 30 કરોડ રૂપિયા વાર્ષિક મિશનરીઓ ધર્માંતરણ માટે વાપરતા હતા.(જે આજની તારીખ પ્રમાણે આશરે 900 કરોડ થાય.) અને જયારે પણ ધર્માંતરણની વાત આવે છે ત્યારે મને કેન્યાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કીધેલું એક જાણીતું વાક્ય હમેંશા યાદ આવે છે. 

જે આફ્રિકાની ગરીબ પણ સ્વાયત્ત આદિવાસી જાતિઓ સાથે થયું એજ બ્રિટિશરાજના સમયથી આપણા દેશના આદિવાસીઓ સાથે આજે પણ થઇ રહ્યું છે.

વધારાની વાત : કહેવાતા 'કટ્ટર' હિન્દૂ એવા મોદી સરકારના આઠ-આઠ વર્ષ પછીયે હજીયે ભારત સરકાર વિદેશીઓને બેરોકટોક "મિશનરી" વિસા આપે છે કે જેથી કરીને તેઓ ભારતના સનાતન ધર્મની અને સંસ્કૃતિની ઘોર ખોદવાનું 500થીયે વધુ વર્ષોથી ચાલ્યું આવતું અવિરત કાર્ય ચાલુ રાખી શકે, પણ એ બધી દુઃખદ વાતો હાલમાં રહેવા દો. 

સારો બાંધો, કદ-કાઠી અને દેખાવડાં હોવા છતાં ય 18 વર્ષે અલ્લુરીએ સંન્યાસ લઇ લીધો અને આજ રામપા અને ગુડેમના ડુંગરો-કોતરોમાં ભટકતા. તેમની તપસ્યા, જ્યોતિષનું તેમ જ ઔષધીય જ્ઞાન અને તે ઉપરાંત જંગલી પશુઓને વશમાં કરવાની આવડતને કારણે તેઓ સ્થાનિક આદિવાસીઓના લાડીલા થઇ ગયા અને આદિવાસીઓ તેમને દૈવી શક્તિવાળા સંત તરીકે જાણવા લાગ્યા. તેમની આ સંત તરીકેની ઓળખ તેમની પ્રસિદ્ધિનું કારણ બની. સ્થાનિક લોકો તેમને 'દેવુડુ' (દેવ) તરીકે સંબોધવા લાગ્યા. લોકોમાં એવો ભાવ જાગ્યો કે બ્રિટિશના 'જબરદસ્ત' જુલમી શાસનમાંથી આ દેવ જ આપણને મુક્ત કરાવશે અને યુવાન સંત અલ્લુરીને ત્યાંના લોકસંગીતમાં વણી લેવામાં આવ્યા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હયાત હોય ત્યારે તેનો ઉલ્લેખ લોક-સંગીતમાં નથી થતો, વ્યકતિના આ દુનિયામાંથી વિદાય લીધા બાદ જ તેમના નામનો લોક-સંગીતમાં ઉમેરો થતો હોય છે. આ બાબત પરથી ખ્યાલ આવે છે કે તેઓ કેટલા લોકપ્રિય હતા. તેમના એક સમયના સહાધ્યાયી અને ગાંધીવાદી અન્નપૂર્ણયા જેમનો પહેલાં ઉલ્લેખ કર્યો હતો તે નોંધે છે કે અલ્લુરી આદિવાસીઓને ધર્મરૂપી દૂધમાં દેશભક્તિની સાકાર ઘોળીને પીવડાવતાં. 

3) વિદ્રોહ 

અલ્લુરી તે સમયની રાજકીય ગતિવિધિઓથી સુપેરે પરિચિત હતા. ત્યારના કોંગ્રેસના પ્રચારકો દ્વારા મળતા સમાચારના લીધે અસહકાર આંદોલન વિશે તેઓ જાણતા હતા અને ગાંધીજીના અમુક પ્રયોગોનો તેમણે પોતાની વિદ્રોહની યોજનાને ગુપ્ત રાખવા એક જાતના માટે આવરણ તરીકે ઉપગોય કર્યો. તેમણે  અંગ્રેજો દ્વારા ચલાવવામાં આવતી કોર્ટોના તથા દારૂના બહિષ્કાર માટે સ્થાનિક લોકોને અપીલ કરી અને તેમનું વચન ભોળા અને ભાવુક જંગલમાં વસતા લોકો માટે દૈવી આજ્ઞા સમાન હતું, ગોદાવરી અને વિશાખાપટ્ટનમમાં તેમને લોકોનો ઘણો જ સહકાર મળ્યો. કોર્ટોમાં કાગડા ઉડવા માંડ્યા અને દારૂનો લોકોએ મોટી સંખ્યામાં ત્યાગ કર્યો. ઠેકઠેકાણે નાની નાની પંચાયત કોર્ટો શરુ થઇ અને લોકોએ જાતે જ સ્થાનિક રીતે ન્યાય તોળવાનું શરુ કર્યું. અલ્લુરીએ પોતે ખાદી અપનાવી અને પાછળથી એ પણ બહાર આવ્યું કે તેમના સૈનિકો માટે પણ ખાદી જ વાપરવામાં આવતી. તેઓ આ બધી પ્રવૃતિઓના લીધે તેમની સશસ્ત્ર બળવાની યોજના ગુપ્ત રાખવામાં એ હદે સફળ થયા હતા કે જયારે ઓગસ્ટ 1922માં જયારે તેમણે 500 સૈનિકો સાથે 3 પોલીસ સ્ટેશનો ઉપર હુમલા કર્યા અને સ્વતંત્રતા માટે યુદ્ધની જાહેરાત કરી ત્યારે બંને કોંગ્રેસ આગેવાનો અને બ્રિટિશ સરકાર આંચકો ખાઈ ગયા. ચિન્તાપલ્લી, કૃષ્ણદેવીપેટ અને રાજવોમમાંગી આ ત્રણે સ્થળે એક પછી એક એમ 22,23 અને 24 ઓગસ્ટ 1922માં હુમલા થયા અને તેઓ 26 કાર્બાઇન બંદૂકો અને 2500 રાઉન્ડ ચોરી ગયા. ભારતના સ્વાતંત્ર્યતાના ઇતિહાસમાં જવલ્લે જ આવા ગોરીલા યુદ્ધનીતિના સફળ દાવ વિશે વાંચવામાં આવે છે. આ સફળતા બાદ તેઓ ઈશાન દિશામાં ગુદેમ તરફ રાવણ થયા જ્યાં એક સ્થાનિક ઉત્સવમાં ભાગ લઇ વધુ યુવાનોને પોતાની સશસ્ત્ર લડતમાં જોડવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. ત્યાર બાદ તેમને 25 સપ્ટેમ્બરે દમણપલ્લીના ઘટમાં ફરી એક મોટી સફળતા મળી. તેમને ઓચિંતા હુમલા માટે બ્રિટિશ તૈયાર નહોતા અને તેમણે બે બ્રિટિશ ઓફિસરો સ્કોટ કોવર્ડ અને એલ. એન. હેયટરને ત્યાં ને ત્યાં ઠાર કરી દીધા. તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે તેમની લડત "ગોરાઓ" સામે છે. બ્રિટિશ સરકાર ટૂંકા સમયમાં ચાર ચાર હુમલાઓમાં માર ખાધા બાદ હચમચી ગઈ હતી અને "માલાબાર સ્પેશિયલ ફોર્સ" કે જેની પાસે વાયરલેસ સેટ જેવા ત્યારના અદ્યતન સાધનો, જંગલોમાં માલવહન માટે ખચ્ચરો ઉપરાંત જંગલોમાં લડવા માટે ખાસ પ્રશિક્ષણ મળેલું હતું તેમને લાવવામાં આવ્યા. પણ કારણકે આ દુર્ગમ વિસ્તારોમાં કે જ્યાં સ્થાનિક લોકોને જંગલના ખૂણે ખાંચરાની માહિતી હતી તેઓ એક જાતનું માહિતી તંત્ર હતા તેમજ તેમને અલ્લુરી માટે ખૂબ માન હતું, તેઓ બધી જ રીતે અલ્લુરી અને તેના સાથીઓનું રક્ષણ કરતા તેથી બ્રિટિશ સરકાર માટે તેમને શોધવું/પકડવું લગભગ અશક્ય હતું. બ્રિટિશ માટે અલ્લુરીને શોધવો એ ઘાસના પૂળામાં સોય શોધવા જેટલું કપરું કામ હતું. છેવટે બેચેન બ્રિટિશ સરકાર જેમ પહેલાં ઘણીવાર કરી ચૂકી હતી તેમ પોતાની લશ્કરી દમન નીતિ ઉપર આવી ગઈ. માહિતી આપનારને ઇનામથી માંડીને પોલીસને બાતમી ન આપવા તેમ જ અલ્લુરી અને તેના સૈનિકોને શરણ આપવા બાદલ "શિક્ષા-કર", આડેધડ ગામોંમાંથી ધરપકડ કરીને શારીરિક અત્યાચાર જેવા જાત જાતના ગતકડાં અજમાવા મંડી. અલ્લુરીની ધરપકડ માટે રૂપિયા 1500, તેમના જમણો હાથ ગણાતાં કોયા બંધુઓ ગામ ગણતમ  દોરાની અને ગામ મલ્લુદોરાની ધરપકડ માટે 1000ના ઇનામ જાહેર થયા. માર્શલ લૉ અમલમાં મૂકવામાં આવ્યો કે જે પોલીસને વધુ સત્તા આપે કે જેથી કરીને તેઓ આદિવાસીઓ તેમજ ગામ વાળાઓ ઉપર વધુ અત્યાચાર આચરી શકે. 

શિક્ષા કર રીતસર માથે બંદૂક તાકીને વસૂલવામાં આવતો. બીજી જૂન 1923 સુધીમાં બે મહિનાના ગાળામાં અંગેજોએ રૂપિયા 1768 એકત્ર કર્યા, જુલાઈ 21,1923 સુધીમાં લેવાના થતાં 1705 રૂ. ની સામે 5761 રૂ. ગરીબ પ્રજા પાસેથી વસૂલવામાં આવ્યા જે ત્યારના સમયમાં ખૂબ મોટી રકમ હતી. તે છતાંય સફળતા ના મળતાં અંગ્રેજોએ ગામેગામ રીતસર એક-એક ઘરની તલાશી લેવાનું ચાલુ કર્યું. પણ આ બધી વિપદાઓ છતાં લોકોએ ક્યારેય અલ્લુરી અને તેના સાથીઓ સાથે દગો ના કર્યો. ઘણાં વિસ્તારોના મુત્તાદારોએ પણ અલ્લુરીને સાથ આપ્યો ને અમુક જેમકે મકરામ મુત્તાના મુત્તાદાર બળવાખોરોને સાથ આપવાના ગુનામાં જેલભેગા પણ થયા. આ બધા પ્રયત્નો બાદ પણ લોકો ટસથી મસ નથી થઇ રહ્યા અને ઉલ્ટાનું વધુને વધુ લોકો અલ્લુરીની સાથે જોડાઈ રહ્યા છે જાણી બ્રિટિશ સરકારે "શિક્ષા-કર" નાબૂદ કર્યો. માલાબાર સ્પેશિયલ ફોર્સ પણ બળવાને જોરજુલમથી દાબી દેવામાં અક્ષમ રહ્યો અને છેવટે બ્રિટિશ સરકારે તેમના લશ્કરને બોલાવ્યું. બ્રિટિશ લશ્કરે અમાનુષી અત્યાચારોની સીમાઓ વટાવી દીધી. જેમના ઉપર અલ્લુરી અને તેમના સાથીદારોને શરણ આપવા કે મદદ આપવાની શંકા હોય તેમના ખેતરોમાં ઉભા પાક સળગાવી દેવા, ઘરો સળગાવી દેવા, તેમના પશુધનને મારી નાખવું અને તેમની સ્ત્રીઓ સાથે નિર્દયી કૃત્યો કરવા વગેરે. અંતે બ્રેકન(Bracken) કે જે પૂર્વ ગોદાવરીનો કલેક્ટર હતો અને રૂધરફર્ડ (R.T. Rutherford ) કે જે વિશાખાપટ્ટનમનો કલેકટર હતો તે બંને જાત જાતના કાવતરાં કરીને અલ્લુરીએ ચાંપેલી સ્વરાજની જ્યોતને બુઝાવી દેવામાં સફળ થયા અને સાતમી મે 1924ના રોજ, બળવાના આશરે 2 વર્ષ બાદ અલ્લુરીને કોંડાપલ્લીના યુદ્ધમાં ગોળી વાગી અને તે વીરગતિ પામ્યા. જો કે અમુક લોકવાયકાઓ એવી પણ છે કે તેઓ આ યુદ્ધમાંથી જીવતા બચી ગયા હતા અને બ્રિટિશરોને ભરમાવવા તેમની જગ્યાએ કોઈ અન્ય મૃત સૈનિકને મૃત અલ્લુરી જાહેર કરી દેવાયો હતો. અમુક વર્ષો બાદ એલુરુ, રાજમુંદરી અને ભીમાવરમ વગેરે સ્થળોએ અલ્લુરીના હોવાના દાવા થયેલા હતા. 

 તેમનો ખૂબ નિકટનો સાથી ગણતમ દોરા છઠી જૂન 1924ના રોજ વીરગતિ પામ્યા અને મલ્લુદોરા જીવતા પકડાયા અને તેમને આજીવન કારાવાસની સજા થઇ. દેશની આઝાદી બાદ આજ મલ્લુદોરા દેશની પહેલી લોકસભામાં આંધ્ર પ્રદેશના વિશાખા પટ્ટનમથી સાંસદ બન્યા. 

4) મરણોપરાંત સન્માન: 

  1. આંધ્ર પ્રદેશ સરકારે આઝાદી બાદ અલ્લુરીના જન્મસ્થળ તેમજ તેમની ગતિવિધિઓના સ્થળોએ સ્મારકો બનાવડાવ્યા. આ સ્થળોની યાદીમાં ભીમાવરમ પણ શામેલ હતું. આ લેખમાં સૌથી પહેલો ફોટો તેમના ગામમાં આવેલ "અલ્લુરી વિગ્રહ પ્રાંગણ"માં તેમની પ્રતિમાનો છે. 
  2. અલ્લુરીના હયાત ભાઈઓને રાજકીય નિવૃત્તિ-વેતન આપવામાં આવ્યું.
  3. એલુરુ શહેરમાં આજે પણ અલ્લુરીની સ્મૃતિમાં વિશાળ "અલ્લુરી સીતારામ રાજુ" સ્પોર્ટ્સ સંકુલ ઉભું છે. 
  4. ભારત સરકારે અલ્લુરીની સ્મૃતિમાં આ નીચેનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો જે સ્ટેમ્પ સંગ્રહના શોખીનો પાસે જોવા મળી શકે છે.

જતાં જતાં: આ મલ્ટીમિડીયાનો જમાનો છે એટલે જતાં જતાં આ અલ્લુરી માટે ઇન્ટરનેટ ઉપર પ્રચલિત અમુક ઇન્ફોગ્રાફિક્સ ઉપર નજર નાખતાં જાઓ અને જો RRR મૂવી હજુયે ના જોયું હોય તો આજે જ જોઈ નાખો !! 

હિન્દૂ શૂરવીર - બપ્પા રાવળ (સાતમી સદી)

સાતમી સદીમાં ભારતની ધરતી પર ભગવાન શિવના અંશ એવા કાલભોજ કે જે આગળ જતાં બપ્પા રાવળ તરીકે પ્રસિદ્ધ થયા તેઓ ગુહીલોત વંશના રાજા નાગાદિત્ય અને કમલ...